SearchBrowseAboutContactDonate
Page Preview
Page 900
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨ સજ્જન સામગ્ર આહાર કરી એજ ઠામે પાણી પીને ચઉવિહાર કરવા. જીનાલયમાં જઇ અષ્ટ પ્રકારી સત્તર પ્રકારી પુજા ભણાવવી, અને “શ્રી પાર્શ્વનાથાય નમઃ” એ મંત્રનુ એ હજાર ગુણું નવકારવાળી વીસ ગણવી એને વળી ફરી એકાદશીને દિવસે એકાસણું કરવું. તેમજ બ્રહ્મચય તથા ભૂમિશયન તા નવમ, દશમી અને એકાદશી એ ત્રણે દિવસે કરવુ.. આ વ્રત દશ વર્ષ પર્યંત કરવાનુ. એ પ્રમાણે એ પોષદશમીનું વ્રત જે મનુષ્ય કરે પુરૂષ આ લેાકને વિષે ધન, ધાન્ય, સમૃદ્ધિની વૃદ્ધિને પામે, પરલેાકને વિષે ઇંદ્રપણાને પામે છે. અનેક પ્રકારના ફળની પ્રાપ્તિ હોય અને અંતે મુક્તિપદને પ્રાપ્ત કરે છે. ૧૩ માનએકાદશી તપની વિધિ માગસર શુઠ્ઠી ૧૧ને દીવસે ઉપવાસ કરવા, મૌનપણે રહેવુ. ને શ્રી મહાયસ સર્વજ્ઞાયનમ: એની વીસ નવકારવાલી ગણવી. એ તપ માગસર સુદ ૧૧ થી માંડવા, તે અગીઆર વષ લગી કરવા તેમાં દરેક માસની સુદી ૧૧ ઉપવાસ કરવા. ૧૧. લેગસ્સના કાઉસગ્ગ, ૧૧ સાથીઆ, ૧૧ ખમાસમણ સાથીઆ ઉપર ફળ મુકવુ. એના ઉપર સુવ્રત શેઠની કથા ભણવી. દાઢસા કલ્યાણુકનુ ગુણું માગશર શુદી અગીઆરસે ગણવું. ૧૪ રેાહિણી તપના વિધિ સત્યાવીશ નક્ષત્ર છે તેમાં પ્રથમ અશ્વિની નક્ષત્રથી રાહિણી નક્ષત્ર જે દિવસે આવે તે દિવસે રાહિણી નામનાં દેવતાના આરાધનાથે" સાત વર્ષ' અને સાત માસ સુધી શ્રી વાસુપુજય વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા પુજા પુત્રક જે જે દીવસે રાહિણી નક્ષત્ર આવે તે તે દીવસે ઉપવાસ કરી એ તપ કરીયે એ તપ અક્ષય તૃતીયાને દીવસે રાહિણી નક્ષત્ર આવે તેદીવસે કરાય છે. ગુણાનાવિધિ:- શ્રી વાસુપૂજ્ય જિનાય નમઃ સા. ખ. લે. ૫. ૧૫ શ્રી વીશ સ્થાનક વિધિ શ્રી વીશ સ્થાનક તપનું આરાધન કરવા ઇચ્છનારે યથાસ્થાને પ્રત્યેક પદે ખમા સમણુ દેઈ ઉપયોગ સહિત ખેલવાના દુહા-પરમપચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે ધ્યાઇએ, નમા નમેા શ્રી જિનભાણુ. ૧. ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉર્જાસ; અષ્ટ કમ મળ ક્ષય કરી, સિદ્ધ ભયે ના ત:સ. ૨. ભાવામય ઔષધ સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ, ત્રિભુવન જીવને સુખ કરી, જય જય પ્રવચન દૃષ્ટિ. ૩. છત્રીશી ગુણે, યુગ પ્રધાન મુીં; જિનમત પરમત જાણતાં, નમા નમા તેહ સુરીં. ૪. તજી પર રિતિ રમણતા, લહે નિજભાવ સ્વરૂપ; સ્થિર કરતા ભવ લેાકને જય જય સ્થવિર અનુપ, ૫. એધ સૂક્ષ્મ વિષ્ણુ જીવને, ન હોય તત્વ પ્રતીત. ભડ઼ે ભણાવે સુત્રને, જય જય પાઠક ગીત. ૬. સ્યાદ્વાદ ગુણુ પરિણમ્યા, રમતા સમતા સૉંગ; સાધુ શુદ્ધાનંદતા, નમા સાધુ શુભ રંગ. ૭. અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવભ્રમણુ ભીતિ; સત્ય ધર્મ' તે જ્ઞાન છે, નમા નમા જ્ઞાનની રીતિ ૮. લેાકાલેાકના ભાવ જે, કૈલિ ભાષિત જે; સત્ય કરી અવધારતા, નમા ના દર્શન તેઢ. ૯. શૌચ મૂળથી મહાગુણી, સવ ધમના આધાર; ગુણુ અન ́તનેા કદ એ, નમેા નમે વિનય આચાર. ૧૦. રત્ન ત્રય વિષ્ણુ સાધના, નિષ્ફળ કહી સદીવ; ભાવ રયણુનુ નિધાન છે, જય જય ચારિત્ર જીવ, ૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy