SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ અરિહંતાકાર બનેલા પોતાના પર્યાયનું ધ્યાન કરે છે, ત્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય ત્રણે એક થઇ ગયાં. એટલે કે - (૧) ધ્યાન કરનારો આત્મા તે દ્રવ્ય. (૨) ધ્યાતાનો પોતાનો અરિહંતાકાર બનેલો પર્યાય તે ધ્યેય. અને (૩) ધ્યાન પણ આત્માના ગુણોના સ્વરૂપનું જ છે. આ રીતે દ્રવ્ય, ગુણ અને પર્યાય – ત્રણેની એકતા થાય છે, ત્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય - ત્રણેની એકતા એટલે સમાંપત્તિ થાય છે. જ્યારે આત્મા આત્માનું ધ્યાન કરે છે, ત્યારે સર્વ આત્મસિદ્ધિઓ આવીને મળે છે. માટે પહેલાં પ્રભુએ કહ્યું કે - “ધ્યેય સમાપત્તિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણ” સિદ્ધપદનું ધ્યાન ઃ રૂપાતીત સ્વભાવ કેવળ દંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણખાણી રે. વીર જિનેશ્વર ઉપદિશે. કેવળજ્ઞાન સ્વરૂપ, શુદ્ધ, નિરંજન, નિરાકાર, અવ્યાબાધ સુખસ્વરૂપ, અનંત આનંદમય, અચિંત્ય શકિત યુક્ત, નિરાકાર જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવંતની ધારણા કરવી. તે પછી આવા સિદ્ધભગવંતનું ધ્યાન કરવું. ધ્યાતા જ્યારે ધ્યાનમાં સ્થિર બની જાય છે, ત્યારે ધ્યાતાનો ઉપયોગ ધ્યેયાકાર સિદ્ધ પરમાત્માના આકારવાળો બને છે. ઉપયોગથી ઉપયોગવાન આત્મા અભિન્ન હોય છે. સિદ્ધ પરમાત્માના આકારવાળા બનેલા પોતાના ઉપયોગરૂપ પર્યાયનું ધ્યાન કરતી વખતે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એક્તારૂપ સમાપત્તિ થાય છે. ટૂંકમાં સિદ્ધ પ્રરમાત્મારૂપે પોતાના આત્માનું ધ્યાન કરવું. સર્વ આત્મસંપત્તિ તેનાથી પ્રાપ્ત થાય છે. (અનુભવાય છે.) અહીં પ્રભુ મહાવીરદેવે પરમાત્માનું આલંબન લઇને તેના આધારે પોતાના આત્માનું અરિહંત, સિદ્ધ ભગવંત રૂપે ધ્યાન કરવાનું બતાવ્યું. આ રીતે અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા આગમથી ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy