SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ " માઝા મૂકીને વરસતી ગઇ. પ્રેમ અને કરુણાના સાગર પૂજ્ય ગુરુમહારાજના ચરણકમળનું સાન્નિધ્ય પ્રાપ્ત થતાં સાધકમાં નવજીવનનું સર્જન શરૂ થયું. ગુરુદેવની દષ્ટિમાં કૃપા, મુખમાંથી અમૃતવાણીનો મધુર પ્રવાહ, હૃદયમાં જીવમાત્રના કલ્યાણના ભાવો, રગેરગમાં નવકારની પરિણતિ - આ દિવ્ય અનુભવમાં સાધક તો ગુરુમહારાજમાં લીન બની ગયો છે. સાધકના મન, વાણી અને કાયા સ્થિર થઇ ગયાં. જાણે ઘોર અંધારી રાત્રિએ સૂર્યનું અજવાળું મળ્યું જાણે ભૂખ્યાને અન્ન મળ્યું રોમાંચ અને સંભ્રમપૂર્વક સાધક સદ્ગુરુના વચનને ઝીલીને હૃદયમાં સ્થિર કરે છે. છેલ્લે છેલ્લે પૂ. ગુરુમહારાજ નવકારના પ્રભાવથી સાધકને પ્રભાવિત કરી દે છે. નમસ્કાર મંત્રની આરાધના એ મહાન આધ્યાત્મિક સાધના છે. તેની વિશેષતા એ છે કે તે સાધના આબાલ, વૃદ્ધ, રાજા અને રંક, યોગી અને ભોગી, સર્વ કોઇ કરી શકે છે. ખાતાં-પીતાં, બેસતા-ઊઠતાં, સુખમાં કે દુ:ખમાં સર્વ સમયે, નવકારનું સ્મરણ કરી શકાય છે. જન્મતાં પણ નવકાર સંભળાવવામાં આવે છે, જીવનભર પણ નવકાર ગણવામાં આવે છે, મરતાં પણ નવકાર સંભળાવવામાં આવે છે. માતાના દૂધની જેમ નવકાર સૌને લાભ કરે છે. સર્વ પાપનું મૂળ અહંકાર છે. નમસ્કાર ભાવથી અહંકારનો અંત End of egoism આવે છે. ધર્મનું મૂળ વિનય છે. વિનય નમસ્કારથી આવે છે. તેથી નમસ્કાર મહાન છે. નમસ્કાર સર્વ પાપનો નાશ કરી, શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે કે- જે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ મંગલ છે. જગતમાં અનેક મંગલો છે. કોઇ ગાયને મંગલ માને છે. કોઇ કુંકુમને મંગલ માને છે. કોઇ કન્યાને મંગલ માને છે. કોઇ કુંભને મંગલ માને છે. પણ શ્રેષ્ઠ મંગલ કયું? આત્માનું શુદ્ધ સ્વરૂપ તે શ્રેષ્ઠ મંગલ (Essence of extremity) છે, જે નવકારની આરાધનાથી મળે છે. નવકારની આરાધનાથી પાપનો પ્રણાશ અને પુણ્યનો પ્રકર્ષ થાય છે. સુખનું સર્જન અને દુ:ખનું વિસર્જન થાય છે. વિનોનો વિચ્છેદ Dissolution of disorder અને મંગલનું મંડાણ થાય છે. સુવિધાઓનું સંવર્ધન અને દુર્ભાગ્યનું દૂરીકરણ શ્રી નવકારથી થાય છે. ઇચ્છાઓનું ઊર્ધ્વગમન થાય છે, સત્યનું સંશોધન થાય છે. શ્રી નવકાર એ વિશ્વેશ્વરની વિનંતી છે, જેનાથી અનંતના આશીર્વાદ મળે છે, શ્રી નવકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy