SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીચંદ્ગપ્રભુ સ્વામિ ચરિત્ર ઘાતકી ખંડના પ્રાગવિદેહ ક્ષેત્રમાં મંગળાવતી વિજયમાં રત્નના સ્થાનક ભૂત રત્નસંચયાનગરીમાં સજ્જનોમાંશિરોમણી સાક્ષાત પુષ્પધન્વા (કામદેવ)જન હોય એવો સૌંદર્યશાલીપદ્મરાજા રાજ્ય કરી રહ્યો છે રંગ-રાગની અનેક સામગ્રીઓહોવા છતાં રાજા બધાથી વિરક્ત બની યુગંધર મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી વીશસ્થાનક તપની અપૂર્વ આરાધના કરી તીર્થંકર નામકર્મનીનિકાચના કરી સમાધિમરણ પામી ત્યાંથીવૈજ્યંતનામનાવિમાનમાંઉત્પન્નથયા. તેત્રીસસાગરોપમનુંઆયુષ્ય પૂર્ણ કરી આજજંબુદ્વીપનાભરતક્ષેત્રમાંચન્દ્રાનના નામની મનોહર નગરીમાં મહાસેન નામે શૂરવીર રાજાની લક્ષ્મણા નામે મનોહર પટ્ટરાણીની કુક્ષિએ ચૈત્ર વદ પંચમી (ફાગણ વદ પંચમી) દિવસે અનુરાધા નક્ષત્રમાં પ્રભુનુ ચ્યવન થયું. મહાદેવીએ ચૌદ મહાસ્વપ્નાઓ નિહાળ્યા.. પોષ વદ બારસ (માગસર વદ બારસ) ના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રના ચિહ્નવાળા અને ચંદ્રમા જેવા શ્વેતવર્ણવાળાપુત્રનોજન્મથયો...! ૫૬ દિકુમારીકાઓઅને ૬૪ ઈન્દ્રોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો જન્મઅભિષેકમહોત્સવઉજવ્યો. મહાસેન રાજાએ પણ પુત્રનો જન્મમહોત્સવઉજવીચંદ્ર જેવા શ્વેતવર્ણવાળાઅને માતાને પણ ચંદ્રપાનનોદોહદ ઉત્પન્નથવાથીચંદ્રપ્રભએ પ્રમાણેપ્રભુનુંનામ પાડ્યું. ૧૫૦ધનુષ્યની કાયાવાળાપ્રભુએઅઢીલાખપૂર્વકુમાર અવસ્થામાંપસાર કર્યા. સાડા છ લાખ અને ચોવીસ પૂર્વ પ્રભુના રાજ્યાવસ્થામાં પસાર થયા. લોકાંતિક દેવોની વિનંતિથી પ્રેરાયેલ પ્રભુએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો પોષ વદ તેરસ(માગસ૨વદ તેરસ)નાદિવસે અનુરાધા નક્ષત્રમાં હજારો દેવો મનુષ્યોનીસાથે મનોરમા શિબિકામાં બિરાજમાન પ્રભુએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા અંગીકારકરીપ્રભુનેત્યાંજ મન:પર્યવજ્ઞાનઉત્પન્નથયું. Jain Education International ૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy