SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ તારું ભલું થાય!' સમતા અને લાગણીથી ભરેલા આટલા શબ્દો કોઈના હૃદયને સ્પર્શી જવા બસ થઈ પડતા. પૂજ્યશ્રીનો એક મુદ્રાલેખ હતો કે મનને જરાય નવરું પડવા ન દેવું, જેથી એ નખ્ખોદ વાળવાનું તોફાન કરે. તેઓશ્રીની તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય અને યોગની સર્વ પ્રવૃત્તિઓ પાછળ આ આત્મજાગૃતિ જ સતત કામ કરતી રહી. આવી અપ્રમત્તતાનો પાઠ શીખવવા પૂજ્યશ્રીનું ચરિત્ર ખૂબ ઉપયોગી થાય તેમ છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક પ્રતિષ્ઠાઓ અને અંજનશલાકાઓ થઈ છે અને સેંકડોની સંખ્યામાં દીક્ષાઓ થઈ છે. પૂજ્યશ્રીનો શિષ્યસમુદાય ૪૦ ઉપરાંતનો છે. એ દર્શાવે છે કે તેઓશ્રી શિષ્યમોહમાં ફસાયા ન હતા. પૂજ્યશ્રીને તો ફક્ત એટલાથી જ સંતોષ અને આનંદ થતો કે અમુક ભાઈ કે બહેનને ધર્મબોધ થયો છે! ભલે પછી તે ગમે તેના શિષ્ય-શિષ્યા બને. પૂજ્યશ્રીમાં આવી નિરીહવૃત્તિનાં દર્શન થતાં હતાં. તેમ છતાં, દરેક શિષ્ય પ્રત્યે પૂરી વત્સલતા ધરાવતા અને તેમને શાસ્ત્રાભ્યાસ કે સાધના માટે જોઈતી બધી સગવડની સતત કાળજી રાખતા. વળી પોતાને તો સંપૂર્ણ સ્વાશ્રયી અને સ્વસ્થ રાખવાનો જ પ્રયત્ન કરતા, જેથી સેવા લેવાની જરૂર પડે નહીં. તેમ છતાં, પોતાના ગુરુદેવને કદી વીસરી શક્યા નહીં. સં. ૧૯૯૫માં સાણંદમાં પૂ. મણિવિજયજી દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ અને પૂ. બાપજી મહારાજ તે વખતે જઈ શક્યા નહીં તો છેવટે બીમારી અને સખત તાપ હોવા છતાં વિહાર કરીને, સાણંદ જઈને ગુરુમૂર્તિનાં દર્શન કર્યા ત્યારે જ સંતોષ પામ્યા. ઉપરાંત, એક અજબ વાત તો જુઓ : વીસેક વર્ષ પહેલાંની આ વાત છે. અમદાવાદના રાજમાર્ગ પર એક વયોવૃદ્ધ સાધુ, બાળક પા પા પગલી માંડે તેમ, થોડું થોડું ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એમના મનમાં, ૮૫ વર્ષની જૈફ ઉંમરે ગિરનાર અને શત્રુંજયના પહાડો ચઢીને ત્યાં બિરાજમાન દેવાધિદેવનાં દર્શન કરવાના કોડ જાગે છે અને પૂ. બાપજી મહારાજ, એ ઉંમરે ધીમી ધીમી ગતિથી મજલ કાપીને, ડોળીની મદદ લીધા વિના, બંને ગિરિરાજોની યાત્રા કરીને પાછા ફર્યા. વંદન હો અ તપસ્વી સૂરિદેવને ! સૌજન્ય : શ્રી ઓમકારસૂરિ આરાધનાભવન-ગોપીપુરા, સુરત Jain Education International ચતુર્વિધ સંઘ વર્તમાનમાં વર્ધમાનતપની પ્રેરણા દ્વારા આયંબિલતપનું વ્યાપક મહત્ત્વ દર્શાવનારા તપોમૂર્તિ, વચનસિદ્ધ મહાપુરુષ, શાસનદીપક અને અપૂર્વ શાસનપ્રભાવક પૂ. આ.શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ. ભારતભરમાં ગામેગામ આયંબિલતપનું મહત્ત્વ દર્શાવી, આયંબિલ શાળાઓનો પાયો નાખનાર પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સમીવાળાને નામે જગપ્રસિદ્ધ છે. પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથજીથી ગુજરાતના સુપ્રસિદ્ધ વઢિયાર પ્રદેશના શંખેશ્વર ગામથી સાત ગાઉ દૂર રાધનપુર પાસેનું સમી ગામ રૂના વેપારનું મોટું મથક ગણાય છે. એ ગામમાં વીશાશ્રીમાળી જ્ઞાતિમાં શ્રી વસ્તાચંદ પ્રાગજીભાઈનું ધર્મિષ્ઠ ઘર હતું. જૈનશાસનની મોટામાં મોટી શાશ્વતી ઓળીની તપશ્ચર્યાની શરૂઆતના મંગલ દિને સં. ૧૯૩૦ના આસો સુદ तस्मै श्री गुरवे नमः આપ્યો આપ મારાં Citol 2016 (૧) ૫.પૂ.આ.શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. (કાશીવાળા) (૨) પ.પૂ.આ.શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ. આ.શ્રી સુબોધસૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ.આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy