SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ૨. સાસ્વાદન-સમ્પષ્ટિ ગુણસ્થાનક ઃ સમકિત [તત્ત્વશ્રદ્ધા] તો પ્રાપ્ત થયું. પુનઃ તે ચાલી ગયું. પરંતુ તેનો સ્વાદ રહી જાય. ઝાડ પરથી ફળ પડયું પણ જમીનને ન અડયુંઆવી સ્થિતિ જે જીવની છે તેને સાસ્વાદન-સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનક કહે છે. ૩. મિશ્ર ગુણસ્થાનક : આ સ્થાનકે જીવની સ્થિતિ ધોબીના કૂતરા જેવી હોય છે. આ સ્થાને જીવાત્મા ન સમ્યગ્દર્શી હોય છે, ન મિથ્યાત્વી. તેનું ચિત્ત ડામાડોળ હોય છે. જૈનધર્મ ૪. અવિરત સમ્યષ્ટિ ગુણસ્થાનક : નવ તત્ત્વોમાં શ્રદ્ધા હોવાથી જીવ સભ્યષ્ટિ થાય છે. પરંતુ વ્રત-નિયમ આદિ સાધના નહિ કરી શકતો હોવાથી એ અવસ્થાને અવિરત સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનક કહે છે. આ અવસ્થામાં જીવાત્માને સત્યનું જ્ઞાન અને શ્રદ્ધા બધું હોય છે પરંતુ સત્યાચરણ તે કરી શકતો નથી. આત્મચિંતન કરે છે પરંતુ આત્મસ્વરૂપ પામવા માટે પ્રયત્ન નથી કરતો. અવિરત એટલે સંયમસાધના માટે નિષ્ક્રિય અને ઉદાસ. ધર્મનું જાણું છું પણ ધર્મ કરી શકતો નથી. અધર્મને જાણું છું પણ તેનો ત્યાગ કરી શકતો નથી.’ આવી નિર્બળ મનોદશા મોટા ભાગના જીવાત્માઓની હોય છે. ૫. દેશવિરત-ગુણસ્થાનક : દેશ એટલે આંશિક, વિરત એટલે ત્યાગ. આ અવસ્થાએ જીવાત્મા મર્યાદિત ત્યાગ કરે છે. યથાશય શ્રાવકના વ્રતોનું પાલન કરે છે. એમ પણ કહ્યું છે કે જેના જીવનમાં સંયમ અને અસંયમ બંને હોય છે તેને દેશવિરત' કહે છે. આ અવસ્થાવાળા ઓછામાં ઓછા ત્રીજે અને વધુમાં વધુ ૧૫મા ભવે મોક્ષે જાય છે. ૬. પ્રમત્ત-સંયત ગુણસ્થાનક : સાધનામાં અસાવધને પ્રમત્ત કહે છે. સંયત એટલે સાધુ, સાધુ જીવનની નિયત આચારસંહિતામાં જે મનપસંદ છુટછાટ લે છે. આચારોમાં જે સાધુ અતિચાર લગાડે છે. તેને પ્રમત્ત સંયત કહે છે. તેની અવસ્થાનું સ્થાન એટલે પ્રમત્તસંયતિ ગુણસ્થાનક. આ અવસ્થા પ્રાપ્ત જીવાત્મા ત્રીજા અથવા ૧૫મા ભવે મોક્ષે જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy