SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ શુદ્ધ હમારો રૂપ હૈ, શોભિત સિદ્ધ સમાન; કેવળ લક્ષ્મી કો ધણી, અનંત ગુણ નિધાન. tt બારમા દેવલોકનો દેવ પૃથ્વી ઉપર વિચિત્ર સંજોગોમાં હોવા છતાં તે અંદ૨ સમજે છે કે હું તો બારમા દેવલોકનો દેવ છું. લીલા જોવા માટે પૃથ્વી ઉપર આવ્યો છું. તે રીતે આપણે પણ પ્રભુ સીમંધરસ્વામીએ કહ્યું છે તેમ “ અનંત સુખ, અર્ચિત્ય શક્તિના સ્વામી છીએ. કર્મના કારણે અનેક વિચિત્ર સંજોગો વચ્ચે અત્યારે છીએ. પણ કર્મ બદલાય તેમ બહારની પરિસ્થિતિ પણ બદલાય છે. તેમાં મને સુખ – દુઃખ, ગમો – અણગમો કે રાગ – દ્વેષ નથી. જ્ઞાન, દર્શન મારૂં કાર્ય છે. હું તો આનંદમય આત્મા છું.'' આ રીતે અંતરંગમાં નિશ્ચય દષ્ટિ ધારણ કરી જીવન જીવવાનું છે. સુજ્ઞ વાચક મિત્રો ! આ પ્રયોગ આપણે નિત્ય કરીશું. પ્રયોગમાં બતાવેલ સમવસરણમાં બિરાજમાન પરમાત્માને આપણી નજર સામે રાખીશું. તેમની દેશના સાંભળી આપણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્ર પ્રાપ્ત કરીએ છીએ અને ક્ષપક શ્રેણી આરોહણ કરી, કેવળજ્ઞાન સ્વરૂપ પ્રગટ કરીએ છીએ. આવી ભાવનાથી નિરંતર ભાવિત બનીશું તો ચોક્કસ તે મુજબ જ સાક્ષાત્ ભાવજિનેશ્વર પાસે પહોંચવાનું અને કેવળજ્ઞાન સ્વરૂપ પ્રાપ્ત કરવાનું કારણ આપણા જીવનમાં ઉપસ્થિત થશે, અને કારણ ઉપસ્થિત થતાં કાર્ય પણ બનવાનું જ છે. જે વિચાર નિરંતર મનમાં ઘૂંટાય તે છેવટે ભૌતિક સ્વરૂપ પ્રગટ કરે જ છે. આપણી કલ્પનાશક્તિ વડે રચાતું ચિત્ર ભવિષ્યમાં થનાર આપણીસ્થિતિનો નમૂનો છે. અને નમૂના પ્રમાણે આપણી ભવિષ્યની સ્થિતિ રચાય છે, આટલું જોયા પછી બીજા જન્મમાં ભગવાન સીમંધર સ્વામી આદિ (વિહરમાન તિર્થંકરો) જ્યાં વિચરે છે, ત્યાં જન્મ થાય અને આઠ વર્ષની ઉંમરે આપણે દીક્ષા લઇએ અને પ્રભુ આજ્ઞા મુજબ જીવન જીવીને આપણો કેવળજ્ઞાન સ્વભાવ પ્રગટ કરીએ તેના માટે આ જ્ન્મમાં શું સાધના કરવી તે આપણે આ પ્રયોગ દ્વારા જોયું. ઉપરાંત આપણી મોક્ષમાર્ગની સાધના માટે સીમંધરસ્વામી પરમાત્મા પાસેથી આપણને અદ્ભુત માર્ગદર્શન મળ્યું. તે મુજબ આ જન્મમાં જ આપણે સાધના શરૂ કરીએ અને આ જન્મમાં જ આત્મ અનુભવ પ્રાપ્ત કરી, પરમ આનંદના ભોક્તા બનીએ એ જ અભ્યર્થના. (આ કાળમાં અપેક્ષિત સામગ્રી નહીં હોવાથી ક્ષપકશ્રેણી આરોહણ કરી શકવાનું સામર્થ્ય આપણામાં નથી. માટે તેવી ભાવનાથી તીવ્રપણે ભાવિત બનવું.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy