________________
રહો વ્યસ્ત...જીવન તંદુરસ્ત
કરો, કંઈક કરો, કંઈક સારું કરો ! સાવ નિષ્ક્રિય બનીને બેસી ન રહો ! બેસી રહેવામાં જિંદગી જડ બની જશે એનીપ્રગતિગતિમાં છે!જિંદગી બને છે જ કશુંક સારું કરવાથી ! સર્જનાત્મક બનો .... દોસ્ત ! Be creative !
આરામ કરવાથી તો જિંદગીને કાટ લાગવા માંડશે...જિંદગીના લોખંડને જો કર્તવ્યનુંપારસસ્પર્શી
જાય તો જિંદગીની –
-
એક એક પળ સોનેરી બની જાય !
એક એક ક્ષણ સોહામણી બની જાય !
આરામથી પડી રહેવા માટે જીવન નથી. જીવન છે કશુંક શુભ કરી છૂટવા માટે ! કંઈક પ્રશસ્ત કરી જવા માટે વ્યસ્ત રહો....વ્યસ્તતા તમારા દિલ-દિમાગને સ્વસ્થતા આપશે. ખાલી મન તો ભૂતનું ઘર બની જાય છે. તન વ્યસ્ત તો મન તંદુરસ્ત !
બહુ નાનું અમથું જીવન છે...સાવ આવડી અમથી જિંદગીમાંએ ઘણું બધું કરી શકીએ જો ક૨વા ધારીએ તો ! બાકી મરવાનું તો છે જ એક દિવસ ! પણ કંઈક સારું કરીને મરીએ !
મોત ઉસકી જિસકા જમાના કરે અફસોસ, વૈસે તો જીતે હૈ સબ મરને કે લિયે.
વિચારપંખી - ૩
Jain Education International
For Private & Personal Use Only
in the org