SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા 8888888888888888 388888888888888 &8888888888888888 સુવાક્યો વાંચનનો શોખ આનંદના દ્વાર ખુલ્લાં મૂકવાની મહાન સત્તા ધરાવે છે. મંદવાડ અને નબળાઈને લીધે એકાંતવાસમાં સડતા આજારીના મનને રંજન કરવાનું તે મુખ્ય સાધન છે. નિદ્રા વગરની રાત્રિના શૂન્ય પહોરને તે પ્રકાશિત કરે છે. મનમાં સુખદાયી વિચારોનો સંચાર કરે છે. વિષાદ અને ગ્લાનિ મટાડે છે. ક્રિયામાં અશક્ત અથવા વ્યવસાયી જીવનના કામ વગરના અવકાશને અંગે રહેલી બેચેનીને તે ખસેડે છે. કાંઈ નહીં તો થોડા વખતને માટે પણ મનુષ્યની ફીકર ચિંતાનો નાશ કરે છે. આ વાંચનના શોખનું વિવેકપૂર્વક પોષણ કરવામાં આવે તો ચારિત્રને કેળવવાનું. વિચારને ઉમદા અને વ્યવસ્થિત બનાવવાનું તે અત્યંત બળવાન સાધન થઈ શકે છે. વાંચનનો શોખ બીજી જાતના આનંદને પણ પુષ્ટિ આપે છે. જ્ઞાનની મર્યાદા વિસ્તૃત થાય છે. સહાનુભાવની તથા ગુણની કદર કરવાની વૃત્તિ તેથી બળવાન થાય છે. સોબત, પ્રવાસ, કળા, કૌશલ્ય ઇત્યાદિ મારફતે મળતા આનંદમાં અને સંસારરૂપી નાટ્યભૂમિ ઉપર બનતા અનેક બનાવોમાં હિત ધરાવતા શીખવાના ગુણોમાં બેસુમાર સુધારો વાંચનથી થાય છે. ૧ Jain Education International શુકાનીના અંકુશમાં નહિ રહેનારું વહાણ, પવન અને ભરતીની અનુકુળતા છતાં પણ, સહીસલામત ધારેલે બંદરે પહોચતું નથી. તેવી જ રીતે માણસનો સ્વભાવ ગમે તેટલો માયાળુ, પ્રેમાળ અને પવિત્ર હશે પણ, જો તેના ઉપ૨ આત્મસંયમનો અંકુશ નહિ હોય અને તે મનોવિકારના આવેશમાં આમતેમ ઘસડાઈ જતો હશે તો તેનાથી કોઈ દિવસ ઉત્તમ કાર્ય બની શકનાર નથી. ૨ *8,880 3K8888888@K88KRSKAAR@GR8(૩૭૧ 88888888888888888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy