SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા SIRB/RG/લ 33333333333333333333 સ્થિતિનો અનુભવ કરવો, દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેને પણ એક જ આત્મામાં સમાવેશ કરી દઈ સ્વરૂપ સ્થિરતામાં જ વિશ્રાંતિ લેવી. આ ધ્યાનમાં ત્રણ યોગો વિશુદ્ધ હોય. વિચાર પણ ઘણો જ મંદ હોય, મનનું ચંચળપણું ન હોય પણ પ્રબળ સ્થિરતા હોય, પવન વિનાના સ્થાનમાં રહેલ દીપક કે સમુદ્રની માફક સ્થિરતા હોય. અહીં વિચાર છે પણ તે સૂક્ષ્મ છે; તથા અનંત વિચારોનો સમાવેશ એકમાં કરાતો હોય તેવો નહિ જેવો વિચાર હોય. 88888888888888838/33/383/33/38338 3888888888888 અવિધ તથા મન:પર્યવજ્ઞાનનો ઉપયોગ છે તે પરાનુયાયી છે. કેમ કે તેનો વિષય રૂપી દ્રવ્યનો છે પણ આ ધ્યાન તો આત્માનુયાયી છે. વિષય અરૂપી આત્મદ્રવ્ય છે. આ ધ્યાનથી નિર્મલ કેવળજ્ઞાન થાય. આ ધ્યાન સ્થિરપરિણામી છે. તેમાં મન સંકલ્પ-વિકલ્પ વિનાનું હોય છે. આ ધ્યાન અત્યારે ભલે ન હોય પણ તેની ઉમેદવારી-પ્રેક્ટિસ કરવામાં કાંઈ અડચણ નથી. આ શુક્લધ્યાન પૂર્વગત શ્રુતવાળાને જ હોય છે તેવો કાંઈ નિયમ નથી. માસતુષ અને ગૌતમસ્વામીએ પ્રતિબોધેલો પંદરસો તાપસો ઇત્યાદિને પૂર્વ તો શું, પણ તેના નામની પણ ખબર ન હતી છતાં કેવલજ્ઞાન પામેલા છે. એટલે ખાસ પૂર્વના જ્ઞાનવાળાને જ શુક્લ ધ્યાન હોય તેવો કાંઈ આગ્રહ કરવા જેવું નથી. કેવળ આત્માની શુદ્ધ શ્રદ્ધા, આત્મલાગણી, આત્મધ્યાન, ઇત્યાદિની મુખ્ય જરૂર છે. વિષય કષાયો શાંત થવા જોઈએ, સમભાવ આવવો જોઈએ અને સ્વરૂપસ્થિરતા જાણતાં કે અજાણતાં થવી જોઈએ. પરમ સમાધિ ત્રીજું, ચોથું શુકલધ્યાન सूक्ष्मक्रियाप्रतिपाति तृतीयं सर्ववेदिनाम् समुच्छिन्नक्रियं ध्यानं तुर्यमायैः प्रवेदितम् ॥ १९९ ॥ 38888888838888 888888888888a83399/8G[૩૬૩ Jain Education International For Private & Personal Use Only @ક્ત www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy