SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા જિનશાસનના સુકાની ગુરુવર્યો –વિનોદરાય ગુલાબચંદ શેઠ આ લેખમાળાના સંકલનકર્તા વિનોદભાઈનો અમારા દ્વારા જૈન ધર્મના ગ્રંથોના સંપાદન-પ્રકાશનમાં પ્રથમથી જ સહયોગ રહ્યો છે. તેમનો સહયોગ આત્મીય તો ખરો જ, સાથે ઊંડી સમજ અને ચોકસાઈપૂર્વકનો રહ્યો છે. આજ સુધીનો અમારો એક અનુભવ છે કે ગ્રંથનું મેટર જોવરાવતાં કોઈ લેખની વિવાદાસ્પદ વાતનું સમાધાન અમને મોટે ભાગે વિનોદભાઈ પાસેથી જ મળતું રહ્યું છે. તેઓએ “જૈન' પત્રનું ઘણાં વર્ષો સુધી સંચાલન કરીને નામ મેળવ્યું છે. જો કે તેમના કહેવા મુજબ “જૈન પત્રના માધ્યમે પોતાના દાદા શ્રી દેવચંદભાઈ અને પિતાશ્રી ગુલાબચંદભાઈના પુરુષાર્થનું આ પરિણામ છે. | વિનોદભાઈએ અમારા પ્રકાશનોમાં શાસનપ્રભાવક શ્રમણ ભગવંતો'માં વિશેષરૂપે અને જિનશાસનનાં શ્રમણીરત્નો', ‘ગુરુ ગૌતમસ્વામી’, ‘યક્ષરાજશ્રી માણિભદ્રદેવ” તથા “શાસનદેવી પદ્માવતી'ના સંપાદનકાર્યમાં પ્રમાણમ્રાં ઠીક ઠીક જે સહયોગ આપ્યો હતો એવો જ સહયોગ આ વખતે પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ ‘શ્રી ચતુર્વિધ સંઘ' ગ્રંથમાં એક લેખ તૈયાર કરીને આપ્યો છે. આમ વખતોવખત તેમનાં સહયોગ અને માર્ગદર્શન મળવા બદલ અમે તેમના ખૂબ ખૂબ આભારી છીએ. પ્રસ્તુત લેખમાળામાં પ્રથમ શ્રી સુધર્માસ્વામી ગણધરનું જીવનવૃત્ત છે, જેમણે શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ પછી “શ્રી ચતુર્વિધસંઘનું સૌપ્રથમ સુકાન સંભાળ્યું, દીપાવ્યું અને આગળ ધપાવ્યું. તેમનાથી શરૂ થયેલ વીરશાસનની આ શ્રમણપ્રધાન પાટપરંપરા આજે પણ પ્રકાશી આપણને ધન્ય બનાવી રહી છે. આ શ્રમણપ્રધાન પાટપરંપરામાં આર્ય સુહસ્તિસૂરિ કે જેમણે સમ્રાટ સંપ્રતિને પ્રતિબોધી જિનશાસનની અત્ર-તત્ર-સર્વત્ર પ્રભાવના વિસ્તારી; આર્ય રક્ષિતસૂરિ અને શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણનું આગમશાસ્ત્રમાં વિશિષ્ટ પ્રદાન; આચાર્ય જગતચંદ્રસૂરિના તપ-તેજથી ‘તપાગચ્છનું પ્રવર્તન; આ0 હીરવિજયસૂરિના સમાગમ અને ઉપદેશથી બાદશાહ અકબરનો જૈનધર્મ પર અહોભાવ; અચલગચ્છ અને પાર્થચંદ્રગચ્છના પ્રવર્તક સૂરિમહારાજો; જગપ્રસિદ્ધ રાણકપુર તીર્થના પ્રતિષ્ઠાપક આચાર્યશ્રી આદિની ગૌરવગાથા આલેખવામાં આવી છે. વાંચનાર સૌ કોઈને સ્પર્શી જાય એવી આ લેખમાળા પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ. – સંપાદક વીરશાસનના પ્રથમ સંઘનાયક શ્રી સુધર્માસ્વામી ગણધર વિ. સં. પૂર્વે ૪૧૭ના આસો વદિ અમાસની પાછલી રાતે ભગવાન શ્રી મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા. એ સમયે તેમના ૧૧ ગણધરોમાં બે જ વિદ્યમાન હતા. તે પૈકી શ્રી ગૌતમસ્વામી ગણધર બીજા જ દિવસે વહેલી સવારે કેવલજ્ઞાન પામતાં શ્રી સુધર્માસ્વામી ગણધર એકમાત્ર સંઘનાયક થવા યોગ્ય રહ્યા, એટલે ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીની પાટે સર્વ પ્રથમ શ્રી સુધર્માસ્વામી આવ્યા. આજના સમસ્ત શ્રમણ-સંઘનો મૂળ ગચ્છ નિગ્રંન્ચગચ્છ છે. શ્રી સુધર્માસ્વામી આ ગચ્છના સ્થાપક હતા. આ કારણે આજનો સમસ્ત શ્રમણસમૂહ તેમના અનુયાયી ગણાય. શ્રી સુધર્માસ્વામીનો જન્મ વિ. સં. પૂર્વે પપ0માં મગધદેશના કોલ્લાગસન્નિવેશ ગામે થયો હતો. તેમના પિતાનું નામ ધમ્મિલ અને માતાનું નામ ભક્િલા હતું. તેઓ અગ્નિવૈશ્યાયન ગોત્રીય માહ્મણ હતા. શ્રી સુધર્માસ્વામી વિદ્યોપાસનામાં ઋક, સામ, યજુ, અથર્વ એ ચાર વેદો; શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્તિ, છંદ અને જ્યોતિષ એ છ વેદાંગો અને મીમાંસા, ન્યાય, ધર્મદર્શન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy