________________
સ્મિતના વમળમાં આંસુ
કેટલા બધા-નાના ને ઊંડા જખમો લઈને આપણે જીવીએ છીએ ! કોઈની વાણીથી કે કોઈના વર્તનથી... આપણે દુભાઈએ છીએ.....દુણાઈએ છીએ. અલબત્ ભીતરના ઘાવને કોણ જાણી શકે કે જોઈ શકે ?
માણસો માત્ર બંદૂકથી જ મરે..... એવું નથી ! એકાદ શબ્દનું તીર પણ માનવીના હૈયાને છેક ઊંડે સુધી વીંધી નાખે છે ! શબ્દો ક્યારેક મશીનગનનું કામ કરતા હોય છે.
શબ્દોથી મરેલાં હૈયાઓને ઉપાડીને ફરતી જીવતી લાશોને માણસ તરીકે ઓળખવામાં આવે છે. ભીતરનું જીવન તો સાવ જ મરી જાય છે... સંકોચાઈ જાય છે, સમેટાઈજાય છે! ચહેરાનાસરોવરમાંરચાતાસ્મિતના વમળમાં મોટા ભાગે આંસુઓ છુપાયેલા હોય છે. અફકોર્સ, એ આંસુને ઓળખવા માટે આંખ કામ નથી લાગતી!
ભીતરની ભોમકાને ખેડવા માટે તો ભાવનાઓની મૂડી જોઈએ......
પણ હાયે, અહીં તો.... મનુષ્યો ભાગ ભજવે છે
કદી ઈશ્વરથી ચઢિયાતો !
નવા નિત મોત આપે છે ને, મરવા પણ નથી દેતા!
વિચારપંખી – ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jain relbrary.org