SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ આવ્યારે ! આવ્યારે ! આવ્યા...! હાથ પહોળા કરીને ઉભા છે મારા પ્રિયતમ અરિહંત પ્રભુ ! મેં દોટ મુકી...મારો શ્વાસ બેસે તેના પહેલાં હું ભેટી પડી; મારૂં તો અસ્તિત્વ જ ન રહ્યું. પ્રિયતમમાં સમાઈ ગઈ ! ગાઢ આલિંગનમાં લપાઈ ગઈ. ચૈતન્યથી ચૈતન્યનું દિવ્ય મિલન થયું. આત્માથી આત્માનું સુમધુર, પ્રેમસભર, અમૃતના આસ્વાદ ભર્યું અભેદ મિલન થયું. દિવ્ય પળ બની ગઈ. મારા મનમોહને અનુભવ રસનો પ્યાલો પાયો. પૂર્ણ પવિત્રતાની દિવ્ય પળે મારા પ્રિયતમે પૂર્ણાનન્દના અવિચલ રસભર્યું અમૃત પાયું. મેં તે પીધું અને ધન્ય ધન્ય બની ગઈ. તે ક્ષણ કેટલી મધુર, કેટલી દિવ્ય, કેટલી અદ્ભુત, જ્વલંત, આશ્ચર્યકારી, જાજ્વલ્યવાન, દેદિપ્યમાન, કેટલી ઉજ્વળ - કેટલી અમૃતમયી બની ગઈ ! એક તીવ્ર સુમધુર કંપારી અનુભવતી હું અપાર્થિવ આનંદમાં ડૂબી ગઈ. કહી ન શકાય તેવી દિવ્ય અમૃતરસ આસ્વાદની પળ, મોક્ષ સુખની વાનગી સમાન બની ગઈ. શબ્દો જ્યાં ટૂંકા પડે, બુદ્ધિ જ્યાં પાછળ રહી જાયમાત્ર અનુભવે સમજાય. પ્રિયતમ અને પ્રિયતમાનું અભેદ મિલન- આ બિન્દુ ઉપર કોઈ સ્ત્રી નથી અને કોઈ પુરુષ પણ નથી. ઇન્દ્રિયો પણ નથી. અહીં તો માત્ર ચૈતન્ય છે. કોઈ પ્રકારનો ભેદ નથી. એવી અભેદ અવસ્થા છે ભકત અને ભગવાનના મિલનની. અરિહંત પ્રભુને એટલે કે પ્રિયતમને ભેટી પડવું તેને જ અરિહંતાકાર ઉપયોગ શાસ્ત્રકારો કહે છે. અરિહંતાકાર ઉપયોગથી અરિહંતને ભેટવાનું હોય છે. પ્રિયતમ સાથેની ગાઢ આલિંગન અવસ્થા - તે જ ઉપયોગાકાર આત્મા છે. ઉપયોગ અરિહંત આકાર બન્યો. ઉપયોગથી ઉપયોગવાનું આત્મા અભિન્ન છે. તેથી ઉપયોગવાનું એટલે ધ્યાતાનો આત્મા અરિહંત આકાર બન્યો, અને અરિહંતાકાર બનેલા આત્માનું ધ્યાન સ્થિર થતાં આત્મ અનુભવ થાય છે. તેને જ અનુભવ રસનો પ્યાલો કહેવાય. “પ્રભુની મહેરે તે રસ ચાખ્યો” એમ શ્રી માન વિજયજી મહારાજ કહે છે. તેને જ મારા પ્રિયતમે અનુભવ રસનો પ્યાલો પાયો. તેને જ મનમોહન જિનવરજીએ મુજને અનુભવ પ્યાલો દીધો અને પૂર્ણાનન્દનો અક્ષય અવિચલ રસ ભકિત પવિત્ર થઈ પીધો. એવું અનુભવાય. (અહીં શાસ્ત્રકારોની ગૂઢ રહસ્યવાળી અનુભવની તાત્ત્વિક વિચારણાને લોકભોગ્ય ભાષામાં રજૂ કરી છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy