________________ સ્વાધ્યાય એટલે આત્માનું અધ્યયન! સ્વાધ્યાય વૈરાગ્યનું કારણ ત્યારે જ બની શકે, જ્યારે સ્વાધ્યાય કરનારને જે બોલતો હોય, એના અર્થનો ખ્યાલ હોય. સાચો સ્વાધ્યાય જ આ છે. સ્વાધ્યાય એટલે આત્માને શિખામણ અને આત્માનું અધ્યયન ! વીશ સ્થાનકમાં એક પદ “સ્વાધ્યાયનું છે. એથી સ્વાધ્યાય તીર્થંકર-નામકર્મના બંધમાં નિમિત્ત બની શકે છે. ભણેલું યાદ રાખવા સ્વાધ્યાય અતિ જરૂરી છે. જૂનું યાદ રાખવામાં જે ઉપેક્ષા કરતો હોય, એને નવુંનવું ભણાવવું એ રાખમાં ઘી હોમવા બરાબર છે. સ્વાધ્યાય ઘટતો જાય, તો ચતુર્વિધ સંઘનું સંઘપણું પણ દૂષિત બનતું જાય. આમ, સ્વાધ્યાય જો સ્વાધ્યાયની રીતે થાય, તો આના જેવું વૈરાગ્યનું પોષક બીજું કોઈ સાધન નથી. -પૂ.આ.શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા