________________
શ્રી વર્ધમાન સ્વામિને નમ:
સંપાદક તરફથી...
શ્રી જિનશાસનને વરેલા પુણ્યવાન આરાધક આત્મશુદ્ધિને કેન્દ્રમાં રાખી સઘળી ધર્મક્રિયાઓ કરે છે.
જે અનુષ્ઠાન દ્વારા મોહનીયકર્મના ક્ષપશમ રૂપે અંતરંગ ભાવશુદ્ધિ ન થાય તો તે અનુષ્ઠાન ભાવક્રિયારૂપ બની શકતું નથી.
આ ધોરણે ઔદયિકભાવની પરવશતામાંથી ઉપજેલ આત્માની મલિનતાને લક્ષ્યમાં રાખી શુદ્ધિ તરફ જાગૃતપણે પ્રવૃત્તિ કરવી તે આરાધનાને પરમાર્થ છે.
એટલે શુદ્ધિના સર્વશ્રેષ્ઠ ધરણે પહોંચેલ આત્મતત્વ (સિદ્ધપદ) ને આદર્શરૂપ બનાવી જીવન–શક્તિઓને તદનુરૂપ પ્રયત્નોમાં આરાધક પુણ્યાત્માઓ વધુ વિશ્વાસ ધરાવે છે.
એટલું જ નહીં, પણ આ જાતની ભૂમિકા અને યત્તર–વિકા - સના પંથને ચીંધનાર, તેના કમિક ઉપાયો દર્શાવનાર શ્રી તીર્થકરપરમાત્માઓ પ્રતિ અત્યધિક બહુમાન ભરી સ્તવના, સ્તુતિ, આત્મનિવેદન આદિ કરવા મુમુક્ષુ આત્માઓ સતત પ્રવૃત્ત હોય છે. - આ રીતે ઉચ્ચકેટિના વિશિષ્ટ આરાધક પુણ્યાત્માના હૈયામાંથી પરમાત્મા પ્રતિ સ્વયંભૂ–અખંડ ભક્તિગંગા પ્રકટ થઈ સ્તવને જગતના જીને પણ ભક્તિગંગામાં અવગાહી જીવનની પરમશુદ્ધિ તરફ વળવા માટે ઉદાત્ત પ્રેરણા આપે છે.
પ્રાચીન કાળમાં સંસ્કૃત-પ્રાકૃત-દેશી–અપભ્રંશ આદિ તે તે સમયે પ્રધાનપણે વપરાતી ભાષામાં અનંતપકારી શ્રી તીર્થંકર પરમાત્માના ભાવવાહી સ્તવનોની રચના પરમાર્થ નિષ્ઠાવાળા મહાપુરૂષો. કરતા હતા. સી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org