SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBRSBURSZllot Elfus, 88888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 જેઓ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત થયેલા છે તે સર્વે અર્વનું છે તેને જે નમસ્કાર કરું છું. આ મંત્રનો જાપ ઓછામાં ઓછા નિરંતર દશ હજારનો થવો જોઈએ. તેથી મનની વિશુદ્ધિમાં ઘણી સારી મદદ મળે છે. પરિણામની વિશુદ્ધિ વિના મનની વિશુદ્ધ થતી નથી અને મનની વિશુદ્ધિ તે આત્માની જ વિશુદ્ધિ છે. તે સિવાય પણ છે નિરંતર હાલતાં, ચાલતાં જાપ ચાલુ રાખવો. દશ હજાર ન બની શકે તો પછી જેટલો બને તેટલો જાપ કરવો, પણ તે કર્યા સિવાય છૂટકો નથી. આ જાપને પણ સ્વાધ્યાય કહેવામાં આવે છે. બન્ને જાતના સ્વાધ્યાયની જરૂર છે. ઇશ્વરપ્રણિધાન જે જે ક્રિયાઓ કરવામાં આવે તેના ફળની ઇચ્છાઅભિલાષા ન રાખવી. કેમકે જ્યાં ઈચ્છા છે ત્યાં ફરી જન્મ થવા લાયક કર્મનો સંચય થાય છે. ઈચ્છાથી જ નવીન બંધ થાય છે. અથવા સર્વ ક્રિયાઓ ઈશ્વરને અર્પણ કરવી, એટલે તે ક્રિયાના ફળ તરફનો હાથ ઉઠાવી લેવો અને ઈશ્વરતા પ્રગટ થાય-આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય-તેવા એક માર્ગે જ તેનો વ્યય કરવો. અથવા સર્વ ક્રિયા યોગની શક્તિનું બળ-પરમાત્મસ્વરૂપમાં એકરસ-એકાગ્ર થવા માટે જ અર્પણ કરવું. અથવા ઈશ્વરસ્વરૂપની પ્રાપ્તિ માટે જ મહેનત કરવી. (સત્યસ્વરૂપ પ્રાપ્ત થાય તેને માટે -તે લક્ષ રાખીને જ-તે તરફ પ્રવૃત્તિ કરવી) તે ઈશ્વરપ્રણિધાન કહેવાય છે. BBBBBBBBBOROBURBERRABBBBBBBBBBBBBBBBBBBBBBBURUZKRBRUBURBUBURBURUDUB આસન - સિદ્ધાસન, પદ્માસન આદિ અનેક પ્રકારના આસનો છે. ડાબા પગની એડી શીવનીમાં દબાવવી (લિંગ અને ગુદા 290 BERBAURREREBBRRIPERERERERURDURURUBUROBBS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy