SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ .. માતાનું નામ માણેકદેવી અને તેમનું જન્મનામ વાઘજી હતું. તેમણે પારણામાંથી જ ધર્મસંસ્કાર પ્રાપ્ત કર્યા હતા. તેઓ નાના હતા ત્યારે આચાર્ય હેમવિમળસૂરિ ઈડર પધાર્યા. તેમનાં દર્શન થતાં જ વાઘજીના ધર્મસંસ્કાર વૈરાગ્યભાવમાં પરિણમ્યા. આચાર્યશ્રીએ પણ તેના આ ભાવને અને તેના ઉજ્જ્વળ ભાવિને જાણી, તેના માતાપિતાની સમ્મતિપૂર્વક, વિ.સં. ૧૫૫૨માં, માત્ર પાંચ વર્ષની વયે વાઘજીને દીક્ષા આપી અને મુનિ અમૃતમેરુ નામ આપ્યું. બાલમુનિ અમૃતમેરુ ધીમે ધીમે અભ્યાસમાં લાગી ગયા. ઉત્તમ જ્ઞાનરુચિ અને તીવ્ર યાદશક્તિને લીધે વ્યાકરણ, ન્યાય, કાવ્ય તેમ જ છયે દર્શનના જ્ઞાતા અને સ્વ-૫ર શાસ્ત્રોના પારગામી બની ગયા. તેમની સંયમસાધના અને જ્ઞાનશક્તિથી પ્રભાવિત થઈ, ગુરુદેવે તેમને સં. ૧૫૬૮માં લાલપુર નગરે ઉપાધ્યાય પદ આપ્યું. બે વર્ષ બાદ, સં. ૧૫૭૦માં, ખંભાતમાં દાદાગુરુ શ્રી સુમતિસાધુસૂરિ અને ગુરુદેવે તેમને મહોત્સવપૂર્વક આચાર્ય પદ આપી, શ્રી આનંદવિમળસૂરિ નામથી ઉદ્ઘોષિત કર્યા. તપાગચ્છના પ્રવર્તક આચાર્ય જગચંદ્રસૂરિએ વિ.સં. ૧૨૮૫માં ક્રિયોદ્ધાર કર્યો હતો. કેટલાંક વર્ષો સારાં ગયાં. પછી શ્રવણસંઘમાં શિથિલતા આવવા લાગી અને ધીમે ધીમે તેનું પ્રમાણ વધવા લાગ્યું. શ્રી આનંદવિમળસૂરિના ગુરુ ગચ્છનાયક શ્રી હેમવિમલસૂરિએ કેટલાક શિથિલ આચારવાળા યતિઓને ગચ્છબહાર મૂક્યા હતા. કેટલાક ગચ્છભેદ થવાથી સ્વતંત્ર અને સ્વચ્છંદી બની ગયા હતા. કેટલાક તો પોતપોતાના મંતવ્યની પુષ્ટિ અર્થે જુદા જુદા મતો–ગચ્છો સ્થાપન કરીને નિરંકુશ બની ગયા હતા. શું સાચું અને શું ખોટું, તે સમજવું સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની ગયું હતું. આ શિથિલતા, વિભ્રમતા અને છિન્નભિન્નતાને રોકવા તેમ જ ગચ્છની અખંડિતતા જાળવવા શુદ્ધ સંવેગી માર્ગે ક્રિયોદ્ધાર થવો અત્યંત જરૂરી હતો. આચાર્ય આનંદવિમલસૂરિ ક્રિયોદ્ધાર કરવા ઉત્સુક હતા. ગુરુદેવ પણ તેમને પ્રોત્સાહિત કરતા હતા. એવામાં લોકાગચ્છના ઋષિ હાના, ઋષિ શ્રીપતિ, ઋષિ ગણપતિ, ઋષિ વીમા (વાનર), ઋષિ જગાજી, ઋષિ ગુણા, ઋષિ નાના, ઋષિ જીવા વગેરે ૬૮ સંવેગી સાધુ બન્યા. આથી શ્રી આનંદવિમળસૂરિની ક્રિયોદ્ધાર કરવાની ભાવના સતેજ બની. ગુરુદેવની આજ્ઞાથી વિ.સં. ૧૫૮૨ના વૈશાખ સુદ ત્રીજને દિવસે વડાલી (અથવા ચાણસ્મા પાસેના વડાવલી) ગામે કેટલાક સંવિગ્ન સાધુઓને લઈને ક્રિયોદ્ધાર કર્યો અને શુદ્ધ સંવેગી માર્ગ ચલાવ્યો. આચાર્ય આનંદિવમલસૂરિએ આ ક્રિયોદ્ધાર કર્યો. ત્યારથી જાવજ્જીવ છનું તપ કર્યું હતું. Jain Education International For Private ચતુર્વિધ સંઘ ક્રિયોદ્ધાર બાદ વિ.સં. ૧૫૮૩માં ગુરુદેવે તેમને ગચ્છનાયક બનાવ્યા. સં. ૧૫૮૪માં વીસનગર મુકામે પૂ. ગુરુદેવ હેમવિમલસૂરિ સ્વર્ગવાસ પામ્યા. ત્યારબાદ, આચાર્યશ્રી આનંદવિમળસૂરિ માળવા પધાર્યા. આ પ્રદેશનાં અનેક ગ્રામ-નગરોમાં ધર્મપ્રભાવના પ્રવર્તાવતા ઉજ્જૈન પધાર્યા. અહીં માણેકચંદ નામના એક શ્રાવક તેમનો પરમ ભક્ત બન્યો. એક વેળા પાલી-મારવાડના વસવાટ દરમિયાન પૂજ્યશ્રી પાસે શત્રુંજય-માહાત્મ્ય સાંભળી તે યાત્રા કરવા ચાલ્યા અને દર્શન કર્યા વગર અન્નપાણી નહીં લેવાની પ્રતિજ્ઞા લીધી. સાતમે દહાડે સિદ્ધપુર પાસે જંગલમાં– મગરવાડામાં તેને લૂંટવા ભીલ લોકોએ હુમલો કર્યો અને એમાં તેઓ શત્રુંજયના ધ્યાનમાં મૃત્યુ પામ્યા. અહીંથી માણિભદ્રવીરની ઉત્પત્તિ થઈ. આ શાસનરક્ષક વીરને તેમણે સૌ પ્રથમ મગરવાડામાં સ્થાપન કર્યા અને તપગચ્છ શાસનના રક્ષક બનાવ્યા. સૂરિજીએ માળવા, મેવાડ, મરુધર, ગુર્જર, ખંભાત, સોરઠ, કન્હામ, દમણ, મેદપાટ વગેરે પ્રદેશોમાં વિચરી સધર્મની પ્રરૂપણા કરી તથા જેસલમેર, મંડોવર, પાટણ, રાધનપુર, અમદાવાદ, મહેસાણા, કાવી, ગંધાર, કપડવંજ, ઈડર, ખંભાત, સિરોહી, સાદડી, નાડલાઈ, નાગોટી વગેરે અંજનશલાકા-પ્રતિષ્ઠા સમ્પન્ન કરી. અનેક વાદીઓને હરાવ્યા. તેમ જ ૬૪ કુમતિઓનો પરાજય કરી ૬૪ જિનપ્રાસાદો ઉઘડાવ્યા. વિ.સં. ૧૫૮૭માં તીર્થાધિરાજ શત્રુંજયગિરિ પર પધારતાં, તેમની જીર્ણ અવસ્થા નિહાળીને તે વખતે યાત્રા કરવા આવેલા ચિતોડગઢના રહેવાસી ઓસવાલ કુળના બાણા કુટુંબના દોશી કર્માશાને ઉપદેશ આપ્યો અને તેમની પાસે છેલ્લો-સોળમો ઉદ્ધાર કરાવ્યો. પૂજ્યશ્રીએ જીવનમાં અનેકવિધ તપશ્ચર્યા કરી હતી. ચૌદ વર્ષ સુધી છઠ્ઠને પારણે આયંબિલ તપની મહાન તપશ્ચર્યા કરી હતી. તેઓશ્રીની આજ્ઞા નીચે ૧૮૦૦ સાધુઓ વિચરતા હતા. તેમણે ૫૦૦ સાધુઓને દીક્ષિત કર્યા હતા. વિ.સં. ૧૫૯૬માં અમદાવાદ આવ્યા ત્યારે એમને આંતરપ્રતીતિ થઈ કે મારો અંતકાળ આવી ગયો છે; એટલે અનશન ધારણ કર્યું. નવમે ઉપવાસે ચૈત્ર સુદ સાતમના સુપ્રભાતે નિઝામપુરામાં સ્વર્ગવાસી થયા. એ પ્રતાપી સૂરિવરને શતશઃ વંદના ! Personal Use Only (પ.પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરિજી મ.ની પ્રેરણાથી શ્રી માણિભદ્રવીર–શાંતિસેવા ટ્રસ્ટના સૌજન્યથી) www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy