________________
૧૭
જૈનધર્મ
[નિર્વાણ : વીર સં. ૧૮૪] સમય સુધી દરેક સૂત્રમાં ચારેય અનુયોગ [તત્ત્વજ્ઞાન, ગણિત-ભૂગોળ, આચાર અને કથા - વાર્તા નું પ્રતિપાદન કરાતું. વિક્રમની પ્રથમ સદીમાં શ્રી આર્યરક્ષિતસૂરિએ જન્મ : વી.સં. પરર, નિર્વાણ : વી.સં. પ૯૭] આ પદ્ધતિમાં શકવર્તી પરિવર્તન કર્યું. તેમણે આગમોને ચાર વિભાગોમાં વિભકત કર્યા ૧. દ્રવ્યાનુયોગ: દાર્શનિક ચર્ચાઓ, તત્ત્વજ્ઞાન વગેરેના વિષયો ૨. ગણિતાનુયોગ: ગણિત, ખગોળ-ભૂગોળને લગતા વિષયો. ૩. ચરણકરણાનુયોગ : આચારસંહિતા, જીવનવ્યવહાર અંગે માર્ગદર્શન આપતા ગ્રંથો. ૪. ધર્મકથાનુયોગ : કથા, વાર્તા, દ્રષ્ટાંતો દ્વારા આત્મબોધ આપતા ગ્રંથો.
આગમો પર મબલખ વ્યાખ્યાત્મક સાહિત્ય પણ રચાયું છે. વિક્રમની પાંચમી, છઠ્ઠી શતાબ્દીમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ વિવિધ નિર્યુકિતઓ' દ્વારા અને વિકમની છઠી-સાતમી સદીમાં ધર્મસેનગણિ અને જિનભદ્ર ક્ષમાશ્રમણે વિવિધ “ભાષ્ય” દ્વારા આગમોની પધાત્મક વ્યાખ્યાઓ સમજાવી. તેઓએ પ્રાકૃત ભાષામાં લખ્યું, ત્યાર પછી જિનદાસ ગણિ આદિ સમર્થ ચિંતક શ્રમણોએ પ્રાકૃત અને સંસ્કૃત-પ્રાકૃત મિશ્ર ભાષામાં ગદ્યાત્મક વ્યાખ્યાઓ આપી. તેને “ચૂણિ' કહે છે. આગમોની સૌ પ્રથમ સંસ્કૃત ટીકા શ્રીહરિભદ્રસૂરિએ લખી. નિર્યુકિત, ભાષ્ય, ચૂણિ અને ટીકા એટલે આજની ભાષામાં વિવેચન, વિશદ્ વ્યાખ્યા અને વિચારણા.
આગમ અને આગમ-વ્યાખ્યા સાહિત્ય ઉપરાંત જૈન સર્જક શ્રમણોએ અને ગૃહસ્થોએ સંસ્કૃત, જૈન, મહારાષ્ટ્રી, ગુજરાતી, કન્નડ, મૈથેલી, વ્રજ, હિંદી ભાષામાં વિપુલ સર્જન કર્યું છે. ઈતિહાસ, જીવવિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન વગેરે પર લખ્યું છે. તેમણે વ્યાકરણ બનાવ્યા છે. કાવ્ય, નાટક, ચરિત્રો, કથાઓ પર કલમ ચલાવી છે. જયોતિષ, શિલ્પ, અલંકાર, છંદ, આયુર્વેદ વગેરેના શાસ્ત્રો બનાવ્યા છે. જીવનને સ્પર્શતા એક એક વિષય પર જેન સાહિત્ય સમૃદ્ધ છે, સ્તુતિ, સ્તોત્રો, સજઝાયો, સ્તવનો પણ જૈન સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org