SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ મેઘમાળીઆનિહાળી આશ્ચર્યપામીગયો! ધરણેન્દ્રદેવે તુરંતજ તેનેઉપાલંભ આપ્યો. “દુષ્ટ ! તેં સ્વામિની કદર્થના ભવોભવ કરી છે તેનાથી તેં જ નરકના કેવા ભયંકરદુઃખો સહન કર્યા તું યાદ તો કર ! તું ગમે તેટલું પાણી વરસાવીશસ્વામિ કંઈ ડૂબવાના નથી પણ તું જ ભવરૂપીસાયરમાં ડૂબી જઈશ...! અંતે મેઘમાળીને જ્ઞાન લાધ્યું. પ્રભુની ક્ષમા માંગી સ્વસ્થાને ગયો ! ધરણેન્દ્ર પ્રભુની ભક્તિ કરી સ્વસ્થાને ગયો ! મરણાંત ઉપસર્ગ કરનાર મેઘમાળીતો અનહદ ભક્તિ ક૨ના૨ ધરણેન્દ્ર ! બંનેની ઉપર પાર્શ્વપ્રભુની સમાન દૃષ્ટિ છે! નથી તેમને ધરણેન્દ્ર ઉ૫૨ રાગ કે નથી મેઘમાળી પ્રત્યે દ્વેષ ! માટે જ કહ્યું છે ને “કમઠે ધરણેન્દ્ર ચ.... સ્વોચિતંકર્મ કુર્વતિ પ્રભુસ્તુલ્યમનોઃવૃત્તિ” છદ્મસ્થપણામાં ચોર્યાસી દિવસ વિચરી પ્રભુ પુનઃ વારાણસી નગરીના આશ્રમપદ ઉદ્યાનમાં આવ્યા. ઘાતકી વૃક્ષ નીચે કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર રહ્યા ચૈત્ર વદ (ફાગણ વદ) ચોથના દિવસે અઠ્ઠમતપના તપસ્વી પ્રભુને વિશાખા નક્ષત્રમાં કેવળજ્ઞાનઉત્પન્નથયું. દેવોએ સમવસરણની રચના કરી સત્યાવીસ ધનુષ્ય ઉંચા ચૈત્યવૃક્ષ નીચે રત્નજડિત સિંહાસન ઉપર પ્રભુએ ધર્મદેશનાનો પ્રારંભકર્યો પંદર કર્માદાનવિષયક પ્રભુની ધર્મદેશના સાંભળી પ્રતિબોધ પામી અનેક આત્માઓએ સર્વવિરતિ - દેશવિરતિધર્મ સ્વીકાર્યો આર્યદત્તઆદિ દસ ગણધરોનીસ્થાપના થઈ. અશ્વસેન રાજા વામાદેવી માતા, પ્રભાવતી રાણી આદિએ પણ દીક્ષા અંગીકાર કરી. Jain Education International ૨૧૩ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy