SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા સ8ર9ર8a88888888888838GGE દૃષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા અસાતારૂપ અનુભવ વેધ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે સાતાઅસાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સાંક પરિણામ દર્શાવે છે તેથી ઊપરામ થઈ, જેમ ઊપમિત થવાય, તે ઊપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવાયોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. (પત્રાંક-૯૧૩) 5 સહજાનંદઘનજી (હંપી) નિર્દોષ આત્મધ્યાનના પ્રતીકરૂપે દેવતત્વનું પ્રરૂપણ છે. છતાં આ કાળે આ ક્ષેત્રે દેવતત્ત્વ પોતપોતાના ગચ્છની માન્યતાનુસાર કેવળ જિનબિંબ ઉપર જ લક્ષ દોરવાનું બોધાય છે, તે પણ અવ્યવસ્થિતપણે. પરંતુ તેથી આત્મલક્ષ થાય નહીં. મૂર્તિ ઊપરથી મૂર્તિમાન જિન ચૈતન્યનું જ લક્ષ ઘટે. તેથી જ આત્મધ્યાનની શ્રેણિનો ઉદય થાય છે. અલંકારાદિયુક્ત જિનબિંબનું ધ્યાન કેવળ બાળચાલ છે. કારણકે શાશ્વત જિનબિંબ તેમજ સમવસરણસ્થિત વિદ્યમાન જિનેશ્વરોના દેહ ઉપર મુગુટકુંડલાદિ જોવામાં આવતા નથી. ખાતરી કરવી હોય તો દૂરંદેશી લબ્ધિ આદિ પ્રગટ કરીને મહાવિદેહ કે નંદીશ્વરાદિમાં s888883888s39/a8aa383088888&s8888888[૩૮૧ 888888888/888493-843884838/9/3/&#£88888888888888888 8888888 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy