________________
જૈનધર્મ
૪૯
તમામ બંધનોથી મુકત કરવાની પ્રક્રિયાને અપનાવે છે. '
કર્મોના કુટિલ અને જટિલ બંધનોને તોડવા માટે એક માણસજાત જ પૂરી રીતે સક્ષમ અને સમર્થ બની જાય છે. - બીજા કોઈ જીવનમાં આ પ્રક્રિયા પૂરી નથી થઈ શકતી.
જો કે મુકત થવાની પ્રક્રિયામાં શરીરનો સહયોગ મહત્વનો ભાગ ભજવે છે. એ માટે શરીરની સારસંભાળ પણ જરૂરી બને છે. છતાંયે એ ના ભૂલવું જોઈએ કે આ શરીર જેમ ભૂખ-તસથી રીબાવીને સૂકવવા માટે નથી તેમ મનગમતા પદાર્થો ખવડાવીને હષ્ટપુષ્ટ કરવા માટે પણ નથી જ.
ઈન્દ્રિયો અને મન સ્વચ્છ, સ્વસ્થ અને શાંત રહે એ રીતની આહારવ્યવસ્થા સ્વીકારવી જોઇએ. વાસના અને વિકારો પર નિયંત્રણ રાખી શકાય એ રીતે ખાવું-પીવું જોઈએ. શાંત અને પવિત્ર મનોભાવવાળું વાતાવરણ આત્માને પ્રસન્નતા, પ્રવિત્રતા અને પ્રેમની દુનિયામાં લઈ જાય છે.
જયાં આપણે ઓછા-વત્તા અંશે આત્મભાવમાં ડૂબકી મારી શકીએ કે ડૂબી શકીએ
આહાર અને આરોગ્યને; આહાર અને આત્માને ઘનિષ્ટ સંબંધ છે. આહાર આરોગ્યને બગાડે પણ છે. અને સુધારે પણ છે. આહાર આત્માને દૂષિત પણ કરે છે. અને વિશુદ્ધ પણ કરે છે. જીવન જીવવા માટે આહાર અનિવાર્ય છે.આહારથી શરીર ટકે છે. શરીર નિરોગી હોય તો આત્માની સાધના સુપેરે થઈ શકે છે. આહારનું એક આગવું વિજ્ઞાન અને શાસ્ત્ર છે. આહારની તન-મન અને આત્મા પર નિર્ણયાત્મક અસર પડે છે. આ બધી બાબતોનો તલસ્પર્શી વિચાર કરીને કેટલોક આહાર નિષિદ્ધ કર્યો છે. મતલબ કે તે પદાર્થો અને વાનગીઓ તો ન જ ખવાય.
અખાદ્ય-ન ખાવા યોગ્ય આહાર આ મુજબ છેઃ - રાત્રિભોજન ત્યાગ : સૂર્યાસ્ત થયા પછી કશું જ ખાવું-પીવું ન
જોઈએ. આ માત્ર ધાર્મિક નિયમ કે વિધિ નથી. આજના વિકસિત. વિજ્ઞાને પણ રાત્રિભોજનના ત્યાગનો એકસૂરે સ્વીકાર કર્યો છે. આધુનિક વિજ્ઞાન પ્રયોગોથી સિદ્ધ કર્યું છે કે સૂર્યના પ્રકાશથી કેટલાંય કૃમિ જીવો નષ્ટ થાય છે. નષ્ટ નથી થતાં તે કૃમિ જીવો પ્રકાશહીન જગામાં છુપાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org