________________
८०
- સંઘયાત્રા
નગર-શહેરના દેરાસરો તેમજ વિવિધ તીર્થોના દર્શને ચતુર્વિધ સંઘ સમૂહમાં પગે ચાલીને જાય તેને સંઘયાત્રા કહે છે. આ યાત્રામાં ભાગ લેનારે છ નિયમોનું પાલન કરવું અનિવાર્ય હોય છે. ૧. એક ટંકનું ભોજન [એકાસણું કે આયંબિલ]. ૨. પદયાત્રા, ૩. ભૂમિ પર શયન. ૪. બ્રહ્મચર્યનું પાલન, ૫. સચિત્ત વસ્તુનો ત્યાગ અને ૬. સાચી શ્રદ્ધા આ છ નિયમના અવિકલ પારિભાષિક શબ્દો છેઃ જેમકે ભોંયપથારી, પાદવિહારી વગેરે. એ દરેક શબ્દનો છેલ્લો અક્ષર રી' હોય છે. આથી તેને દુરી કહે છે. તેની મુખ્યતાના કારણે તેને 'રી પાળતો સંઘ પણ કહે છે. આ યાત્રાસંઘમાં વ્યક્તિગત ધર્મની આરાધના સાથે જૈનધર્મનો પ્રચાર અને પ્રસાર પણ થાય છે. ભાવિક યાત્રિકો સ્થાનિક સંઘોની સમ્યક્ પ્રવૃત્તિ માટે યથાશક્ય દાન પણ કરે છે. તેથી યાત્રાસંઘ જે નગરોમાંથી પસાર થાય છે કે જ્યાં રોકાય છે ત્યાંના સંઘને પણ લાભ થાય છે.
→ માળારોપણ
જૈનધર્મ
સુદીર્ઘ ‘ઉપધાન તપ' કરનાર તપસ્વીનું તેમજ સંઘયાત્રાના સંયોજક અને આયોજકનું માળ” પહેરાવીને તેમની ધર્મભાવનાનું બહુમાન કરવાના પ્રસંગને માળારોપણ કહે છે. આ માળ’ નિયત વિધિ અને ક્રિયાપૂર્વક પહેરાવવામાં આવે છે. માળ' એટલે એક પ્રકારની માળા, રેશમ-જરી આદિ વિશિષ્ટ પદાર્થની તે બનેલી હોય છે. જેમ સામાન્યતઃ ફૂલહાર પહેરાવી બહુમાન કરાય છે તે પ્રમાણે તપસ્વીનું અને દાતાનું માળારોપણથી બહુમાન કરાય છે.
* ઉઘાપન
ઉઘાપન એટલે ઉત્સવ. આને ‘ઉજમણું’ પણ કહે છે. તેમાં પોતાના નિર્મળ આનંદની વહેંચણી કરવામાં આવે છે.
વિશેષ તપશ્ચર્યા કે સાધના નિર્વિઘ્ને અને સાનંદ પરિપૂર્ણ થઈ તેની ખુશાલી, તેનો આનંદ અભિવ્યક્ત કરવા ઉદ્યાપન કે ઉજમણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org