SearchBrowseAboutContactDonate
Page Preview
Page 910
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૬ તેની સુવર્ણજયંતી ઊજવાઈ ચૂકી છે. ધાર્મિક પ્રવૃત્તિ માટે તેમણે કોચીન સ્નાત્રમંડળની સ્થાપના કરી. તેઓ કે.ડી.ઓ. મહિલા મંચના સ્થાપક પ્રમુખ હોવા ઉપરાંત જૈન સોશ્યલ ગ્રુપની કાર્યવાહક સમિતિના સભ્ય રહી ચૂક્યાં છે. સંગીત તેમના શ્વાસમાં સમાયું છે. સંગીતનો વારસો તેમનાં માતા-પિતા તરફથી મળ્યો. જીવનસાથી પણ એવા મળ્યા કે જેમને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન તેમજ તબલાવાદનનો શોખ હોય. જાણે સૂર સાથે તાલનું સાયુજ્ય! તેથી જ તેમના ઘરના કણેકણમાં સંગીત સતત ગુંજતું રહ્યું છે. ભક્તિ-સંગીતમાં તેમને વિશેષ રુચિ છે. પૂજાઓ ભણાવવામાં તેમની જોડ જડે તેમ નથી. તેઓની પૂજાઓ, ભાવનાઓ, સ્તવનોની કેસેટ બહાર પડી ચૂકી છે. આઠ વર્ષની ઉંમરથી શરૂ થયેલ સંગીતયાત્રા આજે ૭૮ વર્ષની ઉંમરે પણ અવિરત ચાલુ રહી છે. મધુર અને સુરીલા કંઠનાં માલિકણ આજે પણ ઈશ્વરકૃપાથી સંગીતમાં ઓતપ્રોત થઈ ભાવવિભોર બની જાય છે. સંગીતના રાહે સાધનાની મંઝિલની સફરમાં સાંભળનારને પણ તેઓ પોતાના સથવારે લઈ લે છે. તેઓ પૂજા ભણાવવા, ભક્તિ કે પ્રાર્થના કાર્યક્રમ સેવાભાવે કરવા ગામે-ગામ ફર્યા છે. અનેક યાત્રાઓ કરી છે. ભારતમાં રાજકોટ, જામનગર, સમેતશિખરજી, પાવાપુરી, કલકત્તા, મુંબઈ, મદ્રાસ, બેંગ્લોર, કોઈમ્બતુર, લાતુર, કચ્છ વગેરે સ્થળો ઉપરાંત વિદેશમાં યુરોપ, અમેરિકા, કેનેડા, સિલોન, સિંગાપોર, મોમ્બાસા, નાઇરોબી જેવાં સ્થળોએ તેમણે ભક્તિપ્રવાસ-યાત્રા કર્યા છે. ભક્તિ સંગીત માટે તેમને અનેક સ્થળોએ વિધવિધ માન-સન્માન મળેલ છે. સંગીત ઉપરાંત ધ્યાન-જાપ–સ્વાધ્યાય, પ્રાણાયામ યોગ વગેરે પ્રવૃત્તિમાં હજી પણ તેઓ વ્યસ્ત છે. સંગીતને માત્ર પોતાના સુધી સીમિત ન રાખતાં તેમણે થોડાં શિષ્યાઓને પણ તૈયાર કરી ભક્તિસંગીતનો વ્યાપ વધારવા પ્રયત્નશીલ રહ્યાં છે. ધાર્મિક ક્ષેત્રે પણ તેઓ યથાશક્તિ ધર્મકાર્ય કરતાં રહે છે. સજોડે નવાણું ચોમાસાં કર્યા છે. જીવિત મહોત્સવ કરવા ઉપરાંત દાન પણ કરતાં રહ્યાં છે. આંગી–અખંડ દીપકની તિથિઓ લખાવવા ઉપરાંત તેમણે કચ્છમાં સુથરી ખાતે અને કોચીનમાં સાધનામંદિરો અનુકમે તેમનાં સાસુ તથા સસરાનાં સ્મરણાર્થે બંધાવી સંઘને અર્પણ કરેલ છે. | સામાજિક ક્ષેત્રે તેમણે કોલેજ લાયબ્રેરીમાં ૫0000 અને ૨૫00 મકાન ફંડમાં આપ્યા છે. શિલ્પા સ્કૂલ હેન્ડીકેપમાં ચતુર્વિધ સંઘ રૂા. ૧૦૦૦૦ અને આંખના ફ્રી ઓપરેશન માટે રૂ. ૧૦૦૦૦ દાનમાં આપેલ છે. જ્ઞાતિના ઉત્કર્ષ માટે પોતાનાં પહેરેલાં ઘરેણાં દાનમાં આપી દીધાં હતાં. તેઓ વ્યવહારકુશળ, આધ્યાત્મિક અને લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવે છે. “બાઈ'ના હુલામણા નામથી ઓળખાતાં લીલાવતીબહેન સૌમ્ય વ્યક્તિત્વ, નીડર મંતવ્ય અને સાહજિક નેતાગીરી જેવા નૈસર્ગિક ગુણો ધરાવે છે. તપસ્વીરા : ધર્મપરાયણ શ્રીમતી દુગઈબાઈ ચંપાલાલજી બાફના રાજસ્થાનના સાદડી નિવાસી સ્વ. શાંતિબાઈ અને ગંભીરમલજી બાફનાનાં પુત્રવધૂ અને કોઈમ્બતુર સમાજના આગેવાન ધર્માનુરાગી-દાનવીર શ્રી ચંપાલાલજી બાફનાનાં ધર્મપત્ની શ્રીમતી દુર્ગાબહેન ખરા અર્થમાં તપસ્વીરત્ના છે. ૫)થી વધારે સભ્યોના વિશાળ પરિવારનાં વડીલ છે. અનેક આ. ભગવંતોની આશિષ મેળવી છે. કોઈમ્બતુરમાં આ તપસ્વી રત્નાથી–આ પરિવારથી કોઈ જ અજાણ નથી. આજે પણ તેઓ અનેકો તીર્થોની યાત્રા-તપ સાથે કરી રહ્યાં છે. પૂ. ગુરુભગવંતોની નિશ્રામાં અને સાંનિધ્યમાં આજ સુધીમાં જે જે તપસ્યા કરી તેનું પણ વિહંગાવલોકન કરીએપૂ. આ. શ્રી લક્ષ્મણસૂરિજી મ.ની નિશ્રામાં ઉપધાન તપ, પૂ. આ શ્રી વિક્રમસૂરિજી મ.ની નિશ્રામાં માસક્ષમણ તપ. પૂ. આ. શ્રી નવીનસૂરિજી મ.ની નિશ્રામાં સોળ ઉપધાન તપ. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિજી મ.ની નિશ્રામાં મોક્ષદંડક તથા સિંહાસન તપ, પૂ. આ. શ્રી ઇન્દ્રદીમ્નસૂરિજી મ.ની નિશ્રામાં પાલિતાણામાં ચાતુર્માસ દરમ્યાન ઉગ્ર તપસ્યા, પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરિજી મ.ની નિશ્રામાં ૪૫ ઉપવાસ તપ, પૂ. આ. શ્રી ભદ્રગુપ્તસૂરિજી મ.ની નિશ્રામાં શ્રેણી તપ, ૫. આ. શ્રી સ્થલભદ્રસૂરિજી મ.ની નિશ્રામાં ભદ્ર તપ, પૂ. આ. શ્રી રાજયશસૂરિજી મ.ની નિશ્રામાં તપારાધનાનો અવસર પણ પ્રાપ્ત કર્યો છે. ડ. નરપત સોલંકી [તમસો મા જયોર્તિગમય:] દક્ષિણ ભારતના બેંગ્લોરના ડૉ. નરપત સોલંકી, જે એક Jain Education Intemational Jain Education Interational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy