SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ SRUBBER BUBBBBBBBBBBBBBBBGBGBBRSBURG Callot Einsi 888888888888SSUS #88888888888RCRR88888888888888888888888888888888888888 રીતે તમારી પાસે અધિક જ્ઞાન હોય, તો તે પણ યોગ્ય અધિકારીને આપવું. તમે અન્ય પાસેથી લીધું છે, તમને બહારથી મળ્યું છે તે તમે અન્યને આપી દેશો તો જ તમને શાંતિ થશે. નહિ આપો તો અભિમાન વધશે અને નવું મળતું અટકશે. અન્યને આપ્યા પછી તેનું અભિમાન થતું નથી, કારણ કે તે એમ માને છે કે હવે તે મારા એકલા પાસે નથી, અન્ય પાસે પણ તે જ્ઞાન છે, નહિતર જ્ઞાનનું પણ અભિમાન થાય છે કે “હું જ જ્ઞાની છું, અને આ જ્ઞાન બીજા કોઈ પાસે નથી.” માટે યોગ્ય લેનાર મળી આવે તો આપવાને પણ ચૂકવું નહિ. અવસર ચૂક્યા તો પછી પણ આપવું તો પડશે, પણ તે બિનઅધિકારી આગળ ઠલવાશે તો તે લઈ શકશે નહિ અથવા સદ્ધપયોગ ભાગ્યે જ થશે. માટે અન્યને આપવું તેમાં જ સંતોષ માની યોગ્ય અધિકારી આગળ પોતાનો ખજાનો ખાલી કરવો. વ્યવહારમાં પણ આવા પ્રસંગો બનતા નજરે દેખાય છે કે એક મનુષ્ય પોતાની મિલકતનો યોગ્ય સ્થળે પોતાને હાથે સદુપયોગ કરતો નથી; અંતે તે મિલકત અહીં મૂકી જાય છે, એટલે તે કોઈના હાથમાં તો જાય છે જ. પણ તે લાયક મનુષ્ય હોય તો તેનો સદુપયોગ કરે છે, નહિતર અસદ્ ઉપયોગ તો થાય છે જ, માટે લોભ ન કરતાં યોગ્ય અધિકારી આગળ જ્ઞાનનો સદુપયોગ કરવો. શુકુલધ્યાનનાં આ ચાર આલંબનો છે : ક્રોધ, માન, માયા અને લોભ. એમનો ઘણી જ બારીકાઈથી વિચાર કરી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્રોધાદિનો પણ ત્યાગ કરવો તેનો જરા પણ વિશ્વાસ ન કરવો, કારણ તે અગ્નિના તણખા જેવા છે. એક જરા જેટલા પણ અગ્નિના તણખાની-કણીની ઉપેક્ષા કરી હોય તો હજારો ઘરોનાં ઘરો બાળીને ભસ્મ કરી નાખે છે. તેમ BURURUBURUBURURUBURURUBURURUBURBURURUBBBBBBBBBBBBBBBBBBBUBUBUBURBURGRUBR338 34€ KBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy