SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ 360 રાજસ્થાનના ઇતિહાસમાં ૩૦૦ વર્ષમાં પહેલી વાર આહોરમાં ૯૦૦ પ્રતિમાઓની અંજનશલાકા કરી અને સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના વીતરાગ પ્રતિમાની સાથે વાતચીત કરવી અને તેનાથી પ્રભાવિત ૭૦૦ સ્થાનકવાસીઓએ મુહપત્તિ છોડી મૂર્તિપૂજાને સ્વીકારી. આ રીતે જાવરા, મંદસૌર, નીમચ અને નિમ્બાહેડાના સેંકડો જૈનોને પ્રભુપૂજાના અનુપમ માર્ગમાં જોડ્યા. આવી રીતે, ધર્મનાં તેમ જ લોકોપકારનાં અનેક કામો કરી શ્રીમદે પોતાના જીવનમાં અખૂટ યશ ઉપાર્જિત કર્યો. ૮૦ વર્ષનું દીર્ઘાયુ ભોગવી તેઓશ્રી સં. ૧૯૬૩માં પોષ સુદ ૬ની રાત્રે રાજગઢ મુકામે સ્વર્ગવાસી થયા. ધન્ય એ સાધુજીવન! કોટિ કોટિ વંદના એ સાધુવરને! પ.પૂ. આ.શ્રી જયંતસેનસૂરિજી મ.સા.ની પ્રેરણાથી કોરડીયા ડાહ્યાલાલ નાનચંદ પરિવાર નારોલીવાળાના સૌજન્યથી વિવિધ ધર્મગ્રંથો અને પૂજાઓના રચયિતા પૂ. આચાર્યશ્રી ધનચંદ્રસૂરીશ્વરજી મ. રમણીય રાજસ્થાન પ્રદેશ, આવી શૌર્યભૂમિમાં ‘કિસનગઢ’ નામે એક પ્રસિદ્ધ નગર આવ્યું છે. ત્યાં એક ધર્મમૂર્તિ શ્રેષ્ઠીવર્ય રહેતા હતા. તેમનું નામ હતું ભાગ્યવંત ઋદ્ધિકરણજી. એમનાં ધર્મપત્ની હતાં સૌભાગ્યવતી અચલાદેવી. કંકુ ચૌપડા એમનું ગોત્ર હતું. પતિ ઋદ્ધિકરણ અને અર્ધાંગના અચલા પોતાના જીવનને આરાધનાથી ઉજ્જ્વળ બનાવી રહ્યાં હતાં. તેઓના જીવનમાં એક દિવસ એવો આવ્યો કે અવિસ્મરણીય બની રહ્યો. સં. ૧૮૯૬ના ચૈત્ર સુદ ૪ના એ દિવસે અચલાદેવીની કૂખે એક પુણ્યાત્માએ જન્મ લીધો. એ બાળકનું નામ ધનરાજ પાડ્યું. બાળક ધનરાજના સુડોળ શરીર અને ભવ્ય લલાટમાં ભાવિનાં ચિહ્ન અંકાયાં હતાં. અભ્યાસ કરતાં કરતાં ધનરાજ ધાર્મિક ગ્રંથોનું પઠન-શ્રવણ પણ કરતા રહ્યા. અનેક દુઃખોથી ભરેલા આ સંસારમાં કોઈ પણ જીવ સુખ કે શાંતિ કરી જ શક્યું નથી. જે ભૌતિકતાનો ત્યાગ કરે છે તેને જ આધ્યાત્મિકતાની પ્રાપ્તિ થાય. તેમાં દેવસુરગચ્છીય ધાનેરાની શ્રીપૂજ્ય ગાદીના યતિવર્ય શ્રી લક્ષ્મીવિજજી સાથે ધનરાજનો સુયોગ થયો. તેમના સદુપદેશથી ધનરાજની વૈરાગ્યભાવના વધુ દૃઢ બની અને અંતે સર્વસંમતિથી સં. ૧૯૧૭ના વૈશાખ સુદ ૩ના રોજ ધાનેરામાં યતિવર્ય શ્રી લક્ષ્મીવિજયજી પાસે યતિદીક્ષા અંગીકાર કરી. આમ, ભાઈ ધનરાજ યતિવર્ય શ્રી ધનવિજયજી ન્યા. શ્રી વિજયજીએ સંસ્કૃત અને પ્રાકૃતનો ઊંડો અભ્યાસ Jain Education International ચતુર્વિધ સંઘ કર્યો. ન્યાય અને તર્કમાં અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી. સૈદ્ધાંતિક અને આગમિક જ્ઞાન પણ વિશાળ રૂપમાં પ્રાપ્ત કર્યું. ધનવિજયજી કટિબદ્ધ બન્યા. એ સમયે દફતરી યતિશ્રેષ્ઠ શ્રી રત્નવિજયજી (શ્રીમદ્ રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ) આહોરની ગાદીના પૂજ્યશ્રી પ્રમોદસૂરિજીના મુખ્ય શિષ્ય હતા. તેઓશ્રી ધીરવિજયજી, પ્રમોદરુચિજી આદિ અનેક યતિઓને આગમિક ગહન અધ્યયન કરાવતા હતા. શ્રી ધનવિજયજી પણ શ્રી રત્નવિજયજી મહારાજ પાસે પહોંચી ગયા અને અભ્યાસ કરવા લાગ્યા. અભ્યાસ દરમિયાન શ્રી ધનવિજયજી શ્રી રત્નવિજયજીને વારંવાર પૂછતા : “મહારાજશ્રી! ‘દશવૈકાલિક'માં વિવેચિત સાધ્વાચાર અનુસાર તો આપણું આચરણ નથી! શું તે વિવેચન માત્ર ગ્રંથોનાં પાનાં ભરવા માટે છે કે પછી વ્યવહારમાં ઉતારવા માટે પણ છે? આપ જે અધ્યાપન કરાવો છો તે કંઈક જુદું જ છે અને અમે જે આચરણમાં મૂકીએ છીએ તે કંઈક બીજું છે! આ કેવી વિસંગતિ છે?” આ વાત સાંભળીને પૂજ્યશ્રી બોલ્યા : “ધન્ય ધનવિજય! લાગે છે કે તને પણ વર્તમાન સ્થિતિ ખટકવા માંડી છે. મેં તો પહેલેથી જ નિર્ણય કરી લીધો છે કે સમય આવતાં જ ક્રિયોદ્ધાર કરવો છે અને આ સીમાતીત શિથિલાચારને દૂર કરવો છે.’’ પૂજ્યશ્રીના આ મનોભાવને ઝીલતાં શ્રી ધનવિજયજી બોલ્યા કે, “મહારાજશ્રી! જો આપ વિશુદ્ધ સાધુજીવન જીવવાના વિચારોમાં દૃઢ છો તો હું પણ આપના જ માર્ગનું અનુસરણ કરીને આપનો ચરણકંકર બની રહીશ.” તેઓશ્રીએ જે ગદ્ય ગ્રંથો લખ્યા, તેમાં મુખ્ય છે જૈનજનમાંસભક્ષણનિષેધ', ‘વિધવા પુનર્લગ્ન-નિષેધ’, ‘પ્રશ્નામૃત', ‘પ્રશ્નોત્તર તરંગ’ અને ‘ચતુર્થ સ્તુતિ નિર્ણય શંકોદ્વાર'. આ બધા ગ્રંથો અત્યંત મહત્ત્વપૂર્ણ અને સર્વજનગ્રાહ્ય છે. તેઓશ્રીની કાવ્યશક્તિ પણ અસાધારણ હતી. એમના દ્વારા રચાયેલા સાયોમાં અધ્યાત્મભાવ ભર્યો છે. પદે પદે આત્મભાવ અને જૈનશાસનની અલૌકિક સંકલના ખૂબ જ પઠનીય અને મનનીય છે. સમય સમયનું કામ કર્યે જતો હતો. સં. ૧૯૬૩ ના પોષ સુદ ૭ નો દિવસ હતો. પૂજ્યશ્રી ભીનમાલમાં વ્યાખ્યાન આપી રહ્યા હતા. સભામંડપ ખીચોખીચ ભર્યો હતો. અચાનક ખબર આવ્યા કે પૂજ્ય ગુરુદેવનો રાજગઢમાં સ્વર્ગવાસ થયો છે. વજ્રાઘાત સમા સમાચારથી અસહ્ય વેદના થઈ, પરંતુ પોતે જ્ઞાની હતા. સંયોગ અને વિયોગ તો ચાલતા જ આવ્યા છે. પોતે નિર્ણય કર્યો કે, ગુરુદેવના સિદ્ધાંતોને અધિક વેગવાન બનાવવામાં જ જીવન સમર્પિત કરવું. સંઘ એકત્ર થયો. ગુરુદેવશ્રીના ઉત્તરાધિકારી તરીકે સર્વાનુમતિથી પૂ. ઉપાધ્યાયશ્રી ધનવિજયજી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy