SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના સ્વપ્નની વાત કરીને તેનું ફળ પૂછયું, ત્યારે તેઓએ કહ્યું કે આજે ભિક્ષા માગતાં તને ઘી અને ખાંડ સહિત પોળી મળશે, " તે સાંભળી તે ખુશી થયો અને તે જ પ્રમાણે તેને ભિક્ષા પણ મળી. હવે મૂળદેવે તો પિતાનું સ્વપ્ન તેમને કહ્યું નહીં. પરંતુ ઉદ્યાનમાં જઈ તેના માળીનું કામ કરી તેની પાસેથી ઉત્તમ પુષ્પો તથા ફળે લઈ એક વિદ્વાન સ્વપાઠક પાસે ગયો. તેની પાસે વિનયથી તે પુષ્પ ફળ મૂકી પિતાનું સ્વપ્ન નિવેદન કરી તેનું ફળ પૂછયું, સ્વખપાઠકે કહ્યું કે- તમને રાજ્ય મળશે. તેથી તે મૂળદેવને તે જ નગરનું રાજ્ય આઠમે દિવસે મળ્યું અને તે અત્યંત સુખી થયો. તે વાત જાણું પેલા ભીખારીને પશ્ચાત્તાપ થયો અને મૂળદેવની જેમ ફળ મેળવવા માટે ફરીથી તે જ સ્વપ્ન લાવવા માટે સતત સુઈ રહેવા લાગ્યો, પરંતુ ફરીથી કદાપિ તેને તે સ્વપ્ન પ્રાપ્ત થયું નહીં. તે જ પ્રમાણે વૃથા ગુમાવેલે મનુષ્યભવ ફરીથી પ્રાપ્ત થઈ શક્તો નથી. ( to ) 7 ચક્ર-રાધાવેધ-ભિન્ન રણુઓથી ઉત્પન્ન થયેલા રાજાવેદ એક રાજાને બાવીશ પુત્ર ભિન્ન હતા. તે ઉપરાંત તેણે મંત્રીની એક પુત્રીને પરણુને રાણી કરી હતી, પણ તેણીની સાથે તુના એક જ દિવસના સમાગમ સિવાય બીજે કઈપણ વખતે તેણીની સામું પણ તેણે જોયું નહોતું. તે એક જ દિવસના સમાગમથી તેણુને ગર્ભ રહ્યો હતો અને મંત્રીને (પિતાને) ઘેર રહી તેણીએ પૂર્ણ સમયે પુત્ર પ્રસ હતો. રાજા તે તેણીને પરણ્યાનું પણ ભૂલી ગયો હતો, સર્વ રાજપુત્રો એક જ આચાર્યની પાસે કળા શીખતા હતા, તેમની સાથે આ પુત્ર પણ કળા શીખતે હતે. તે સર્વ રાજપુત્ર પ્રમાદી હોવાથી કોઈપણ શીખ્યા નહીં અને તે પુત્ર તે સર્વ કળામાં નિપુણ થયે, તેવા સમયે “આ રાજાના ઘણા કુમારેમાંથી કેઈપણ મારે લાયક હશે? એમ ધારી કઈ રાજકન્યા પિતાના પિતાની આજ્ઞાથી સ્વયંવર વરવા ત્યાં આવી. તેણે રાધાવેધ સાધે તેને પરણવાનું પણ કરેલું હતું. રાજાના સર્વ પ્રમાદી રાજકુમારમાંથી કઈ રાધાવેધ કરી શિકો નહીં, રાજા પોતાના પ્રમાદી પુત્રો માટે શેક કરવા લાગ્યા,
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy