SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ જેને તું નમે છે, તે તે પોતે જ છે' એવી શ્રદ્ધા આવિર્ભાવ પામે છે. તેનું પુનઃ પુનઃ પરિશીલન આત્મામાં પરમાત્મ સ્વભાવનો આવિર્ભાવ કરે છે. તે જ કેવલ્ય અને મોક્ષ છે. - પદાર્થ જે સ્વરૂપમાં છે તે જ સ્વરૂપમાં જોવો અને જાણવો તે સમ્યગુ દર્શન અને સમ્યગૂ જ્ઞાન છે. વિશ્વનું સ્વરૂપ મહાસત્તા સામાન્યથી વિચારતાં ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય રૂપ છે. તેને બદલે આપણે પદાર્થના સ્વરૂપમાં સુખ-દુઃખ અને રાગ-દ્વેષ કરીએ છીએ. પરંતુ જિનવાણીરૂપ મહા અમૃતરસના પાનથી ઉત્પાદ - વ્યય-ધ્રૌવ્ય રૂપ પદાર્થનું સ્વરૂપ ભાવિત થતાં વિકલ્પ જાળ તૂટી જાય છે અને વસ્તુ સ્વરૂપનું યથાર્થ દર્શન અને જ્ઞાન માત્ર રહે છે. - જે સ્વરૂપમાં જે વસ્તુ છે તે સ્વરૂપમાં જોવા અને જાણવા રૂપ સમ્યગુ દર્શન અને સમ્યગુજ્ઞાનની સાધનાથી સુખ-દુઃખ, રાગ-દ્વેષ, ગમા-અણગમાની વિકલ્પ જાળ તૂટી જાય છે અને નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ અવસ્થાનો અનુભવ થાય છે. ઉત્પાદ - વ્યય – ધ્રૌવ્યનું તાલબદ્ધ સંગીત વિશ્વ ઉપર અનાદિ અનંત કાળથી નિરંતર ચાલુ રહ્યું છે. તે સંગીતમાં (in Tune with infinite) તાલ મેળવનાર સમવયોગ સાધી સમાધિ દશાને પ્રાપ્ત કરે છે. તે જ આપણો સામાયિક નામનો મોક્ષસાધક “મહાયોગ' છે. આ દિવ્ય સંગીતનો વિરોધ કરવો તે જ આર્ત-રૌદ્ર ધ્યાન છે. તેમાં તાલ મેળવવો તે જ ધર્મધ્યાન અને શુકલધ્યાન છે. (૬) તદ્દભાવાવ્યય નિત્યમ્ શેયને જોવું તે વિજ્ઞાન છે. જ્ઞાતાને જોવો તે ધર્મ છે. ઉત્પાદ વ્યય ધ્રૌવ્યમાં જે જ્ઞાનપણું છે તે નિત્ય છે. શેય બદલાવાથી જ્ઞાતાના પર્યાય બદલાય છે, પણ જ્ઞાતૃત્વ તે તો નિત્ય જ છે. આત્માનો જ્ઞાયકભાવ નિત્ય છે. તે જ્ઞાયકભાવમાં સ્થિર થવાથી નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ ઉત્પન્ન થાય છે. અવ્યય અને નિત્ય આત્મસ્વભાવમાં સ્થિરતા આ સૂત્રના ચિંતન અને ધ્યાનથી પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy