SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર શ્રી મહાવીર જૈન આરાઘના કેન્દ્ર - કોબા, ગાંધીનગર - ૩૮૨ ૦૦૯ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થ અમદાવાદ- ગાંધીનગર રાજમાર્ગ પર આવેલું છે. યુગદેષ્ટા, રાષ્ટ્રસંત આચાર્યપ્રવર શ્રીમ પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ના શુભાશિષથી જિનાગમોની જ્ઞાનલક્ષી ઉપાસના અને અધ્યયન માટેનું સાહિત્ય ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ જ્ઞાનમંદિરનું નિર્માણ થયું છે. જૈન જ્ઞાન વિજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવો અને ચરિત્ર વિકાસલક્ષી અભ્યાસ, પ્રવચન, કાર્યક્રમો, શિબિરો, ગોષ્ટિ, વાતસત્રો વગેરેનું આયોજન કરવું એ પણ આ જ્ઞાનમંદિરનો ઉદેશ્ય છે. આ પ્રકારનું સર્વપ્રથમ અને અનન્ય જેવું આ અનુપમ જ્ઞાનમંદિર આજે અનેક આધુનિક સુવિધાઓ સાથે સુસજ્જ છે. તેમાં નીચે લખ્યા મુજબના વિભાગો છે. • આર્યરક્ષિતસૂરિ શોધસાગર: આ વિભાગનું ધ્યેય જૈન સાહિત્યના અધ્યયન, સંશોધનસામગ્રી તથા સગવડોને ઉપલબ્ધ બનાવવાનું લક્ષ્ય છે. એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં કોઈપણ જેનર્જનેતર પ્રાચીન અર્વાચીન કૃતિ, વિદ્વાન, હસ્તપ્રત, પ્રકાશન આદિની વિસ્તૃત સૂચનાઓ કયૂટર ઉપર પ્રાપ્ત થઈ શકે છે. આ સૂચનાઓના આધારે અદ્વિતીય શોધસાગરના જ્ઞાનને પ્રજા સમક્ષ રજૂ કરવાનો છે. ફપ્યુટર વિભાગ : એક કમ્યુટર વિભાગ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેમાં અદ્યતન સવલતો મળી શકે છે. આ વિભાગમાં આટલી સૂક્ષ્મતા તેમજ વિસ્તૃતતા એક સાથે તુરત જ જોવા મળે એ પોતાના ક્ષેત્રમાં એક અપ્રતિમ છે અને અનોખી સિદ્ધિ છે. દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગાર : આ વિભાગમાં આગમ, ન્યાયદર્શન, યોગ, સાહિત્ય, વ્યાકરણ, આયુર્વેદ, ઇતિહાસ, જ્યોતિષ, આદિ વિષયોથી સંબંધિત લગભગ અઢી લાખ જેટલા કાગળ પર લખવામાં આવેલાં પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો અને લગભગ પંદરસો જેટલાં પ્રાચીન તાડપત્રો પર લખાયેલ ગ્રંથોનો વિશાળ સાગર સંઘરવામાં આવ્યો છે. સુયોગ્ય વિદ્વાનોને આમાંથી ફોટોસ્ટેટ કોપીઓ મળે તેવી વ્યવસ્થા છે. આર્ય સુધર્માસ્વામી શ્રુતાગાર: આ વિભાગ મુદ્રિત પુસ્તકોની, વ્યવસ્થા સંભાળે છે. આ વિભાગમાં જૈનોલોજી તથા ઇન્ડોલોજીને લગતાં લગભગ ૧,00,000 મુદ્રિત પુસ્તકો તથા પ્રતોનો સંગ્રહ પ્રાપ્ય છે. આ જૈન સાહિત્યનો સંગ્રહ કોઈપણ જિજ્ઞાસુઓને પરિતૃત કરે એટલો વિશાળ છે. આ વિભાગ જૈન અધ્યયન તથા અધ્યાપનની સગવડ શ્રમણો અને શ્રાવકોને પૂરી પાડે છે. દુર્લભ ગ્રંથોની ફોટોસ્ટેટ નકલો પણ સરળતાથી મેળવી શકે તેવી વ્યવસ્થા છે. અમદાવાદમાં પણ વાચકોને આ ગ્રંથાલયમાં સંગ્રહિત પુસ્તકો વાંચવાની સગવડ મળી શકે એના માટે શહેરના પાલડી વિસ્તારમાં આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની શાખા કાર્યરત છે. સમ્રાટ સમ્મતિ સંગ્રહાલય : આ સંગ્રહાલયમાં પ્રાચીન તથા કલાત્મક રત્નો, પાષાણો, ધાતુ, કાર, ચંદન તથા હાથીદાંતમાંથી બનાવેલી કલાકૃતિઓ વિપુલ પ્રમાણમાં એકત્રિત કરી છે. આ ઉપરાંત તાડપત્રો અને કાગળ ઉપર રચાયેલી હસ્તપ્રતો, પ્રાચીન લઘુચિત્રો અને ચિત્રપટ્ટીઓ વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અહીં બ્રાહ્મીથી દેવનાગરી સુધીની લિપિઓનો વિકાસ, આલેખન માધ્યમો અને ટેકનિકો તથા આલેખન સંરક્ષણના નમૂનાઓ એક અનોખી ઢબે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. • શ્રુત સરિતા (બુકસ્ટોલ) : જૈન ધર્મના સર્વજનોને ઉપયોગી પુસ્તકો લોકો ખૂબ જ સરળતાથી વસાવી શકે તે માટે શ્રુતસરિતા બૂક સ્ટોલની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. , શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર : મોક્ષ માર્ગના બે આધારસ્તંભો (૧) જિનબિમ્બ અને (૨) જિનાગમ. આ બંનેનો સમન્વય તેજ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા. આ કેન્દ્ર જિનશાસનની પ્રતિનિધિ સંસ્થાઓમાં અગ્રેસર છે. ધર્મ, સાહિત્ય, કલા, શિક્ષણ, સાધના અને સંસ્કૃતિનો મહાસંગમ જ જાણે થયો છે. શ્રી મહાવીરાલય : શ્રી મહાવીર સ્વામીનો અતિ ભવ્ય પ્રાસાદ એટલે શ્રી મહાવીરાલય. તેના પ્રથમ માળ પર મૂળનાયક શ્રી મહાવીર સ્વામી સહિત ૧૧ પ્રતિમાઓનાં દર્શન કરી શકાય છે. ભૂમિતલ પર પ્રથમ તીર્થકર આદિશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમા, શ્રી માણિભદ્રવીર અને ભગવતી પદ્માવતી સહિત પાંચ પ્રતિમાઓનાં દર્શન થઈ શકે છે. આ જિનમંદિરની એક વિશિષ્ટતા એ છે કે આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી મ.સા.ના અંતિમ સંસ્કારના સમયે પ્રતિ વર્ષ ૨૨ મેના દિવસે બપોરે ૧૨ કલાકને ૦૭ મિનિટે દેરાસરના શિખરમાંથી થઈને આવતા સૂર્યકિરણો શ્રી મહાવીર સ્વામીના તિલકને દેદીપ્યમાન કરે એવી અદ્વિતીય અને અનુપમ સ્થાપત્યરચના કરવામાં આવી છે. પૂ. આચાર્ય શ્રીમ કૈલાસસાગરસૂરિજી મ.ના અંતિમ સંસ્કારસ્થળે કલાત્મક મંદિરમાં સ્ફટિકમાં કોતરેલી અદ્વિતીય ચરણપાદુકા તેમજ સ્ફટિકમાં ગૌતમસ્વામીની મનોહર પ્રતિમાનાં દર્શન થાય છે. પ્રાકૃતિક હવા અને પ્રકાશથી ભરપૂર જૈન આરાધના ભવનમાં સાધુ ભગવંતો સ્થિરતા કરવા સાથે વિશિષ્ટ જ્ઞાનોપાસના, ધ્યાન, સ્વાધ્યાય, આદિનો પણ યોગ પ્રાપ્ત કરી શકે છે. દેશ વિદેશથી જિજ્ઞાસુઓ આવે છે, માટે દશ મુમુક્ષ કુટિરાનું નિર્માણ કરવામાં આવ્યું છે. યાત્રીઓ માટે ભોજનશાળા તથા અલ્પાહારગૃહની સગવડ પણ ઉપલબ્ધ છે. આ કેન્દ્ર પોતે જ જાણે એક જીવંત ઐતિહાસિક સ્મારક બની ગયું છે. અસંખ્ય દર્શકોએ અત્રેની વ્યવસ્થાની પ્રશંસા કરી છે. આ કેન્દ્રમાં હજુ પણ વિસ્તૃત સગવડો માટેની સંભાવનાઓ અને યોજનાઓ પણ છે. તન મન ધનથી સહયોગી બનવા આ સરનામે સંપર્ક કરવા વિનંતી છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર - ૩૮૨ ૦૦૯ ફોન : (૦૭૯) ૩૨૦૬૨૦૪, ૩૨૦૬૨૦૫, ૩૨૦૬૨૫૨, ફેક્સ : ૯૧-૭૯-૩૨૭૬૨૪૯, e_mail : [email protected] Trust Reg. No. A/2659- (AHMEDABAD) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy