SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૨૬ માસક્ષમણ, ૩૬, ૪૫, ૫૧, ૫૨, ૬૮ ૭૦, ૭૨ ઉપવાસ કરનારાં તપસ્વી સાધ્વીભગવંતો પણ વિદ્યમાન છે. પૂજ્ય સાધ્વી ભગવંતોના બે સાંસારિક કાકાશ્રી–આ. શ્રી જિતેન્દ્ર સૂ. મ., આ. શ્રી ગુણરત્ન સૂ. મે સા., કાકી સા. પુષ્પલતાશ્રીજી (ગુરુણી) સા. ફઈના દીકરા–પં. રશિમરત્ન વિ. મ. સા, કાકાની દીકરી સા. શ્રી મનીષરેખાશ્રીજી છે. (૨) ૧૮૫ શિષ્યા-પ્રશિષ્યાઓની ગુરુમાતાશ્રી દ્વારા આટલી નાની વયમાં જ ૨૧ વર્ષના અલ્પ દીક્ષાપર્યાયમાં વિશાળ શ્રમણીર્વાદોનો યોગક્ષેમ સુંદર રીતે થતો જોઈને ભલભલાં આશ્ચર્યચકિત થઈ જાય છે. આવા અનેક ગણાલંકત તેઓશ્રીની યોગ્યતાને નિહાળીને ગીતાર્થ મૂર્ધન્ય, સિદ્ધાંત દિવાકર સુવિશાળ ગચ્છાધિપતિ શ્રી પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયદઘોષસૂરીશ્વરજી મ. સાહેબે પ્રવર્તિની પદ આપવાનો નિર્ણય કર્યો અને ૨૦૫૩ની સાલમાં માગસર સુદ-૩, શુક્રવારના પાવન દિવસે રાજનગર અમદાવાદના શાહીબાગ, અરિહંતનગરે દેવાધિદેવ શ્રી વાસુપૂજ્ય સ્વામીની અંજનશલાકા પ્રતિષ્ઠાનાં તાળી રહ્યા પતિ ના શુભદિવસે ૫.પૂ. આ. દેવશ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા., પ.પૂ. આ. કે. શ્રીમદ્વિજય જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ. પૂ. આ. દેવશ્રી મદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. ઇત્યાદિ આચાર્યો તથા પંન્યાસજી અનેક ગણિવર્યો તથા દ્વિશતાધિક શ્રમણ-શ્રમણીની પાવન ઉપસ્થિતિ તેમ જ હજારોની જનમેદની સમક્ષ પ.પૂ. ગચ્છાધિપતિશ્રીનાં જ વરદ્ હસ્તે પ. પૂ. ગુરુદેવશ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા. ને ઉત્તમ શ્રેષ્ઠ પ્રવર્તિની પદ ઉપર આરૂઢ કરાયાં. આવાં પ્રશાંતમૂર્તિ, વાત્સલ્યદાત્રી, ઉત્કૃષ્ટ ત્યાગી-વૈરાગી અને ૧૮૫ શિષ્યા-પ્રશિષ્યાઓનો વિશાળ શ્રમણીર્વાદ ધરાવતાં પૂ. સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રીજીને કોટિ કોટિ વંદન હો! સૌજન્ય : સંઘવી ભેરૂમલજી પરિવાર -પ્રવર્તિની સાધ્વી શ્રી ગુણત્તરેખાશ્રીજી મહારાજ બા” થી “બા મહારાજ’ પૂ. સા. શ્રી ઉપશાંતશ્રીજી મહારાજ ગરવી ગુજરાતના ઘરેણા જેવી ધરતી ને ધર્મની સંસ્કારનગરી સુરતના આઠ-આઠ દીક્ષિતોના પુણ્યશાળી પરિવારના શ્રી ચિમનભાઈ સંઘવી તથા માતા કમળાના સુપુત્ર શ્રી શાંતિલાલે શ્રી કલ્યાણચંદ દેવચંદ જરીવાળા કુટુંબનાં શ્રી ચૂનીલાલ મતા દયાબહેનની લાડલી ઢબલી-વીરમતી પૂ. સા. શ્રી ઉપશાંતશ્રીજી સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. મધમીઠાં સંસારમાં ચતુર્વિધ સંઘ ત્રણ દીકરી ને એક દીકરા રૂપી ફૂલડાં ખીલ્યાં. મહિયર-સાસર બંને પક્ષના ધર્મસંસ્કારે રંગાયેલી માતા પોતાનાં સંતાનો પ્રવજ્યાના પાવન પંથના પ્રવાસી બને તેવી સદૈવ ચીવટ રાખતાં, જેને પરિણામે દીકરો હેમંત (ઉ. વ. ૧૨) હાલ પૂ. આ. શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા દીકરી નયના (ઉ. વ. ૧૪) હાલ પૂ. સા. શ્રી યશસ્વિનીશ્રીજી મ. બંને સંતાનોને જોઈ માતા હરખાતી અને વિચારતી કે મારે મારું પણ જીવનસાફલ્ય કરવું હોય તો સંયમના શ્રેષ્ઠ માર્ગે જવું જ રહ્યું! અને એવી સોનેરી ક્ષણની રાહ જોતી. ત્યાં યોગાનુયોગ દિયરશ્રી જયંતીભાઈ (ઉં. વ. ૬૮)ની દીક્ષા નક્કી થતાં વરસોની ભાવનામાં ઘોડાપૂર આવ્યાં અને પતિદેવશ્રી શાંતિભાઈ (ઉં. વ. ૮૪) સાથે સજોડે દીક્ષાનું નક્કી થયું. આવો દીક્ષાનો માહોલ જોતાં ઘેર મહેમાન બની આવેલાં કલકત્તાનાં કંચનબહેન (હાલ પૂ. સા. શ્રી કૈરવગુણાશ્રીજી)ને પણ વીતરાગભાવ જાગતાં તેઓએ પણ દીક્ષિત થવા તૈયારી દર્શાવી. આમ એકના બદલે પાંચ-પાંચ દીક્ષાનો પંચામૃત મહોત્સવ ઊજવાયો. સુરતનગરી દીક્ષાઘેલી બની. જીવનસંધ્યાએ મહામૂલો સંયમ મળ્યો. સેવેલાં સ્વપ્નો સાકાર થયાં, તો મેળવેલ સંયમ અધિકતમ કેમ સફળ બને? તે માટે અપ્રમત્ત સંયમ સાધવા લાગ્યાં. વિનય–વૈયાવચ્ચ તથા સ્વાનુભવની જ્ઞાનલહાણી અને નાનામોટા સાથેના સાલસ વ્યવહારથી તેમની સુવાસ ચોમેર પ્રસરી ગઈ, પાસે આવેલાને “બા” જેવી મમતા મળતી તેથી તેઓ “બા મહારાજના લાડીલા નામે લોકજીભે ને હૈયે વસી ગયાં! જીવન માપવાનું બાકી છે અને માપ વગરનાં અમાપ પાપો પખાળવાનાં બાકી છે તે જાણી કર્મસત્તા સામે જંગે ચડ્યાં. હાર્ટની વધતી જતી તકલીફ છતાં દવા હાથમાં રાખી અપ્રમત્તભાવે લોચ કરાવ્યો. બાયપાસ સર્જરી કરાવવાની અનિચ્છા છતાં મનોમંથનને અંતે બોમ્બે હોસ્પિટલમાં દાખલ થયાં. પૂ. આ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., શ્રી સોમચંદ્રસૂરિ મ.સા.-શ્રી સંવેગચંદ્ર વિ. મ.સા.-શ્રી નિર્વેદચંદ્ર વિ. મ.સા. વગેરે મળવા ગયા ત્યારે પથારીમાં પણ લાગનારા દોષોનાં પાયશ્ચિત લેવાની વાત કરતાં તો તેની દોષોનાં પ્રાયશ્ચિત લેવાની વાત કરતાં હતાં. કેવી જાગૃતિ! કેવી પાપભીરુતા! શાસનના કોહિનૂર હીરા જેવા દીકરા મહારાજ સોમચંદ્રસુરિજી પણ સાથે જ હતા, ત્યારે કોને ખબર કે “માદીકરાનું આ મિલન આખરી હશે?” પુત્ર મહારાજે માતાની અંતિમ ઇચ્છા વિશે પૂછયું ત્યારે જવાબ મળ્યો “તમને દીક્ષિત કર્યા બાદ આચાર્યપદે જોયા પછી હવે મારી કોઈ ઇચ્છા બાકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy