SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૦૩ તવારીખની તેજછાયા મૃત્યુ સમયે મહાપ્રયાણ એજ પાલડી વિસ્તારમાંથી કર્યું. કેવો આ જોગાનુજોગ! વદન હો સમર્પિત વ્યક્તિત્વના સ્વામી પૂ. સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજને! જીવનતવારીખો : દીક્ષા : વિ. સં. ૧૯૮૩, વૈશાખ વદ૬, શેરીસા તીર્થ, વડી દીક્ષા : વિ. સં. ૧૯૮૪, ફાગણ સુદ-૨, સુરત, કાળધર્મ : વિ. સં. ૨૦૫૨, કાર્તિક પૂર્ણિમા, અમદાવાદ કચ્છ વાગડ દેશોદ્ધારક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના અને સંયમ, સમતા અને સરલતાનાં મૂર્તિ પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ રામચન્દ્ર મહારાજનાં આશાવર્તી પૂ. સાધ્વીજી હેમશ્રીજી મ.સા. માનવજીવન સતત ચક્ર સમાન ગતિશીલ છે. રોગ, શોક. દુઃખ-સુખ સાથે સંકળાયેલ જીવનસાગરમાં ક્યારેક ભરતી અને કયારેક ઓટ પણ આવી જાય છે, તો વળી ક્યારેક પાનખરની 0 સ્થા, પાનખરની સજા અને ક્યારેક વસંતની મજા પણ આવે છે. જીવનમાં સુમનની સૌરભ અને કંટકની કાતિલ વેદના પણ હોય છે. આવા વિરોધાભાસી, વિચિત્રતા અને વિવિધતાથી ભરેલા માનવજીવનમાં પૂજ્ય હેમશ્રીજી મ. ધર્મસાધના–આત્મ આરાધના કરતાં કરતાં અનેકના જીવનને આજે આદર્શ આપી રહ્યાં છે. પૂજ્યશ્રીનો જન્મ વિ. સં. ૧૯૫૯ના વૈ. સુ. ૬ના રોજ અમદાવાદની પુણ્યભૂમિ પર થયો. પિતાનું નામ લાલભાઈ, માતાનું નામ મણિબહેન-જ્ઞાતિએ દશા પોરવાડ હતાં. સંતાનમાં તેઓ એક જ હતાં. અતિ સુકોમળ કાયાને જોઈ તેમનું નામ જાસુદબહેન રાખ્યું અને તેજસ્વી દેખાતાં હોઈ બીજું નામ હીરાબહેન પણ રાખેલ. બાલ્યકાળથી જ અતિશોખીન. હાસ્યરસિક છતાં વિનયી, વિવેકી, મધુરભાષી અને લજ્જાળુ હતાં. બાલ્યાવસ્થામાં જ માતાની વિદાય થતાં પૂ. દાદીમાના અસીમ વાત્સલ્યમાં દિવસો, વર્ષો વિતાવવાં લાગ્યાં. યુવાવસ્થામાં પ્રવેશતાં જ સંસારનાં ક્રમ મુજબ ૧૬ વર્ષની વયે લગ્નગ્રંથિથી જોડાયાં. શ્વસુર પક્ષે ધર્મચિ વિશેષ-આવશ્યક ધર્મારાધના સાથે જિનવાણી શ્રવણ અચૂક કરવાનો નિયમ ઘરના પ્રત્યેક સભ્યને હતો તે નિયમ સંસારત્યાગ માટે, પૂજ્યશ્રીની જિનવાણી શ્રવણના માધ્યમે ઉપકારી બની ગયો. સિદ્ધાંતનિષ્ઠ, મોક્ષકલક્ષી દેશનાદાતા, દીક્ષાનાં દાનવીર, સમકિતદાતા પરમ પૂ. આચાર્ય દે. શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની દેશના રાજનગરની પ્રત્યેક પોળમાં જોરશોરથી પ્રવચન શ્રેણી રૂપે ચાલુ હતી. તે દેશનામાં વિલાસી જીવન જીવતાં આ જાસુદબહેન નિયમના માધ્યમથી જોડાઈ ગયાં અને સંસાર-રસને નીચોવતાં અનેક નવપરિણિત જીવોનાં હૈયામાં ત્યાગની જ્યોતને ઝગવતાં પ્રવચન શ્રવણથી જાસુદબહેન પણ વૈરાગી બન્યાં. વૈરાગ્યભાવના દઢ બનતાં સંયમની તાલાવેલી જાગી, પણ શ્વસુર પક્ષથી સંયમની અનુમતિ ન મળતાં ધર્મમાં જ મન છે સ્થિર જેમનું એવાં આ જાસુદબહેન પિયરમાં આવી ગયાં. નિરુપાયે સંસારમાં રહ્યાં. અનેક કઠણાઈ બાદ પ્રબળ રાગ-સંયમનો અને દૃઢ મનોબળનાં યોગે તેમની સખીનાં સુશ્રાવક અને પૂજ્ય સાહેબજીનાં અનન્ય ભક્ત બકુભાઈ શેઠની સહાયથી અનુકૂળ સંયોગ પ્રાપ્ત થતાં ગૃહસ્થ જીવનના શણગાર, જૈનશાસનના અણગાર બન્યા. કચ્છ વાગડ દેશોદ્ધારક પરમપૂજ્ય આ. કે. શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાવર્તી વિદુષી, ૫. પૂ. ચતુશ્રીજી મ.સા.નાં શિષ્યા પૂ. ચરણશ્રીજી મ.નાં ચરણકમલમાં જીવન સમર્પિત કર્યું. વિ. સં. ૧૯૮૯ના માગસર વ. ૨-ના પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાનાં હસ્તે સંયમી બન્યાં અને પૂ. હેમશ્રીજી મ.સા. નામ જાહેર થયું. ગુરુકુલવાસમાં રહી વિનય, નમ્રતા, સમતા, સરળતા અને અપ્રતિપાતિ વૈયાવચ્ચ ગુણથી પોતાના આત્માને શુભ ભાવોથી ભાવિત કરી સંયમસાધનાને સુદઢતાથી સાધતાં, વૈરાગ્ય અને ત્યાગમય જીવન જીવતા અનેક ભવ્યાત્માઓને આચારમય ઉપદેશક બન્યા. આ સાથે ઉદારતા, વિશાળતા અને અભુત લઘુતા ગુણ એક શણગાર સ્વરૂપ હતો. અન્યના કરેલા થોડા પણ ઉપકારને કયારેય ભૂલતાં નહીં. નાનાની ઉપેક્ષા નહીં, મોટાને આદેશ નહીં. પૂજ્યો પ્રત્યે પૂજ્યભાવ સાથે ધર્યતા, બહુમાન, સત્યતા, નમ્રતા, સરળતા, ક્ષમતા, સહનશીલતા વિ. ગુણો સ્તુત્ય છે. તેથી જ સદા સમાધિમાં લીન રહેતાં શારીરિક સ્વસ્થતામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિહર્યા અને રાજસ્થાનની પવિત્ર તીર્થભૂમિમાં દર્શનીય-વંદનીય જિનચેત્યો અને જિનબિંબોને જુહારી સદર્શનને નિર્મળ કરતાં. શરીર જર્જરિત થતાં રાજનગરમાં અલગ (૨) ક્ષેત્રમાં ચાતુર્માસ કરી અનેક ભાવુકોને ધર્મ અર્પણ કરાવી પોતાની ગુણવાસના દ્વારા દેશવિરતિને પાત્ર બનાવ્યાં. આ રીતે આશ્રિત વર્ગને પણ સંયમમાર્ગમાં સ્થિરતા સાથે પ્રગતિની પ્રેરણાનું પાન કરાવતાં તેઓશ્રી સંયમજીવનનાં ૭૪ વર્ષ પૂર્ણ કરી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy