SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા 98LG966GM,મઢમઢમ્પ,SGSSSB,Aaka શ્રેષ્ટ ક્લેક્તિ પ્રેમ 88888888888888888888 (08888888) વધે છે. કંટાળાથી નારાજ થઈ ફરી અન્યને શિક્ષા દેવાનું બંધ કરે તો અન્યાય કે અનર્થ થાય છે. એકને દોષે સર્વને સરખા ગણવા તે અયોગ્ય ગણાય. જો તેના ઉપર દ્વેષ કરે તો પોતાના ધર્મ કરતા ધાડ આવી તે ન્યાયે નવીન કર્મ બંધ થાય છે અને પરિભ્રમણમાં વધારો થાય છે એમ જાણી તેવા પ્રસંગે તેવાઓની ઉપેક્ષા કરવી તે યોગ્ય છે. જેમ આ ઉપેક્ષા કરવાનું કારણ બન્નેને દ્વેષ થતો અટકાવવાનું છે તેમ જ ઉપેક્ષા કરવાનું બીજું કારણ રાગને અટકાવવા માટેનું છે. સંસારની મલિન વાસનાને-ઇચ્છાઓને વધારે પોષણ મળે, દબાઈ ગયેલી કામાદિ વાસનાઓને ઉત્તેજન મળે તે માટે અમુક સંયોગોમાં તેવા રાગના કારણભૂત મનુષ્યોની ઉપેક્ષા કરવી પડે છે. મનુષ્યોના એકબીજા સાથે દેખીતા સ્વાર્થ રહેલા હોવાથી આ ઉપેક્ષાથી અમુક મનુષ્યને ઓછું આવે છે. દુઃખ લાગે છે. તથાપિ ભાવિ પરિણામ બન્નેના લાભમાં આવવાનું હોય તો આ ઉપેક્ષા કરવી તે પણ યોગ્ય છે. આ ઉપેક્ષા કરવાનો પ્રસંગ ત્યારે જ અમલમાં મૂકવાનો છે કે સામા મનુષ્યને સુધારી શકવાનું પોતામાં બળ ન હોય અને તેને સુધારવા જતાં પોતાને અભિમાન કે રાગદ્વેષની પરિણતિ થવાનો સંભવ હોય, વળી ઉપરની ત્રણ ભાવનાઓમાંથી એક પણ લાગુ થતી ન હોય તો પછી ચોથી ભાવના અમલમાં મૂકવી. આ મધ્યસ્થ ભાવનાથી રાગદ્વેષના કારણો ઓછાં થઈ જાય છે. આત્મસ્વરૂપમાં આગળ વધેલા કે વધવાને પ્રયત્ન કરતાં મનુષ્યોએ આ ભાવનાના બળથી મલિન-સ્વાર્થી વાસનાઓને એકદમ નાશ કરવા માટે સર્વ ઇચ્છાઓની ઉપેક્ષા કરવી. પ્રારબ્ધયોગે જે પ્રાપ્ત થાય તેમાં મધ્યસ્થપણું રાખી-રાગદ્વેષ Jain Education International 38888888888888 888a8a888388@8a8a888@88888/s38988 a[ ૨૫૧ For Private & Personal Use Only 8888888888 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy