SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ ૩૯. અરિહંતની ઉપાસના આઈજ્યનું ધ્યાન પોતાનું હું આખા જગતને ભૂલવાડે છે. સમુદ્રમાંથી બિન્દુ છૂટું પડે છે તે હું છું. તે હું રૂપ બિન્દુને સિન્ધમાં ભેળવવું જોઈએ. હું - વિશેષ. બીજા બધાથી જુદો. બીજાથી ભેદ પાડનાર સર્વનામ “હું હું માંથી મારું નીકળે છે. મારું – મારનાર છે. મારું હિંસાવાચક શબ્દ છે. હિંસા હું માંથી ઉત્પન્ન થાય છે. હું તું થાય, તથા મારૂં નહિ તારૂં થાય, તે તારનાર છે. તે છે તે શાશ્વત છે. તે એટલે મહાસામાન્ય. તે બધામાં છે. હું ભૂલવા માટે તુંહી તુંહી તુંહી તુંહી, યુંહી ધરતા ધ્યાન રે. એક તાન એટલે એકતા. તું હી એટલે પરમાત્મા સાથે એક તાનથી હું ભૂલાઈ જશે. મારું મારું કરતાં મરી જશે, તારું તારું કહેતા તરી જશે. મારું એટલે હું મારા આત્મભાવને હણું છું. મારૂં એ હિંસાત્મક છે. ૪૦. અંતરાત્મ ભાવમાંથી પરમાત્મ ભાવમાં પ્રવેશ. શરીર તે જ હું. એ માનવાના કારણે ઇન્દ્રિયોને બાર વેપાર કરતી અટકાવી શકતી નથી. આવા પ્રકારના બહારના વિકલ્પોને છોડી દઈ, મનમાં આવતા વિકલ્પોને છોડી દેવા, એટલે કે હું સુખી હું દુખી હું ચેતન હું માણસ ઇત્યાદિ સઘળા વિકલ્પોનો ત્યાગ કરવો, કેવળ અંતરાત્મા થઈ પરમાત્મ સ્વરૂપની ભાવના કરવી અને ભાવના કરતાં અંતરાત્માને પણ છોડી દેવો. આવો અભ્યાસ કરતાં કરતાં થોડા વખતમાં પરમાત્મ સ્વરૂપ પોતાનામાં ભાસે છે. - જે શરીર અને ઇન્દ્રિયોના વિષયો પોતાથી ભિન્ન જણાય એટલે પોતે અંતરાત્મા થયો એમ સમજવું. પરંતુ જે વડે બહિરાત્મા જુદો દેખાઈ ગયો તે પરમ પ્રકાશમય સૂર્યવત્ પરમાત્મા છે. માટે બહિરાત્મા જે વેળા જુદો દેખાઈ જાય તે જ વેળા આત્માએ આત્મા વડે પરમાત્મા તરફ પણ નજર કરી લેવી એટલે જ્યોતિ દર્શન અંતરાત્મામાં પ્રતિબિંબરૂપ દેખાઇ જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy