SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ तस्मै श्री गुरवे नमः (૧) પ.પૂ.આ.શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (૨) ૫.પૂ.આ.શ્રી પદ્મસૂરીશ્વરજી મ.સા. જોજાવર ગામ તેઓશ્રીની જન્મભૂમિ. વીસા ઓસવાલ જ્ઞાતિમાં સંચેતી ગોત્રમાં શેઠ શ્રી ખીમરાજજીને ગૃહે માતા પાબુબાઈની રત્નકુક્ષિએ સં. ૧૯૭૦ના જેઠ વદ પાંચમે તેઓશ્રીનો જન્મ થયો. માતાપિતા તેરાપંથી સંપ્રદાયનાં અનુયાયી હતાં. જોજાવર ગામમાં ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, પરંતુ કુટુંબમાં ધાર્મિક શિક્ષણનું વાતાવરણ હતું, તેથી સંયમ સ્વીકારવાની સુષુપ્ત શક્તિ જાગૃત થઈ હતી; એમાં તેમને કંઠમાળ નીકળી. તેમણે સંકલ્પ કર્યો કે કંઠમાળ મટી જશે તો દીક્ષા લઈશ. કંઠમાળ મટી ગઈ અને પોતાના સંકલ્પને સાકાર કરવાનો સોનાનો સૂરજ ઊગ્યો. કર્ણાટકમાં રાણીબાગ-ધારવાડ મુકામે સં. ૧૯૮૯ના ફાગણ સુદ ૩ને મંગળ દિને કાશીવાળા પૂ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પંડિતવર્ય શ્રી ભાવવિજયજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે જ વર્ષે કર્ણાટકમાં બીજાપુર મુકામે અષાઢ સુદ ૧૦ ને દિવસે વડી દીક્ષા થઈ, અને મુનિશ્રી જિનવિજયજી નામે ઘોષિત થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજી કાશીવાળાના શિષ્યરત્ન શ્રી વિદ્યાવિજયજી મહારાજ પાસે સંસ્કૃત Jain Education International ચતુર્વિધ સંઘ અને પ્રાકૃત ભાષાના શાસ્ત્રગ્રંથોનો તેમ જ જ્યોતિષ તથા શિલ્પકળાનો ગહન અભ્યાસ કર્યો. આ તેજસ્વી જ્ઞાનરાશિને પ્રભાવે પૂજ્યશ્રીનો પ્રભાવ જૈનસમાજ પર વ્યાપકપણે પથરાવા લાગ્યો. લબ્ધિના ભંડાર સમા સૂરિજી અમર બની ગયા. મારવાડના સિંહ તરીકે પ્રતિષ્ઠા પામ્યા. પૂજ્યશ્રીએ અસંખ્ય જિનાલયોના જીર્ણોદ્ધારમાં સમય વ્યતીત કર્યો. ૨૪૫ જેટલી પ્રતિષ્ઠાઓ કરાવી, ૩૫ જેટલી અંજનશલાકાઓ થઈ, ૯ ઉદ્યાપન, ૩૦ દીક્ષાઓ (ભાઈઓ-બહેનોની) સેંકડોની સંખ્યામાં નાનામોટા સંઘો, શાંતિસ્નાત્ર મહાપૂજનો આદિ થયાં. પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય-પરિવારમાં લગભગ પંદરેક સાધુઓ ઉલ્લેખનીય છે, જેમાં શ્રી દેવેન્દ્રવિજયજી, શ્રી કેશરવિજયજી, શ્રી ગુણવિજયજી, શ્રી પદ્મવિજયજી (હાલ આચાર્ય), શ્રી આનંદવિજયજી, શ્રી મિત્રાનંદવિજયજી, શ્રી વિનયવિજયજી, શ્રી પ્રતાપવિજયજી, શ્રી લલિતવિજયજી, શ્રી પુણ્યોદયવિજયજી, શ્રી પ્રમોદવિજયજી આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીએ રાજસ્થાનમાં ગોડવાડ, જોધપુર અને આબુ વિસ્તારમાં વિચરીને ઘણા અજૈનોને પ્રતિબોધ પમાડી, દારૂમાંસનો ત્યાગ કરાવ્યો. સૌમ્ય પ્રકૃતિ ધરાવતા આ જ્યોતિર્ધર ઉગ્ર વિહારી હતા. તેઓશ્રીએ ઘણાં વર્ષો ફળફળાદિ પર જ ગુજાર્યાં હતાં. બામણવાડજી, દિયાણાજી, ધનારી, સુમેર આદિ તીર્થોમાં ઘણો સમય ધ્યાનસાધનાની ધૂણી ધખાવી હતી. જ્યોતિષ અને શિલ્પમાં ખૂબ પારંગત હતા. પૂજ્યપાદ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ પછી, ૪૦૦ વર્ષના ઇતિહાસમાં સફળતાથી, સૂઝપૂર્વક, શાસ્ત્રવિધિથી પ્રતિષ્ઠાઓ કરાવવામાં તેઓશ્રીનું સ્થાન મોખરે છે. પ્રકૃતિના પ્રેમી હોવાથી જંગલમાં મંગલ કરતા અને તેથી ‘મીઠા મહારાજ’ તરીકે પ્રખ્યાત થયા હતા. પૂજ્યશ્રી તપાગચ્છની ત્રણ પ્રખ્યાત ગાદીઓમાં ધનારીની ગાદીએ સં. ૧૯૯૭ના જેઠ સુદ ૧૧ને દિવસે શ્રી જિનવિજયજીમાંથી પૂ. આચાર્યશ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ રૂપે આચાર્યપદે આરૂઢ થયા. સં. ૨૦૦૩માં વૈશાખ સુદ ૩ને દિવસે શિવગંજમાં પૂ. આ.શ્રી હર્ષસૂરિજી મહારાજ પાસે ક્રિયોદ્ધાર કરીને પટ્ટપ્રભાવક બન્યા, અનેક તીર્થોના ઉદ્ધારક તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. અનેક શાસનપ્રભાવક કાર્યો દ્વારા જૈન શાસનનો ધર્મધ્વજ લહેરાવ્યો. સં. ૨૦૨૯ના જેઠ વદ (ગુજરાતી : વૈશાખ) પાંચમે શિવગંજ · મુકામે કાળધર્મ પામ્યા. ત્યાં આજે શિખરબંધી ગુરુમંદિર ઊભું છે. પૂજ્યશ્રી લગાતાર નવમા વર્ષીતપમાં સ્વર્ગવાસી થયા, એવા એ ઉગ્ર તપસ્વી હતા. આજ સુધીમાં તેઓશ્રીનાં ૧૦ ગુરુમંદિરો નિર્માણ થયાં છે. ૨૬૭ જિનમંદિરોની પ્રતિષ્ઠા અંજનશલાકા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy