SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ કોશાળી નગરી કલ્પ વત્સદેશમાં કોસાંબી નામની નગરી છે. જ્યાં આગળ ચંદ્ર, સૂર્ય પોતાના મૂળ વિમાન સાથે શ્રી વર્ધમાન સ્વામીને નમ૨કા૨ ક૨વા માટે આવેલા. તે વખતે તે વિમાનના ઉદ્યોત વડે ૨૫મયને નહિ જાણતી આર્યામૃગાવતી શમવા૨ણમાં (સૂર્યાસ્ત પછી) બેસી ૨હી, ચંદ્ર, સૂર્ય પોતાનાં સ્થાને ગયે છતે આર્યાચંદનાદિ સાધ્વીઓની આવશ્યકક્રિયાઓ પતી ગયા પછી મૃગાવતી ઉપાશ્રયમાં જલ્દીથી આવી. આર્યચંદનાએ ઠપકો આપ્યો. પોતાના અપરાધને ખમાવતી પગે પડતી તે કેવલજ્ઞાનને પામી. જ્યાં આગળ ઉજેણીથી પુરૂષની પરંપરાથી લાવેલી ઈંટો દ્વારા મૃગાવતીમાં આસક્ત થયેલા પ્રદ્યોતન ૨ાજાએ દુર્ગ કરાવ્યો. તે આજે પણ ત્યાં વિદ્યમાન છે. જ્યાં આગળ મૃગાવતીની કુક્ષીથી ઉત્પન્ન થયેલો ગંધર્વ વેદમાં નિપુણ શતાનીકનો પુત્ર ઉદયન વન્સ દેશનો ઔધપતિ બન્યો. જ્યાં જિનાલયોમાં દર્શન ક૨ના૨ માણસોની આંખને અમૃતનું અંજન કરનારી જિનપ્રતિમાઓ છે. જ્યાંના વનોને કાર્લાિદ (ગંગા) નદી પાણીના તરંગો દ્વારા આલિંગન કરે છે. જ્યાં આગળ પોષવદી એકમના દિવસે સ્વીકારેલા અભિગ્રહ વાળા શ્રી મહાવીરસ્વામીને ચંદotબાલાએ પાંચદિવશ ન્યૂન છ મંહને સુપડાના ખૂણામાં રહેલાં અડદના બાકુલા વડે પા૨ણું કરાવેલ, અને દેવો વડે સાડા બા૨ ક્રોડ પ્રમાણ વસુધારાની વૃષ્ટિ કરાઈ. એથી નગરીની નજીક વસુધા૨ એ નામ પ્રાદ્ધ થયેલું ગામ વસેલું છે. પંચ દિવ્યો પ્રગટ થયા, એથી જ તે દિવસથી માંડીને ૨સ્વામીના પારણાના દિવસે જેઠ સુદ દ૨મીએ તીર્થ, ૨નાન, દાન આદિ આચારો આજે પણ લોકો કરે છે. જ્યાં પ્રહ્મપ્રભ૨સ્વામીના ચ્યવન, જન્મ, દિક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણક થયેલાં. જ્યાં નિધ છાયાવાળા કોસંબ નામના વૃક્ષો મોટા પ્રમાણમાં દેખાય છે. જ્યાં શ્રીપદ્મપ્રભુસ્વમના દેરાસ૨માં પારણા કરવાની અવસ્થાવાળી સારી રીતે ઘડાયેલી ચંદનબાલાની મૂર્તિ દેખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy