SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ૫૩ ધાર્મિક દૃષ્ટિકોણને કદાચ બાજુએ રાખીએ તો પણ ન તો શરીરશાસ્ત્ર મુજબ માંસાહાર હિતકારી છે કે ન આરોગ્યશાસ્ત્રના નિયમો મુજબ માંસાહાર ઉપયોગી નીવડે છે. આર્થિક કારણોસર તો શાકાહારની અપેક્ષાએ સરવાળે માંસાહાર વધુ ખર્ચાળ નીવડે છે. માનવશાસ્ત્રીઓ-એન્થ્રોપોલોજીના કહેવા પ્રમાણે પ્રાણીઓ બે વિભાગમાં વહેંચાયેલા છે. * કારનીવોર Camivora-માંસાહારી પ્રાણીઓ * હરબીવોર Herbivorous-શાકાહારી પ્રાણીઓ આ બંનેની શરીરરચના જુદી છે. આદતો નોખી છે. આદમીની શરીરરચના હરબીવોર વર્ગની સાથે મળતી આવે છે. એટલે કે માણસ જન્મજાત શાકાહારી છે. માંસાહાર એના માટે એક યા બીજી રીતે નુકસાનકારક બની શકે. અલબત્ત પરંપરા.... વંશાનુગત રીતિરિવાજ કે આબોહવાની આડમાં માંસાહાર જેઓ સ્વીકારી લે છે. એઓને પણ અંતે વિચારવું જ પડે છે. શાકાહારમાં તંતુમય-રેશાવાળા પદાર્થો વિશેષ માત્રામાં હોય છે. જેના વડે ભોજનનું પાચન સારી રીતે થઈને પેટ સાફ આવે છે... માંસાહારમાં રેશાવાળા પદાર્થો અલ્પમાત્રામાં હોવાના કારણે ભોજનપાચનમાં પણ તકલીફ થાય છે. પેટના... આંતરડાના રોગોના શિકાર વધુ માત્રામાં થવું પડે છે. મોટા આંતરડાના કેન્સર થવાની શકયતાને પણ અવગણી ના શકાય. જે પશુઓને મારીને આહાર બનાવવામાં આવે છે.. એમને વખતોવખત એન્ટીબોડીઝ... અને જાતજાતની વિષાણુનાશક દવાઓ અપાય છે એ પદાર્થો પરિવર્તિત થઈને ઝેરરૂપે માંસાહાર કરવાવાળા લોકોના શરીરમાં પ્રવેશે છે. ગાય વગેરેને વધુ હષ્ટપુષ્ટ બનાવવા માટે B.E.S.નામની દવાઓ અપાય છે. આ પદાર્થ જો માંસાહારમાં મળી જાય તો કેન્સર થવાની પૂરી સંભાવના રહે છે. એક અંદાજ પ્રમાણે આજથી પચ્ચીસ વરસ પહેલા જે સ્ત્રીઓને B.E.S.ની દવાઓ આપવામાં આવેલી, આજે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy