SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ વાદીવેતાલ પદ આપ્યું. આચાર્યશ્રી તિલકમંજરીનું સંશોધન કરી પાટણ પધાર્યા. પાટણમાં જિનદેવ શેઠના દીકરા પદ્મને સર્પ કરડ્યો. ઝેર કોઈ રીતે ઊતરે નહીં. આવા પ્રસંગે દર્દીને મરતો બચાવવા ખાડામાં દાટવામાં આવતો. પદ્મને જમીનમાં દાટવામાં આવ્યો. આ. શાન્તિસૂરિ મ.ને સમાચાર મળતાં સાધુઓને મોકલ્યા. જિનદેવે પદ્મને જમીનમાંથી બહાર કાઢ્યો. આચાર્યશ્રીએ એના દેહ પર હાથ ફેરવ્યો. પદ્મ આળસ મરડી બેઠો થયો. આ. શાન્તિસૂરિ દર્શનશાસ્ત્રના પ્રખર જ્ઞાતા હતા. એક વાર શિષ્યોને બૌદ્ધદર્શનની અતિ કૂટ દલીલો અને તેના ઉત્તરો સમજાવતા હતા ત્યારે નાડોલથી પાટણ મુનિચન્દ્રસૂરિ પધારેલા. ચૈત્યપરિપાટી કરતાં સંપકચૈત્યમાં આવ્યા ત્યારે શાંતિસૂરિજી અભ્યાસ કરાવી રહ્યા હતા. મુનિચન્દ્રસૂરિએ ઉપાશ્રયની બારી પાસે ઊભા-ઊભા પાઠ સાંભળ્યો. આમ પંદર દિવસ ઊભા ઊભા પાઠ સાંભળ્યો. સોળમા દિવસે આચાર્યશ્રીએ પરીક્ષા લીધી ત્યારે એમના ૩૨ શિષ્યોમાંથી કોઈ સંતોષકારક ઉત્તર આપી ન શક્યા. શાંતિસૂરિ નારાજ થયા. ત્યારે મુનિચન્દ્રસૂરિએ કહ્યું, ‘હું જવાબ આપું' ‘હા આપો.' મુનિચન્દ્રસૂરિના ઉત્તરથી સંતોષ થયો. ઊભા ઊભા વગર પુસ્તકે સાંભળીને આટલો સરસ જવાબ આપ્યો એથી આશ્ચર્ય થયું. એમને પછી પાટણમાં વધારે રોકી પ્રમાણશાસ્ત્રનો સાંગોપાંગ અભ્યાસ કરાવ્યો. ઘણા વાદીઓને જીત્યા. આ. શાંતિસૂરિએ ઉત્તરાધ્યનની વિસ્તૃત ટીકા બનાવી છે. આ. વાદીદેવસૂરિએ એનો આધાર લઈ દિગંબર વાદી કુમુદચંદ્રને જીત્યો હતો. ... થરાદમાં આ. શાંતિસૂરિના વ્યાખ્યાનમાં નાગિની દેવી આવતી. નૃત્ય કરતી. ગિરનાર તીર્થ ઉપર અણસણ ૨૫ દિવસનું કરી વિ. સં. ૧૯૦૬ના જેઠ સુદ ૯ના દિવસે કાળ કરી આચાર્યશ્રી વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થયા. મહાન મંત્રવાદી આ. જિનપ્રભસૂરિજી ખરતરગચ્છની લઘુશાખાના આ.જિનસિંહ પાસે સુભટપાલે દીક્ષા લીધી. મુનિ શુભતિલક નામ પડ્યું. તપાગચ્છીય આ. મલ્લિષણસૂરિ પાસે અધ્યયન કર્યું. અનેક ભાષાના જાણકાર બન્યા. વિ. સં. ૧૩૪૧માં આચાર્ય બન્યા ત્યારે જિનપ્રભસૂરિ Jain Education International For Private ચતુર્વિધ સંઘ નામ પડ્યું. એમની વિદ્વતા વિષે જાણી મહમદ તઘલખે રાજસભામાં પધારવા આમંત્રણ આપ્યું. દિલ્હીની રાજસભામાં આચાર્યશ્રીએ અનેક ચમત્કારો બતાવી બાદશાહને ખૂબ પ્રભાવિત કર્યો. કન્યાનયનની પ્રભુ વીરની પ્રતિમા અલ્લવંશીય મ્લેચ્છો ઉપાડી ગયેલા તે આ. જિનપ્રભસૂરિએ બાદશાહ દ્વારા પુનઃ પ્રાપ્ત કરાવી. દેવગિરિના જિનાલયનો ધ્વંસ થતો અટકાવ્યો. આચાર્યશ્રીને રોજ સ્તોત્ર નિર્માણ કરવાનો અભિગ્રહ હતો. સંસ્કૃત, પ્રાકૃત, દેશ્ય, ફારસી વિવિધ ભાષામાં સેંકડો સ્તોત્રો તેઓનાં મળે છે. પાટણ-ડીસા વચ્ચે જંગરાળમાં આ. સોતિલક સૂરિ સાથે (મતાંતરે આ. સોમપ્રભસૂરિ સાથે) આ. જિનપ્રભસૂરિનું મિલન થયેલું. બન્ને ગુણાનુરાગી હતા. તપગચ્છીય આચાર્યે જિનપ્રભસૂરિએ કરેલી શાસન-પ્રભાવનાની અનુમોદના કરી. જ્યારે આ. જિનપ્રભસૂરિજીએ તેમની સુવિશુદ્ધસંયમચર્યાની અનુમોદના કરી. તપગચ્છનો ભાવિ ઉદય પદ્માવતી દ્વારા જાણી પોતે રચેલાં ૭૦૦ સ્તોત્રો આ. સોમતિલકસૂરિને અર્પણ કર્યાં. આ વખતે એક મુનિએ પોતાની પોથી ઉંદરે કરડી ખાધાની ફરિયાદ કરી. આ. જિનપ્રભસૂરિએ મંત્રજાપ કરતાં બધા ઉંદરો હાજર થયા. “જેણે પોથીને નુકશાન કર્યું હોય તે રહે બાકીના જાય.” એક ઉંદર સિવાયના બધા જતા રહ્યા. ધ્રૂજતા ઉંદરને આશ્ચર્યથી કહે : “આવું ન કરતો. ઉપાશ્રય છોડી ચાલ્યો જા. જતો રહ્યા બધા મુનિઓ આ દૃશ્ય જોઈ તાજુબ બની ગયા. આ. જિનપ્રભસૂરિએ વિવિધ ગચ્છના મુનિઓને ભણાવ્યા છે, ગ્રંથરચનામાં સહાય કરી છે. આ. જિનપ્રભસૂરિએ રચેલા ગ્રંથો ૩૭ જેટલા છે. આ ઉપરાંત અનેક સ્તોત્રો પણ મળે છે. વિધિવિધાનક્ષેત્રમાં જિનપ્રભસૂરિનો ‘વિધિમાર્ગપ્રપા’ સૌથી પ્રાચીન ગ્રંથ છે. ‘વિવિધ તીર્થકલ્પ’માં તીર્થોનો અનોખો ઇતિહાસ છે. આ. મેરુતંગસૂરિજી આ. મહેન્દ્રસૂરિ મારવાડમાં નાણા ગામમાં પધાર્યા. શેઠ વૈરસિંહના પુત્ર ભાલણે વૈરાગી બની તેમની પાસે વિ. સં. ૧૪૧૮માં દીક્ષા લીધી. જ્ઞાન-ધ્યાનમાં આગળ વધેલા આ મુનિવરને ૨૭ વર્ષની યુવાન વયે વિ. સં. ૧૪૩૨માં પાટણમાં Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy