________________
૧૨૬
જૈનધર્મ
દર્શનના ૬૭ ગુણો છે. તેનું ધ્યાન ધરવા માટેનો રંગ ગાયના દૂધ જેવો સફેદ છે.
૭. જ્ઞાન: મોહ અને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને આત્માની ઓળખ અને અનુભૂતિ કરાવે છે, તેને “જ્ઞાન” કહે છે.
જ્ઞાનના પ૧ ગુણો છે, તેનું ધ્યાન ધરવા માટેનો રંગ ગાયના દૂધ જેવો ધ્વંત સફેદ છે.
૮. ચારિત્ર : જાગૃત પ્રહરીની જેમ સજાગતા અને સાવધતાથી આત્મભાવમાં વૃત્તિ અને પ્રવૃત્તિ રાખવી, તેને “ચાસ્ત્રિ' કહે છે.
ચારિત્રના ૭૦ ગુણ છે. તેનું ધ્યાન ધરવા માટેનો રંગ શ્વેત છે.
૯. તપ : તન-મનના વૃત્તિ, વિચાર અને આચારને સંયમિત કરવાના વિવિધ ક્વિાયોગ કે અનુષ્ઠનને “તપ” કહે છે.
તપના પ૦ ગુણ છે. તેનું ધ્યાન ધરવા માટેનો રંગ પણ ગાયના દૂધ જેવો સફેદ છે.
નવપદને “સિદ્ધચક્ર પણ કહે છે. : રત્નત્રયી
નેવપદમાં નિર્દિષ્ટ દર્શન, જ્ઞાન અને ચારિત્ર - આ ત્રણને રત્નત્રયી કહે છે. આ ત્રણની સમ્યક અને સંયુકત આરાધના એ જ સાચો મોક્ષમાર્ગ છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રાણિ મોક્ષમાર્ગ:
જીવનની સર્વાંગીણ ઉન્નતિ કરવા માટે મોક્ષમાર્ગની આરાધના માટે યથાર્થ દ્રષ્ટિ (દર્શન), યથાર્થ જ્ઞાન અને યથાર્થ આચરણ અનિવાર્ય અને આવશ્યક છે.
આ ત્રણેયની સાધનાથી આરાધક-સાઘક મુકિતને પ્રાપ્ત કરે છે. જો માણસે જિંદગીમાં કંઈક મેળવવું હોય, કંઇક બનવું હોય તો એની પાસે વસ્તુસ્થિતિને સમજવાની-ઓળખવાની સૂક્ષ્મબુદ્ધિ અથવા તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org