SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ ૧૦૦૦ શેર ખરીદ કર્યા પછી ૨૧૦ નો ભાવ થાય ત્યારે તે ૧૦૦૦ શેર તે ભાઈ બજારમાં હાજર હોત અને તે ભાવે સોદો કરે એટલે કે વેચી નાખે અને ૪૦૦૦૦નું નુકસાન આપવું પડે તે વિપાક ઉદયથી ભોગવ્યું કહેવાય. અને ૨૧૦માં વેચ્યા પછી ૨૮૦ થાય એટલે મારું વેચાઈ ગયું અને ભાવ વધી ગયા તે વિચારોમાં આર્ત્તધ્યાન કરી નવું કર્મ બાંધે. આ રીતે કર્મો પ્રદેશ ઉદયથી ભોગવાઈ જાય છે, જેની જીવને ખબર પણ પડતી નથી. માટે નિરંતર શુભ અધ્યવસાયના આલંબનોનું સેવન કરવું. શ્રીપાલ અને મયણાના જીવનની કાર્યસિદ્ધિ અરિહંત પરમાત્મા, નવપદો અને સિદ્ધચક્રના પ્રભાવે થાય છે. કહ્યું છે કે ઃ સિદ્ધચક્રના ધ્યાને રે, સંક્ટ ભય નાવે; હે ગૌતમ વાણી રે, અમૃત પદ પાવે. આ બધી વાતનો સાર એટલો જ આવે છે કે, નિરંતર પરમાત્માને હૃદયમંદિરમાં ભાવપૂર્વક ધારણ કરવા તે જ કર્મના દબાણમાંથી છૂટવાનો અને આત્માના પૂર્ણ શુદ્ધ ચૈતન્યના અનુભવ અને પ્રાપ્તિનો માર્ગ છે. તું પ્રભુ જો વસે હર્ષભર હીયલડે, તો સકલ પાપના બંધ તૂટે; ઊગતે ગગન સૂરજ તેણે મંડલે, દહ દિશિ જિમ તિમિર પડલ ફૂટે. હે કરુણાસાગર પરમાત્મા ! તું જો મારા હૃદયમંદિરમાં આનંદપૂર્વક વસે તો મારા સકલ પાપના બંધ તૂટી જાય, કારણ કે પાપરૂપી અંધકાર ત્યાં સુધી જ રહી શકે છે કે જ્યાં સુધી પરમાત્મારૂપ સૂર્યનો ઉદય થતો નથી. અર્થાત્ જેમ સૂર્યનો ઉદય થતાં દશે દિશામાં અંધકારના પડલ ફૂટી જાય છે, તે રીતે પરમાત્મા રૂપ સૂર્યનો ઉદય જ્યારે જ્વાત્માના હૃદયમાં થાય છે, ત્યારે સકલ પાપો પલાયન થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy