SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) છે, જેઓ અમૃત ભરેલા સુવર્ણના કળશો સૂંઢમાં ઘાસ કરીને અભિષેક કરી રહેલા છે. જેમ અભ્યાસ આગળ વધશે, તેમ આ ઘ્યાન વધારે સ્ક્રૂ થશે અને તેમાં ઉપાસકને અવર્ણનીય આનંદ આવશે. આ ધ્યાન પૂરું થયા પછી નીચેનો શ્લોક બોલી પૂજનની પૂર્ણાહુતિ કરવી આહવાન ન જાનામિ, ન ચ જાનામિ પૂજન વિસજનં ન · જાનામિ, ક્ષમસ્વ પરમેશ્વરિ. - અર્થ :– (હે દેવી! તમારું આવાહન કેમ કરવું, એ હું જાણતો નથી. તમારું પૂજન કેમ કરવું, તે પણ હું જાણતો નથી, અને તમારું વિસર્જન કેમ કરવું, તે પણ હું જાણતો નથી. એટલે કે તેનો મને પૂરો ખ્યાલ નથી, તેથી તમારા આ પૂજનવિધિમાં ઘણી ભૂલો થવા સંભવ છે. તેની હે માતા! મને ક્ષમા આપ, ક્ષમા આપ.) અન્યત્ર વિધિ એવો છે કે પ્રથમ દેવીનું આહ્વાહન વું, પછી તેની સ્થાપના કરવી, પછી તેનું સંનિધિકરણ કરવું અને પછી તેનું પૂજન કરવું. આ રીતે પૂજન થયા પછી તેનું વિસર્જ઼ન કરવું. આને પણ ખેંચોપચાર જ કહેવામાં આવે છે. તેને અનુલક્ષીને આ શ્લોક રચાયેલો છે, પરંતુ તે આ પૂજનમાં પણ બોલી શકાય છે. શ્રી મહાલક્ષ્મી અષ્ટક ૐ નીર નિર્મલ સુગંધ ચંદન અખંડ અર્થાત પુષ્પરું, દીપ ગ્રૂપ નૈવેદ્ય પદ્મ ધૃત શર્કરાયુક્ત લાઠિકં; પૂજા ભવ્ય શિવસુખદાયક દુરિત કલ્મષ ખંડણું, શ્રી મહાલક્ષ્મી મહામાયા પૂજાયાં પ્રતિ ગૃહ્યતાં. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004525
Book TitleJain Sharda and Mahalaxmi Poojan
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Pujan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy