SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ છે. એક મરે તો બીજું પાછળ પ્રાણ આપી દે છે. ઉત્કટ પ્રેમનું એ દૃષ્ટાંત છે. એમ મધપૂડાની નારીની જેમ પણ કુળ વર્તે છે. કયાંક હાથી ને કાળિયારના ધર્મો માનવકુળમાં આચરાય છે. વળી કયાંક સિંહનો ધર્મ ને કયાંક સારસનો ધર્મ આચરાય છે.” એ વાત સાચી પણ...” મહાસેનાનાયક સુયોધ બે ઘડી કંઈ ગણતરી કરવા થોભ્યો. “સ્વામી, સારસ-સારસીના ધર્મ વ્યક્તિ પરત્વે સાચા હશે, પણ આજે તો કુળમાં વસ્તીની જરૂર છે. ખેતીનો વિસ્તાર થઈ ગયો છે, રાજ્યનો સીમાપ્રદેશ અમર્યાદિત રીતે વધતો જાય છે. એ વેળા માનવોની અછત કેમ પાલવે ? આજે સંખ્યાની જરૂર છે. અને એ માટે મધપૂડાની રાણીના ધર્મ કરતાં, હાથીના ટોળાના ધર્મની મને ખાસ જરૂર લાગે છે.” સુયોધ જાણે સ્વામીની પાસે અનુભવી બની ગયો. થોડી વાર થોભીને પાછો એ બોલ્યો : અવિનય લાગે તો સેવક ક્ષમાનો હકદાર છે, પણ પ્રભુ એક સ્ત્રી પાંચ પુરુષને પરણે અને એક પુરુષ પાંચ સ્ત્રીને પરણે, આ બેમાં પહેલા કરતાં બીજો પ્રકાર આજના કાળમાં ઉત્તમ છે. છ વર્ષમાં પહેલા પ્રકારથી લગભગ પાંચ બાળક મળે, ત્યારે બીજા પ્રકારથી લગભગ ૨૦ થી ૨૫ મળે. માનવોદ્ધાર માટે માનવીની ખૂબ જરૂર છે. ધરતી આખી વણખેડાયેલી પડી છે, વળી સંગ્રામમાં નર ઘણા હણાયા છે, નારીની છત પણ ઘણી છે. મારા અભિપ્રાય પરત્વે આપનું મંતવ્ય માગું છું, પ્રભુ.” “દેશ-કાળને અનુલક્ષીને તારું કથન સત્ય છે. આવશ્યકતા પ્રમાણે પરિવર્તન થયા જ કરે છે. પરિવર્તનમાત્ર પાપ નથી, પણ એ પરિવર્તનમાં જીવનનું સાચું મૂલ્યાંકન હોવું ઘટે. આજનું સારું આવતી કાલે ભલે ખોટું ઠરે; પણ એની પ્રામાણિકતા ‘આજ માટેની ઉપયોગિતામાં છે. આથીય વિચિત્ર માનવજીવનો પૃથ્વીપટ પર વિસ્તરેલાં છે. પરિસ્થિતિએ એમને ચિત્ર કે વિચિત્ર બનાવેલાં છે. આજે મારે જે કહેવાનું છે, એ આ અંગે જ કહેવાનું છે.” * યૂરોપમાં ખ્રિસ્તી ધર્મમાં – એક પત્નીનો કાયદો છે. છેલ્લા યુદ્ધ પછી, નરજાતિના મોટા સંહાર પછી, ઘણી સ્ત્રીઓ વધી પડી હતી. પણ કાયદેસર કોઈ પણ બે પત્ની ન કરી શકવાથી ઘણી સ્ત્રીઓને વેશ્યાવૃત્તિ આચરવી પડી હતી. બહુપત્નીના રિવાજ પાછળ મૌલિક તત્વ લેંગિક સ્વેચ્છાને જાળવવાનું હોવું જોઈએ. ૨૦ર ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy