SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ નથી પડી જતું, પણ પાછળ બીજો ધબકારો થાય છે. સર્વ પ્રભાવ પરમાત્માની કરુણાનો છે. (કોઈ કહે કે આ બધું પુણ્યથી થાય છે. તો પુણ્યનું ઉત્પાદન પણ પરમાત્માના પ્રભાવથી થાય છે.) પ્રભુની કરુણામાં રહેલી અચિજ્ય શકિતના ભાવોમાં સાધક નિમગ્ન બને છે. કરુણાનો ધોધ પૂરજોશમાં વરસી રહ્યો છે........ સાધક તેમાં સ્નાન કરી રહ્યો છે........... પરમાત્માની કરુણામાં રહેલી અચિન્ત શકિતની સભાનતા થતાં સાધકનો અહંકાર ઓગળી જાય છે. સાધક પરમાત્માની સંપૂર્ણ અને બિનશરતી શરણાગતિ (Complete unconditional surrender) સ્વીકારે છે. સમર્થના શરણે રહેલાને ભય, ચિંતા હોતા નથી. (હવે પછીના વાક્યો Auto-suggession' સ્વયં સૂચના રૂપ છે. તે પ્રત્યેક વાક્ય (sub-conscious mind) આંતરમન સુધી પહોંચે તે રીતે 'ઉચ્ચારણ કરવાનું છે. પ્રત્યેક વાક્ય ૧૦ થી ૧૫ સેકન્ડ સુધી ધારી રાખી આંતરમન સુધી પહોંચાડવું.) હું અનંત શકિતયુકત, કરુણાના સાગર, વાત્સલ્યના ભંડાર, દયાના સમુદ્ર, અશરણના શરણ, અનાથના નાથ પરમાત્માને શરણે રહેલો છું. તેથી હવે મને કાંઈ (૧) રોગ નથી........ (૨) શોક નથી........... (૩) દુઃખ નથી ...... (૪) ભય નથી.... (૫) ચિંતા નથી......... હું સર્વત્ર સદા (૬) સુખમાં છું........(૭) શાંતિમાં છું.........(૮) આનંદમાં છું. (૯) નિર્ભયતામાં છું........ આ નવે વાક્યો ધીમે ધીમે આંતરમન (sub-conscious mind) સુધી પહોંચે તે રીતે વિચારવા. " પરમાત્માની કરુણાનો ધોધ જોરથી પડે છે. સાધક તેમાં સ્નાન કરવામાં નિમગ્ન બની ગયો છે, સ્થિર થઈ ગયો છે. સુખ, શાંતિ, આનંદ, નિર્ભયતામાં સ્થિર છે. (કરુણાના ધોધને વરસતો અને તેમાં સ્નાન કરવાની સ્થિતિને પાંચદસ મિનિટ સુધી ધારી રાખવી.) આ પ્રમાણે સાધકે પૂ. ગુરુમહારાજના કહેવાથી પરમાત્માની કરુણાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy