SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ મને આજે ભાન થયું છે, પ્રભુ પ્રેમની સામ્રાજ્ઞી મહાદેવી ! તેં આજે મારા હૃદયના પ્રભુ પ્રેમના બંધ થઈ ગયેલા દ્વાર ખુલ્લા કર્યા “તું મારી ગુરુ છે.” પ્રિય વાચક ! તને સમજાયું હશે -- સ્ત્રી સહજ દાસત્વ પ્રભુ પ્રેમમાં ઉપયોગી પામ્યું છે. આવું દાસત્વ, સેવા, સમર્પણ, લાગણી, વાત્સલ્ય વિગેરે સદ્ગણો આપણા પ્રેમનો સ્વીકાર પ્રભુ કરે તે માટે પણ મહત્વનું પાસું છે. અહંકાર શૂન્ય બન્યા પછી જ પ્રેમનો સ્વીકાર શકય બને છે. મીરાંબાઈએ ગાયું છે “મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાને કોઈ” મીરાંકી પ્રભુ પીડ મીટે જબ વૈદ્ય સાંવરીયા પાસ હોય” જો શ્રીકૃષ્ણ ભગવાન વૈદ્ય બનીને આવે તો જ મીરાંનું પ્રેમ દર્દ શાન્ત થાય. એટલે કે પ્રિયતમનો મેળાપ જ પ્રેમ-વિરહની પીડ મીટાવી શકે છે. ૦ ૦ ૦ મારા પ્રિયતમ ભગવાને કહેવડાવ્યું કે - “મોડી રાત્રે વહેલી સવારે ધ્યાનમાં મળીશું... મથુરામાં ગોપીઓ રોજ “શ્રીકૃષ્ણને વિનંતી કરે છે – “અમારી સાથે રાસ રમો' શ્રીકૃષ્ણ કહે છે - “તમે તમારા પતિ અને બાળકોને સંભાળો. રાસ રમવાનું તમારું કાર્ય નથી.” ગોપીઓ રડવા લાગી. દરરોજ ખૂબ આજીજી કરે છે, આક્રંદ કરે છે. છેવટે શ્રીકૃષ્ણે કહ્યું- શરદ પૂર્ણિમાની રઢિયાળી રાત્રિએ સરોવરના કિનારે રાસ રમીશું. શરદ પૂર્ણિમાની મનોહર રાત્રિએ ગોપીઓ આવી. શ્રીકૃષ્ણ પણ આવ્યા. રાસ રમવાનું શરૂ થયું (વાચક મિત્ર ! રાસ એટલે ભકત અને ભગવાનનું અભેદ મિલન) તે વખતે બ્રહ્માજીને વિચાર આવ્યો કે - શ્રી કૃષ્ણ આ શું કરે છે ! પરસ્ત્રીની સાથે રાત્રે રાસ રમવો ઉચિત ન ગણાય. બ્રહ્માજી જોવા આવ્યા અને આશ્ચર્યકારક દશ્ય જોયું. એક ગોપી અને એક કૃષ્ણ દેખાય છે. જેટલી ગોપી તેટલાં કૃષ્ણ દેખાય છે. બ્રહ્માજી આશ્ચર્યમાં પડી ગયા. રાસ એટલે ભકત અને ભગવાનનું અભેદ મિલન. ધ્યાતાનો ઉપયોગ જયારે ધ્યેયાકાર (અરિહંતાકાર) બને છે, ત્યારે ધ્યાતા પોતે જ આગમથી ભાવનિક્ષેપે અરિહંત રૂપ હોય છે આ જીન આગમની ધ્યાન પ્રક્રિયાનો સહજ ખ્યાલ ઉપરના પ્રસંગમાં આવે છે. ગોપીનો ઉપયોગ કૃષ્ણાકાર થવાથી ગોપીઓ કૃષ્ણનું રૂપ ધારણ કરે છે. અરિહંતના ધ્યાનમાં તદ્રુપ બનેલો ધ્યાતા જે સમયે અરિહંતના ધ્યાનમાં તદ્રુપ હોય તેટલા સમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy