SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ ઈતિહાસની એક વિરલ ઘટના तस्मै श्री गुरव नमः એક જ પરિવાર ત્રણ વાર embark ગે મુનિવર (૧) ૫.પૂ.આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ.શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૪) પૂ. મુનિશ્રી નિર્વેદચંદ્રવિજયજી મ.સા. (૫) પૂ. મુનિશ્રી સંવેગચંદ્રવિજયજી મ.સા. Jain Education International ચોમાસું યાદગાર બની રહેશે. તેમાં વિશ્વરેકોર્ડ રૂપ સિદ્ધિતપની મહાન તપશ્ચર્યા થઈ−૮૦૦ આરાધકોનો ભક્તિરંગ સોળે કળાએ ખીલી ઊઠ્યો. આ સમય દરમિયાન પાંજરાપોળ માટે હજારો રૂપિયાનું ફંડ થયું. અનુકંપા, અભયદાન અને સાધર્મિકતા ક્ષેત્રોને પણ યાદ કર્યાં. સંઘજમણો અને મોટી સંખ્યામાં સંધપૂજનો થયાં. ધર્મધ્વજા લહેરાવીને વિનાવિઘ્ને અખંડ તપશ્ચર્યા પૂર્ણ કરાવી. પુણ્યવંતા પુરુષોનાં પાવન પગલાંથી પવિત્ર બનેલી સૂર્યપુર (સુરત)ની ધરતીમાં સુપ્રતિષ્ઠિત ખીમચંદ સ્વરૂપચંદ સંઘવીનું ધર્મિષ્ઠ કુટુંબ રહે. ખીમચંદભાઈના બે પુત્રો : ચિમનભાઈ તથા ચૂનીભાઈ. સમજી લ્યો કે, રામલક્ષ્મણની અતૂટ જોડી. શ્રી ચિમનભાઈનાં ધર્મપત્ની કમળબહેન ધર્મલક્ષ્મીનાં સાક્ષાત્ અવતાર. એમની કુક્ષિએ ચાર પુત્રના જન્મ બાદ સં. ૧૯૮૪ના મહા સુદ ૬ ના પુણ્યદિને એક પુત્રરત્નનો જન્મ થયો. પુત્રનાં લક્ષણ પારણામાં' એ લોકોક્તિ અનુસાર બાળપણથી જ તેમનું નામ પાડવામાં આવ્યું ‘સુરવિંદચંદ.’ જાણે ભવિષ્યમાં સિદ્ધ થનાર ધર્મશૂરવીરતાનો સંકેત ન આપતું હોય! નામ તો માત્ર સ્થાપન રૂપે જ રહ્યું, પૂર્ણ દેહલાલિત્ય અને શ્વેત વાનને કારણે તેઓ ‘લાલા' તરીકે સમગ્ર સુરતમાં ખ્યાતિ પામ્યા. સમય જતાં વ્યાવહારિક અભ્યાસ સાથે માતા-પિતાના ધાર્મિક સંસ્કારોથી પણ વાસિત થવા લાગ્યા. યોગાનુયોગે સં. ૧૯૯૩માં પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ તથા ઉપા. શ્રી કસ્તૂરવિજયજી ગણિવરનું સુરત For Private ચતુર્વિધ સંઘ વાડીના ઉપાશ્રયે ચાતુર્માસ થતાં તેઓશ્રીની વૈરાગ્યસભર વાણી અને સતત પ્રેરણાથી ‘લાલા'નો આત્મા સંસારની ઉપરછલ્લી લાલાશને જાણી જાગી ઊઠ્યો. પરિણામે, નિશાળમાં કે સંસારમાં ક્યાંય ચેન પડતું નહીં. ઘરેથી નીકળે નિશાળે જવા, પણ પહોંચી જાય ઉપાશ્રયે--અને જ્યાં રજાનો ડંકો સંભળાય એટલે ઉપાશ્રયથી બાળકો સાથે બાળસહજ તોફાનમસ્તી કરતાં કરતાં ઘર ભેગા થાય, જેથી કોઈને ખ્યાલ ન આવે કે લાલો નિશાળે જાય છે કે ઉપાશ્રયે! કેવી સંયમ લેવાની તીવ્રતા! ત્યાર પછી પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજ આદિના સમાગમમાં આવતાં તેમને સતત સંસારની અસારતા અને સંયમની મહત્તાનો ખ્યાલ આવતો ગયો. પછી તો મરણાંતકષ્ટ જેવી ટાઇફોઇડની ભયંકર બિમારી પ્રબળ અશાતાવેદનીય કર્મના ઉદયે આવતાં, જીવનની પણ આશા રહી નહીં. આવા કાળમાં તેમણે મનોમન નિશ્ચય કર્યો કે, તબિયત પૂર્વવત્ સારી થઈ જતાં કોઈપણ સંજોગોમાં સંયમ સ્વીકારીશ. આમ, ભયંકર બિમારી જીવનની અનુપમ તાજગીમાં નિમિત્ત બની! ‘લાલા' બને છે ‘લાલા મહારાજ' : માતા કમળાબહેનની તબિયત લક્ષમાં રાખીને નજીકનાં જ મુહૂર્ત જોવરાવવામાં આવ્યાં. સં. ૨૦૦૦ના માગશર વદ ૧નું શુભ મુહૂર્ત નક્કી થવા છતાં ય કેટલાંક સગાં-સ્નેહીજનો સ્વકીય સામાન્ય સ્વાર્થને સિદ્ધ કરવા સુરવિંદને સમજાવવા લાગ્યા, પણ શાશ્વત સુખનો અભિલાષી આ શૂરવીર આત્મા સંસારનાં ક્ષણિક સુખોમાં અટવાય કાંઈ! સૂર્યપુરના આંગણે છેલ્લાં કેટલાંય વર્ષોથી આવી યુવાનવયે દીક્ષા થયાનો પ્રસંગ આવ્યો ન હતો. તેથી લોકોમાં અનેરા ઉત્સાહનું વાતાવરણ સર્જાયું. દીક્ષાનો વરઘોડો માગશર વદ ૧ના દિવસે છેક બપોરે ૧ વાગ્યા બાદ શ્રી રત્નસાગરજી હાઇસ્કૂલના વિશાળ પટાંગણમાં ઊતર્યો. લોકોના અદમ્ય ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં દીક્ષાપ્રસંગ સંપન્ન થયો. શ્રી સુરવિંદ મુનિશ્રી ચંદ્રોદયવિજયજી નામે પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જાહેર થયા, છતાં ય લોકો તો તેઓશ્રીને લાલા મહારાજ' તરીકે જ ઓળખતા. આજે પણ સુરતનાં લોકો તેમને એ જ નામે ઓળખે છે. સંયમ સ્વીકાર્યા બાદ તે જ વર્ષે ફાગણ સુદ પાંચમે વડી દીક્ષા થઈ. પૂ. ગુરુદેવની વ્યવહારકુશળતા તેમ જ પૂ. ગુરુદેવના ધર્મરાજાના ગુણોનો સંક્રમ તેઓશ્રીમાં થયો. તેથી આજે પણ કટોકટીભર્યા પ્રસંગે વ્યવહારુ નિર્ણયો લેવાની કુનેહ તેમ જ શાસનપ્રભાવનાની અનેક પ્રવૃત્તિમાં પઠન-પાઠન-વાચનાદિ વિદ્યાવ્યાસંગ જળવાઈ રહ્યો છે. આજે પૂજ્યશ્રી ઉન્નતિની ટોચે બિરાજે છે તે ગુરુસમર્પણથી Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy