SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા (પૂ. સા. શ્રી ચંદ્રયશાશ્રીજી મ.સા.) તેમનાં પગલે પગલે તેમની નાની બહેન સુરેખાએ પણ શંખેશ્વર તીર્થમાં દીક્ષા ગ્રહણ કરેલ છે. તેઓ પણ માસક્ષમણ, વર્ષીતપ, વર્ધમાન તપની ઓળીઓ વગેરે તપશ્ચર્યામાં આગળ વધી રહેલ છે. ધન્ય છે આવાં મહાતપસ્વી સાધ્વીજી ભગવંતોને!... પ્રાયઃ સળંગ ચોવિહારી ૧૦૮ છઠ્ઠ સહ ૯-૯ યાત્રા ! ! ! પૂ.સા. શ્રી સૂર્યશાશ્રીજી મ.સા. એક મહા તપસ્વી સાધ્વીજીએ પ્રાય: સળંગ ચોવિહારી ૧૦૮ છઠ્ઠ કરી. દરેક છઠ્ઠમાં સિદ્ધાચલજી મહાતીર્થની ૭-૭ યાત્રાઓ કરી! દરેક છઠ્ઠના પારણાના દિવસે વ્યાસણું કરતાં. એ દિવસે પણ ર યાત્રાઓ કર્યા પછી જ પારણું કરતાં, એટલે ૩ દિવસમાં કુલ ૯ યાત્રાઓ કર્યા પછી જ પારણું કરતાં!.. ધન્ય છે એમની તપોનિષ્ઠાને! તીર્થ ભકિતને!! દૃઢ મનોબળને! ! ! સંસારપક્ષે એમનાં ત્રણેય સુપુત્રીઓએ પણ સંયમ અંગીકાર કરેલ છે! તેઓ મૂળ માલવાના વતની હતાં. તેમના નામનો પૂર્વાર્ધ પાંચ પ્રકારના જ્યોતિષી દેવોના વિમાનોમાંથી એક પ્રકારને સુચવે છે તથા ઉત્તરાર્ધ નામ કર્મની એક પુણ્ય પ્રકૃતિને સૂચવે છે! (પૂ. સા. શ્રી સૂર્યયશાશ્રીજી મ.સા.) તેઓ “આગમોદ્ધારક તરીકે સુપ્રસિદ્ધ થઈ ગયેલ આચાર્ય ભગવંતશ્રીના સમુદાયના છે! સળંગ ૧૦૮ ચોવિહારી છઠ્ઠ કરવામાં આવે તો ૩૨૪ દિવસ લાગે, પરંતુ ચાતુર્માસમાં સાધુ-સાધ્વીજી ભગવંતો સિદ્ધગિરિની યાત્રા કરતાં નથી હોતાં, જેથી ચાતુર્માસ પહેલાં અમુક છઠ્ઠ સળંગ કરીને બાકીની છઠ્ઠ ચાતુર્માસ બાદ સળંગ કરેલ. આમ બે કટકે ૧૦૮ છઠ્ઠ થયેલ હોવાથી અહીં પ્રાયઃ સળંગ એ પ્રમાણે જણાવેલ છે. ૬૮૯ પ્રાયઃ સળંગ ૧૦૮ ચોવિહારી છઠ્ઠ સહ ૮-૮ યાત્રા! અગ્નિસંસ્કાર વખતે એક વસ્ત્ર બળ્યું જ નહીં !!! પૂ. સા. શ્રી કમલપ્રભાશ્રીજી મહારાજ લગ્ન પછી માત્ર ૬ મહિનામાં જ વૈધવ્ય પ્રાપ્ત થતાં માલવાનાં વતની કંચનબહેન વૈરાગ્યવાસિત બન્યાં. સં. ૨૦૦૯માં પાલિતાણામાં સાગર સમુદાયમાં દીક્ષા અંગીકાર કરી. દીક્ષા બાદ કોઈ દિવસ લગાતાર બે દિવસ વિગઈનું સેવન કર્યું નહીં! ! ! અનેક પ્રકારનાં તપ સતત ચાલુ રાખ્યાં, તેથી ધના અણગારના નામે ચોમેર સુવાસ પ્રસરવા લાગી. વર્ષીતપ, વીશસ્થાનકતપ, શંખેશ્વર પાર્શ્વનાથના ૧૦૮ અટ્ટમ, મહાવીર સ્વામીની ૨૨૯ ૭૬, ૧૨ અટ્ટમ, સિદ્ધિતપ, સોળમત્તા, ચત્તારિ અટ્ટ દશ દોય, ૬ અઠ્ઠાઈ, નવકાર મહામંત્રના પદની ઉપવાસથી આરાધના, મેરુ તપ, ભદ્રપ્રતિમા, મહાભદ્રપ્રતિમા, શ્રેણિતપ, વર્ગતપ, ધન તપ, કર્મસૂદન તપ, ઉપવાસથી સહસુકુટ (૧૦૨૪ ઉપવાસ), ઘડિયાં બે ઘડિયાં તપ, ૨૫૦, ૫00, ૭00 વગેરે સળંગ આયંબિલ, ૧૧૭૬ લગાતાર આયંબિલ (આ તપ દરમ્યાન શાસનદેવે તેમની કઠિન પરીક્ષાઓ કરી હતી, જેમાં તેઓશ્રી અડગ રહ્યાં હતાં), પરમાત્માના કલ્યાણક અંતર્ગત વર્ધમાન તપની ૧૦૦ ઓળી, શત્રુંજયમાં બે કટકે પ્રાયઃ સળંગ ૧૦૮ ચોવિહાર છઠ્ઠ સહ ૭-૭ યાત્રા, (પારણાના દિવસે પણ ૧ યાત્રા કર્યા બાદ પારણું કરતાં), આટઆટલી તપશ્ચર્યાની શૃંખલા છતાં માનસન્માનથી સદા દૂર જ રહેતાં! સં. ૨૦૪૩માં જિનમંદિરેથી પાછા આવતાં રસ્તામાં ગાયે શીંગડાથી ઉછાળી દૂર ફેંકી દીધા! હાથ–પગનાં હાડકાં ભાંગી ગયાં. સાથે રહેલ સાધ્વીજીના હોશકોશ ઊડી ગયા. ડોકટરે પ્લાસ્ટર કર્યું તથા દવા આપી પરંતુ તેઓશ્રીને તપશકિત પર એવો અતૂટ વિશ્વાસ કે દવા લીધી જ નહીં! સં. ૨૦૪પમાં છેલ્લાં ૩ વર્ષથી આ ગાઢ મહાધન તપ ચાલુ હતું. પર્યુષણ પછી સ્વાથ્ય બગડ્યું, છતાં તપશ્ચર્યા ચાલુ જ રાખી! આખરે આસો વદિ ૩ના દિવસે નવકાર મહામંત્રનું શ્રવણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં! અગ્નિસંસ્કાર વખતે ઘણો પ્રયત્ન કરવા છતાં એક વસ્ત્ર બળ્યું જ નહીં! ! ! આ મહાતપસ્વી સાધ્વીજી ભગવંતના નામનો પૂર્વાર્ધ એક વિશિષ્ટ કૂલ વિશેષનું નામ છે, તથા ઉત્તરાર્ધનો અર્થ કાંતિ-તેજ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy