SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ 88888888 888888888x8 &888888 યાનદીપિકા 8નGS969,80,8898695;સ્કનષ્ઠરમ્પન866288 હૃદયમાં સિદ્ધચક્ર ચિંતવી જાપ કે ધ્યાન કરવું. આ અપરાજિત નામનો મહામંત્ર છે. બને તેટલો વધારે વખત આમાં રોકવો. જે પદનું ધ્યાન કરતા હોઈએ તે પદમાં આત્મઉપયોગ તદાકારે પરિણમતાં જેટલા વખત સુધી તેમાં ઉપયોગની સ્થિરતા રહે છે તેટલા વખત સુધી આપણે તે પદને ધારણ કરનાર મહાન પુરુષની સ્થિતિનો અનુભવ કરીએ છીએ. આ ધ્યાનને વધારે મજબૂત કરવા માટે જ્યારે જ્યારે જે જે પદના ધ્યાનમાં આપણું લક્ષ પરોવાયું હોય તે તે વખતે તે પદવાચક હું છું તેવી ભાવના મનથી દૃઢ કરતા રહેવું. સાધુપદમાં મન તદાકારે પરિણમ્યું એટલે સાધુ તે હું છું. સિદ્ધપદમાં મન પરિણમે ત્યારે તે સિદ્ધ તે હું છું અને જ્ઞાનપદમાં મન પરિણમે ત્યારે જ્ઞાનપદ તે હું છું. આ ધ્યાન સાથે,રાખતા જવું. ઉપયોગ તદાકારે પરિણમે છે ત્યારે “આ હું દેહધારી મનુષ્ય, શ્રાવક, સાધુ, વગેરે છું” તે ભાન ભૂલાઈ તો જાય છે અને સામા ધ્યેય (ધ્યાન કરવા લાયક જે છે તેના) આકારે પરિણમાય છે; છતાં તે સંસ્કારને વધારે દૃઢ કરવા અને ચાલુ લક્ષ, વિચારાંતરોથી ભૂલી ન જવાય તે માટે ‘તે હું છું' એવા વિચારો ચાલુ રાખવા. આ પ્રમાણે નવપદજીનું કે ગમે તે પદનું ધ્યાન કરાતું હોય તે સર્વ સ્થળે આ લક્ષ ધ્યાનમાં રાખી પ્રવૃત્તિ કરવી અને છેવટે તે પદમાં મનને વિરમાવી દેવું. અથવા માત્રિકાપદ એટલે મૂળ અક્ષરોનું ધ્યાન જેને અક્ષરબ્રહ્મ કહેવામાં આવે છે, તેનું ધ્યાન કરવું તે આ પ્રમાણે છે. નાભિમાં સોળ પાંખડીવાળા કમળની ભાવના કરવી. અને દરેક પાંખડી ઉપર એક એક સ્વર મૂકવો અ, ઞ, રૂ, , ૩, , ૠ, ૠ, છુ, હ્ર, ર્ છે, ઓ, ગૌ, ગં, મ 88888888 *88889888888888838888888a8a8888888888888૧૩૨૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy