SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭, તવારીખની તેજછાયા. અમદાવાદમાં સ્થિરતા કરી સં. ૧૭૦૩ ના ચૈત્ર શુદી–૧૩ને દિવસે અમદાવાદમાં જ કાળધર્મ પામ્યા. નેવું વર્ષ કરતાં વધુ આયુષ્ય ભોગવી જિનશાસનની પ્રભાવના કરી હતી. સહોદરને સંયમમાર્ગે પ્રેરનાર ઉપાધ્યાય શ્રી કીર્તિવિજ્યજી મહારાજ વીરમગામમાં વીરજી મલિક નામનો એક વજીર રહેતો હતો. તે જાતે પોરવાલ હતો. પોતાની સાથે કાયમ પાંચસો ઘોડેસવારો રાખતો હતો. વીરજીનો પુત્ર સહસ્ત્રકિરણ મલિક થયો, તે પણ પ્રસિદ્ધ હતો; અને તે મહમ્મદશાહ (રાજ્યકાલ : ઈ. સ. ૧૫૩થી ૧૫૫૪) બાદશાહનો મંત્રી હતો. સહસ્ત્રકિરણને ગોપાળજી અને કલ્યાણજી નામના બે પુત્રો અને એક પુત્રી હતી. તેમાંથી ગોપાળજીએ બ્રહ્મચર્ય સેવી, સાધુસમાગમમાં રહી, દીક્ષા લેવાની ઇચ્છા કરી. તેની સાથે પોતાના ભાઈ કલ્યાણજી તથા બહેને પણ દીક્ષા લેવાની તત્પરતા દર્શાવતાં, સં. ૧૯૩૧માં અમદાવાદ જઈને શ્રી વિજયહીરસૂરિજી પાસે ગોપાળજીએ સોમવિજયના નામે, કલ્યાણજીએ કીર્તિવિજયજીના નામે અને બહેને વિમલશ્રીજીના નામે દીક્ષા લીધી હતી. આ સમયે તેમની સાથે ધનજી તથા તેમની પત્ની તથા ત્રણ પુત્રો-ગણજી, કમલ અને વિમલે ધનવિજય, ગુણવિજય, કુંવરવિજય અને વિમલવિજય નામે તથા પદ્મવિજય, વિજયહર્ષ, સદયવચ્છ, ભણશાળી પ્રમુખ ૧૮ જણની સાથે દીક્ષા થયેલ. શ્રી કીર્તિવિજયજી દીક્ષિત થયા પછી શાસ્ત્રાભ્યાસમાં જોડાયા અને વિદ્વાન થયા. ગુરુએ યોગ્ય જાણી તેમને ઉપાધ્યાયપદે સ્થાપ્યા. તેઓશ્રીએ શ્રી વિજયહીરસૂરિજીને પુછાયેલા જૈનશાસ્ત્રો સંબંધી શંકાના પ્રશ્નો અને અપાયેલા ઉત્તરો એકત્રિત કરી ‘પ્રશ્નોત્તર સમુચ્ચય' અપરનામ “હીરપ્ર’ તથા સં. ૧૬૯૦માં ‘વિચારરત્નાકર' ગ્રંથ સંકલિત કર્યો. (સંકલન : કરમશી ખેતશી ખોના) અનેક ગ્રંથોના રચનાકાર, બહુકૃત વિદ્વાન અને કવિ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી જન્મે વણિક હતા. તેમની માતાનું નામ રાજશ્રી રાજબાઈ અને પિતાનું નામ તેજપાલ હતું. તેઓ મુનિ તરીકે શ્રી વિજયહીરસૂરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજીના શિષ્ય હતા. તેમણે પોતાની જનનીના શ્રેય માટે ચિન્હોશમાં મૂકેલી કથાસંગ્રહ, જ્ઞાતાસૂત્ર વગેરે ગ્રંથોની પ્રતો પાટણના જૈન ગ્રંથભંડારમાં જોવામાં આવે છે. આ કવિએ પોતાના જીવનમાં અનેક તપાગચ્છ અધિપતિઓના સમયમાં ગ્રંથોનું લેખન, સંશોધન, અવગાહન અને રચનાકાર્ય કર્યું જણાય છે. તેમના ગુરુબંધુ કાંતિવિજયે “સંગરસાયણ બાવની'માં કરેલ સૂચન પ્રમાણે તેમણે બે લાખ શ્લોકપ્રમાણ રચના કરી, સમાજને ઉપયોગી સાહિત્ય પૂરું પાડ્યું હતું. આ રચનાઓથી સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી આદિ ભાષા પરનું તેમનું પાંડિત્ય પ્રગટ થાય છે. ઉપરાંત, તેઓ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, ધર્મ, દર્શન અને આગમિક સાહિત્યના સર્જક પણ હતા. તેઓની પ્રખર વિદ્વત્તાને કારણે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી પણ તેમનો આદર કરતા. તેમની મુખ્ય રચનાઓ અસંખ્ય જણાય છે. તેઓશ્રી વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પૂર્વાર્ધમાં વિદ્વત્તાભરી રચનાઓથી વિખ્યાત થયેલા. આ બહુશ્રુત વિશ્વાસભાજન ઉપાધ્યાય એક પ્રતિભાશાળી નામાંકિત વિદ્વાન હતા. વિ. સં. ૧૭૧૦ના જેઠ સુદ ૬ના વિજય સિંહસૂરિના ઉપદેશથી શત્રુંજયના શિખર પર થયેલા ઉગ્રસેન (આગ્રા શહેર)વાસી આશવાલજ્ઞાતીય, વૃદ્ધશાખીય અને કુહાડગોત્રીય સા. વર્ધમાન (સ્ત્રી વાલ્હાદે)ના પુત્ર સા. માનસિંહ, રાયસિંહ, કનકસેન, ઉગ્રસેન, ઋષભદાસ આદિએ સા. જગતસિંહ અને જીવણદાસ પ્રમુખ પુત્રાદિ પરિવાર સહિત પોતાના પિતા વર્ધમાનના વચનથી તેમના પુણ્ય માટે આ સહસ્ત્રકૂટ તીર્થ કરાવ્યું અને વિજયદેવસૂરિ અને વિજયપ્રભસૂરિની આજ્ઞાથી વિજયહીરસૂરિ શિષ્ય મહો. કીર્તિવિજયજી ગણિના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયજીએ તેની પ્રતિષ્ઠા કરી. (સંકલન : કરમશી ખેતશી ખોના) જેમનાં સ્તવન-સ્તુતિઓ અને અષ્ટપ્રકારી પૂજાઓ આજે પણ અદ્યાપિ તેમની રચેલ કલ્પસૂત્રવૃત્તિ, લોકપ્રકાશ, હેમલધુપ્રક્રિયા, શ્રીપાળરાજાનો વગેરે લોકપ્રસિદ્ધ છે.) જૈનમંદિરોમાં રસપૂર્વક ગવાય છે તે વીતરાગના સાધક પૂ. પંન્યાસ શ્રી પદ્મવિજયજી ગણિ જૈનોની નગરી તરીકે ખ્યાતિ પામેલા અમદાવાદ શહેરમાં શામળાની પોળમાં ગણેશ નામે શ્રીમાળી શ્રાવક રહેતા હતા. તેમનાં ધર્મપત્ની ઝમકુબાઈએ સં. ૧૮૬૨ના ભાદરવા સુદ બીજને દિવસે એક પુત્રને જન્મ આપ્યો. પુત્રનું નામ પાનાચંદ રાખવામાં આવ્યું. પાનાચંદ સાત વર્ષે ભણવા બેઠો. અગિયાર વર્ષની વયે ભણી-ગણીને વ્યવહારકુશળ બન્યો. સં. ૧૮૭૫માં મહાસુદ-૫-ને દિવસે, માતાપિતાની આજ્ઞા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy