SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મિતના વમળમાં આંસુ કેટલા બધા-નાના ને ઊંડા જખમો લઈને આપણે જીવીએ છીએ ! કોઈની વાણીથી કે કોઈના વર્તનથી... આપણે દુભાઈએ છીએ.....દુણાઈએ છીએ. અલબત્ ભીતરના ઘાવને કોણ જાણી શકે કે જોઈ શકે ? માણસો માત્ર બંદૂકથી જ મરે..... એવું નથી ! એકાદ શબ્દનું તીર પણ માનવીના હૈયાને છેક ઊંડે સુધી વીંધી નાખે છે ! શબ્દો ક્યારેક મશીનગનનું કામ કરતા હોય છે. શબ્દોથી મરેલાં હૈયાઓને ઉપાડીને ફરતી જીવતી લાશોને માણસ તરીકે ઓળખવામાં આવે છે. ભીતરનું જીવન તો સાવ જ મરી જાય છે... સંકોચાઈ જાય છે, સમેટાઈજાય છે! ચહેરાનાસરોવરમાંરચાતાસ્મિતના વમળમાં મોટા ભાગે આંસુઓ છુપાયેલા હોય છે. અફકોર્સ, એ આંસુને ઓળખવા માટે આંખ કામ નથી લાગતી! ભીતરની ભોમકાને ખેડવા માટે તો ભાવનાઓની મૂડી જોઈએ...... પણ હાયે, અહીં તો.... મનુષ્યો ભાગ ભજવે છે કદી ઈશ્વરથી ચઢિયાતો ! નવા નિત મોત આપે છે ને, મરવા પણ નથી દેતા! વિચારપંખી – ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jain relbrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy