________________
જૈનધર્મ ૧૩ર કે દુર્ભાવ રાખવા? મૈત્રીથી કેમ ના જીવવું?
૧૪. પ્રમોદ ભાવના ગુણીજનોના ગુણ જોઈ-સાંભળી વાંચીને, તેમજ બીજાઓનો વિવિધ વિકાસ અને પ્રગતિ જોઈને રાજી થવું, તેઓ પ્રત્યે આદર રાખવો, તેમનું બહુમાન કરવું, ગુણાનુરાગી બનવું. .
૧૫. કરુણા ભાવના : દુઃખી જીવો પર દયા-અનુકંપા રાખવી, કરુણા ચિંતવવી, દુઃખીઓના દુઃખ હળવા કરવા, તેમના આંસુ લૂછવા, જરૂરતમંદોને યથા યોગ્ય સહાયભૂત થવું.
૧૬. માધ્યસ્થ ભાવના : સમજાવવા છતાં સન્માર્ગે ન વળે તેવાં જિદ્દી, મૂઢ અને અહંકારી જીવાત્માઓ પર ગુસ્સો ન કરવો, તેમનો તિરસ્કાર ન કરવો. તેમની ઉપેક્ષા કરવી. એવા પ્રસંગે સામી વ્યકિતને સુધારી દેવાની જિદ્દ ન કરતાં, સ્વચિંતા અને સ્વચિંતન કરવું.
x
x
x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org