SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ 88888888888888888888&88& 8988 *સ ખરખરાં 8% ઉરખયાનદીપિકા ગુણગ્રાહકતાનું આંતરવર્તન રાખવાથી અભિમાનની વૃત્તિનો સહેલાઈથી નાશ સાધી શકાય છે, આ સ્થળે એટલું યાદ રાખવાનું છે કે વ્યવહાર તો જે જાતના વર્તન કે બોલવાથી ચાલતો હોય તેવો જ રાખવો, પણ આંતરગુપ્ત વર્તનથી સામાને પરમાત્માતુલ્ય સમજી તેના તરફ કરાતી અભિમાનવૃત્તિને, પોતામાં ગુપ્ત રીતે-સામાને ખબર ન પડે તેવી રીતે દાસભાવની વૃત્તિ રાખીને તોડી નાખવી. અભિમાન તોડવા માટે આ પ્રયોગ ઘણો અકસીર જણાયો છે. 83838; ગમે તેવા ગુપ્ત સ્થળે કાર્ય કરો, કોઈને ખબર ન પડે એવી રીતે છાનું કામ કરો. પણ તેનાં ફળો ઉદય પામ્યા વિના રહેવાનાં જ નથી. જેટલું છાનું કે ગુપ્ત કરાય છે તેટલું જ તે કાર્ય વધારે ફજેતો મેળવનાર કે પ્રગટતામાં વહેલું બહાર આવનાર થાય છે. જ્યાં નિયમસર મર્યાદાપૂર્વક કાર્યક્રમ ચાલે છે, કોઈના પણ પક્ષપાત વિના કર્માનુસાર યોગ્ય બદલો મળે છે, ત્યાં માયા, પ્રપંચ, કપટને અવકાશ જ ક્યાં છે ? મનુષ્યો એમ જાણતા હોય છે કે અમુક કાર્ય છાનું કરી અમે બીજાને ઠગીએ છીએ, પણ તેઓની માન્યતા ભૂલભરેલી છે. તેમાં તેઓ પોતે જ ઠગાય છે. કુદરત આ રીતે નહિ, તો બીજી રીતે, આ હાથે નહિ, તો પેલા હાથે, આજ નહિ તો કાલે, પણ તેનાં માઠાં ફળોરૂપ બદલો આપ્યા વિના રહેતી જ નથી. જો આમ જ છે તો સરલ જીવન શા માટે ન બનાવવું ? જેવા છીએ તેવા શા માટે ન દેખાવું ? સર્વ જીવોને પરમાત્માતુલ્ય અંતરદૃષ્ટિથી લેખવામાં આવે તો પછી આ માયા-કપટને રહેવાનું સ્થાન જ આ માનસિક દુનિયામાં નથી. એ નાનો અને હું (પોતાને) મોટો, આ વિષમદૃષ્ટિ થાય છે ત્યારે જ આ કપટનો પ્રયોગ પ્રયોજાય છે. આત્મદૃષ્ટિથી સર્વને સરખા-અથવા સત્તાગત પરમાત્મદૃષ્ટિથી ૩૫૪૩8833333338333333333388a8/8888&88&GsI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy