SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 41 શ્રી દશ દિક્યાલ પૂજન: આ મંગળ પ્રસંગે આપણે દશ દિશાઓના અધિષ્ઠાયક દેવો, દિપ્પાલ તરીકે ઓળખાતા સોમ (પૂર્વ), વાયુ (પશ્ચિમ), કુબેર (ઉત્તર), યમ (દક્ષિણ), ઇશાન (ઉત્તર-પૂર્વ), (ઉત્તર પશ્ચિમ) (દક્ષિણ પૂર્વ), (દક્ષિણ પશ્ચિમ), (ઉર્ધ્વ) , (અપોલોક) શાસ્ત્રોમાં નિર્દિષ્ટ વિવિધ મંત્રોચ્ચાર પૂર્વક આપણે એની પૂજા અર્ચના જાપ વગેરે કરીને સમગ્ર સંઘની સુખ શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ, વિપ્નો, ઉપદ્રવો દૂર થાય એવી કામના કરીએ છીએ. શ્રી અષ્ટમંગલ પૂજન : તીર્થકરના જન્મ પછી દેવલોકના ઇન્દ્ર એમને મેરુપર્વત ઉપર લઈ જાય છે અને અભિષેક દ્વારા ઉત્સવ મનાવે છે. ત્યારબાદ ઇન્દ્રાણી પ્રભુની સમક્ષ પાટલા ઉપર અષ્ટ મંગલની રચના- આલેખન કરે છે. (૧) સ્વસ્તિક (૨) શ્રી વત્સ (૩) નંદ્યાવર્ત, (૪) વર્ધમાનક, (૫) કળશ, (૬) ભદ્રાસન, (૭) મીનયુગલ, (૮) દર્પણ. આ લેખન સોના-ચાંદીના બનેલા ચોખા વડે કરવામાં વે છે. વાજતે ગાજતે એ અષ્ટમંગલને પ્રભુ સમક્ષ લાવીને મૂકે છે. આ અષ્ટમંગલનું આલોચન, એના દર્શન મંગલકારી મનાય છે. આનાથી વિધેયાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. અષ્ટપ્રકારી પૂજા કરવા પૂર્વક આ અનુષ્ઠાન કરવામાં આવે છે. અષ્ટમંગલ. LG BIL OES ૧. સ્વસ્તિક જ નું શ્રી વત્સ નંદ્યાવર્ત ૪. વર્ધમાનક :- આ ચાર ગતિનું પ્રતીક છે ૧ મનુષ્યગતિ, ૨ દેવગતિ, ૩- નરક ગતિ, ૪- તિર્યંચ ગતિ. સ્વસ્તિકનું મૂળ લાભ અને અસ્તિત્વ. એટલે કે આસ્તત્વનો લાભ આપનાર તથા વિકાસ અને સફળતા આપનાર તરીકે આ સ્વસ્તિક છે. :- જન્મ મરણની અનંત શ્રૃંખલાનું પ્રતીક છે. :- આ મોટા સ્વસ્તિક તરીકે નવ ખૂણા દ્વારા રચાય છે. આ નવ જાત ભૌતિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વૈભવનો નિર્દેશ કરે છે. - વર્ધમાન એટલે વધવું! વર્ધમાનક શ્રી-સંપત્તિ, સ્વાસ્થય અને આધ્યાત્મિક પ્રગતિની વૃદ્ધિ સૂચવે છે. :- આ તમામ આધ્યાત્મિક સમૃદ્ધિનું સૂચક છે. સંપૂર્ણ જ્ઞાનનું પ્રતીક છે. એનું મુખ શાશ્વતતાને સૂચવે છે. કંઠનો ભાગ જુનાનો ત્યાગ અને તળિયાનો ભાગ નવાના ઉદ્ભવને સૂચવે છે. :- આને સિંહાસન પણ કહે છે. આ અતિપવિત્ર છે કારણ એ તીર્થકરના ચરણોથી પવિત્ર છે. :- આ બે માછલીનું જોડકું સંસારના દુ:ખો આ પીડાઓથી ઉપર ઉઠીને રક્ષણનું સૂચક છે. - સાચા આત્મ સ્વરૂપને સૂચવે છે. આપણા મૂળભૂતરુપને નિર્દિષ્ટ કરે છે. ૫. કળશ ભદ્રાસન મીનયુગલ દર્પણ ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004558
Book TitleJina Poojan
Original Sutra AuthorN/A
AuthorOshwal Associations of The UK
PublisherOshwal Associations of The UK
Publication Year
Total Pages52
LanguageGujarati, English
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy