________________
Jalesperao ne national
What is Life ?
Life is a Temple Decorate it દોસ્ત...
માનવજીવન એક મંદિર છે... દેવાલય છે. આપણે એ મંદિર શણગારવાનું છે! મંદિરમાં કચરો ના ભરાય! વાસનાનો કચરો ને કામનાઓનો કાટમાળ આ જીવન-મંદિરમાં ન ઠલવાય!
મંદિરના શણગાર છે.... કીર્તન નર્તન પુજન ... અર્ચન.
આરાધના - ઉપાસનાની ઉર્મિઓ જ્યાં હિલોળા લે તે દેવાલય દીપે છે – પ્રબળ પુરુષાર્થની પ્રાણ-પ્રતિષ્ઠા કરી દો આ મંદિરમાં! પછી જુઓ ! સફળતા ખુદ તમારા કદમોમાં ઝૂકશે.
-
કંઈ પણ કરો – ગમે ત્યાં જાઓ કે ગમે ત્યાં જીવો ... પણ એક વાત પ્લીઝ, ના ભૂલશો આ જીવન મંદિર છે ! એની પવિત્રતાને જરીયે દુન્યવી દ્વન્દ્વોના ડાઘ ના લાગે એની કાળજી રાખજો! સત્ય - શીલ - સંયમ અને સૌમ્યતાના શૃંગારથી શણગારો આ દિલના દેવળને !
પરોપકાર પૂજા બને, કર્તવ્યપાલન કીર્તન બને ... નમ્રતાના નૃત્યો જામે અને પ્રાણી માત્ર પ્રત્યેનો પ્રેમ પ્રાર્થના બનીને રણકી ઉઠે!
‘ઝીવન જ મવિર ફૈ’
વિચાર પંખી ૧૬૮
...
For Private & Personal Use Only
www.jainelibrary.org